SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નંદ અને સુંદરી [ ૬૧ સીધાવી. લોકોને ખબર પડી કે, ગુરુએ અવિધિથી શ્રુતદાન ન કર્યું. “અહો! જિનશાસનમાં નીતિ કેવી સુંદર અને ઉજજવલ છે.” આ સમયે કોઈ આત્મા બધિબીજ, કઈ સમ્યક્ત્વ, કેઈક દેશવિરતિ અને કઈક સર્વવિરતિ ચારિત્ર પામ્યા. આ પ્રમાણે બીજા કૃતઘરેએ પણ સવ–પર હિત જાણી નિરંતર વિધિમાં તત્પર રહેવું. (૯૭) ૩૦ થી ૩૪ ગાથાને અર્થ વિવરણકાર જણાવે છે – નંદ અને સુંદરી ચંપા નગરીમાં ધન નામના શેઠ હતા. તેને સુંદરી નામની પુત્રી હતી. પૂર્વ સમુદ્રના કિનારે તામ્રલિપ્તી નામની નગરીમાં વસુશેઠને નન્દ નામને પુત્ર ઉત્પન્ન થયો. બંને શ્રેષ્ઠીઓ શ્રાવકધર્મનું પાલન કરતા હતા. બંનેએ ભાવી સંબંધ વધારવા માટે પુત્ર-પુત્રીના પરસ્પર વિવાહ કર્યા. તેમને મતિપ્રકષ વૃદ્ધિ પામ્યા. કોઈક સમયે સુંદરી સાથે નંદ સમુદ્રની મુસાફરી કરતો સામે પાર ગયો. પાછા વળતાં સમુદ્રની અંદર વહાણ ભાંગી ગયું, એટલે પાટીયું મેળવી બંને એક કિનારે ઉતર્યા. જળ શોધવા ગએલ નંદને સિંહે ફાડી ખાધ અને મરીને વાનર થયો. આ બાજુ શ્રીપુરના રાજાએ સુન્દરીને પિતાને ત્યાં લઈ જઈ સાર-સંભાળ કરી. એમ કરતાં સુન્દરી ઉપર સ્નેહ થયો. વિકાર સહિત સુંદરીને ભેગની પ્રાર્થના કરી, પરંતુ તેણે પોતાની અનિચ્છા બતાવી. ત્યાર પછી તેને રાજાએ જુદા જુદા પ્રકારની કથાઓ અને વિનોદમાં સમય પસાર કરવાનું શરુ કર્યું. ચિત્તવિનેદના પ્રસંગમાં કઈક સમયે નન્દને જીવ જે વાનર થયો હતો, તેણે નૃત્યારંભ કર્યો. ત્યારે સુંદરીને દેખીને તેને જાતિસ્મરણ થયું. તે પછી વાનરને વૈરાગ્ય થયો. અનશન કર્યું. પછી વાનરને જીવ દેવ થયા. સુંદરીના શીલની પરીક્ષા કરી. ત્યાર પછી પિતાનું રૂપ પ્રગટ કર્યું. પૂર્વને સમગ્ર વૃત્તાન્ત જણાવ્યો. રાજાને ફરી યથાર્થ બેધ થયો. ત્યાર પછી શ્રાવસ્તિ નગરીમાં સિદ્ધ નામના આચાર્ય હતા, તેમની પાસે વિક્રિય રૂપથી માયાવી સુંદરીને દીક્ષા આપી. સામયિક-આલાપકના બાને કસમયે લઈ ગયો. પરંતુ સિદ્ધાચાર્ય ગુરુએ અવિધિ થવાના કારણે સામાયિક-આલાપક રાત્રે ન આપ્યો. તેથી બહારથી કો૫, પરંતુ અંદરથી દેવે સંતોષ કર્યો. આ વૃત્તાન્ત જાણી લો કે સંતોષ પામ્યા અને પ્રશંસા કરી કે-“સર્વજ્ઞ-શાસન આવા પ્રકારના નિપુણ જ્ઞાનીઓએ નિરૂપણ કર્યું છે, જે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાર પછી કેટલાક જીવોને જિનેશ્વરનું શાસન, કેટલાકને સમ્યગ્દર્શનાદિ ગુણસમૂહ રૂપ કલ્પવૃક્ષના મૂલ સમાન દેવ-ગુરુ-ધર્મ વિષયક કુશલ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ લક્ષણ આરાધના પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે પ્રસ્તુત સૂત્રદાનની જેમ સર્વત્ર પ્રવજ્યા-દાન આદિકમાં બુદ્ધિશાળીઓએ સૂત્રના અનુસારે જ પ્રવૃત્તિ-વર્તન કરવું. (૩૦-૩૪) સૂત્રાનુસાર પ્રવૃત્તિને આશ્રીને કહે છે – ૩૫–નજીકના મેક્ષગામી જીવો માટે સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરવી, તે તેનું ચિહ્ન છે. જેમ પર્વતની ગુફામાં અગ્નિ હોય, તે ધૂમના ચિહ્નથી જાણી શકાય છે. આગમ સૂત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy