SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] ઉપદેશપદ-અનુવાદ વિવેકયુક્ત હોવા છતાં, ધર્મને અનુરાગી પણ હતો, દરેક સમયે સિદ્ધાંતમાં કહેલાં ધર્માનુષ્ઠાન કરવા છતાં પણ બાલમરણના કારણે આવી વિષમ દશા પામ્યો છું. આ તિર્યંચગતિમાં વતતો હું અત્યારે શું કરી શકું? હવે અત્યારે આ સર્વ વિચારવાનું નકામું છે. અવસગ્ય ધર્મકાર્ય કરું, હવે આ છવિતથી સયું. એમ વિચારતા તે વાંદરાને સારી રીતે સ્તબ્ધ જાણીને મદારી પુરુષ તેને પિતાને સ્થાને લઈ ગયા. ત્યાં તેણે અનશન કર્યું. શુદ્ધભાવથી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતો તે મૃત્યુ પામીને મહદ્ધિક દેવ પણે ઉત્પન્ન થયે. તે જ ક્ષણે અવધિને ઉપગ મૂક્યો, તો તે દેવે શ્રીપુરમાં અવિચલિત સુંદર શીલાલંકાર ધારણ કરનારી સુંદરીને જોઈ. નિર્મલ શીલગુણથી પ્રભાવિત થયેલા દેવે પોતાનો આત્મા તેની પાસે પ્રકાશિત કર્યો. પૂર્વજન્મનો બનેલો વૃત્તાન્ત રાજાને કહ્યા. રાજા ચિતવવા લાગ્યું કે– જિન ધર્મના પ્રભાવથી પશુઓ પણ દેવ થાય છે; જ્યારે અમારા સરખા પુરુષો ધર્મ, અર્થ અને કામ સાધવામાં જ તત્પર થઈ, મર્યાદાનો ત્યાગ કરીને વિવેકીજનોને નિંદનીય એવા વિષયસુખમાં ગાઢ અનુરાગવાળા થાય છે ! એમ કરીને દુર્ગતિમાં પ્રવેશ પામીશું, માટે ખરેખર આ ધર્મ કરવાનો સમય છે. અતિશય વિરક્ત ચિત્તવાળા તે રાજાએ દેવને કહ્યું કે હવે મારે શું કરવું ? ત્યારે દેવે કહ્યું કે, “ફક્ત જિનેશ્વરે ઉપદેશેલ ધર્મ કરે.” પિતાને ખાતરી થયેલી હવાથી સત્યપણે તેને સ્વીકાર કર્યો. હવે દેવે સુંદરીને કહ્યું કે, “તું શું કરીશ?” તેણે કહ્યું કે, “સર્વ અંધકારને દૂર કરનાર સૂર્યોદય થયા પછી દીવાનું શું પ્રજન? તમે કહો તે મને પ્રમાણુ.” એ પ્રમાણે તેના ચિત્તનો નિશ્ચય જાણીને તે દેવ તેને શ્રાવસ્તિનગરી કે, જ્યાં મુનિઓમાં પ્રધાન એવા સિદ્ધાચાર્ય નામના ગુરુ તે કાળે વિચરતા હતા. તેના શીલની પરીક્ષા કરવા માટે દેવે તેને કપટથી દીક્ષિત કરીને તેવા પ્રકારના અકાળ સમયે તેમની પાસે સામાયિક સૂત્રના આલાપક શીખવવા માટે એકાકી મોકલી. વાદી, ભાલતલ પર બે હાથ જોડી, અંજલિ કરી તેણે આચાર્યને કહ્યું-“હે ભગવંત! રોગના કારણે મારું સામાયિક સૂત્ર ભૂલાઈ ગયું છે, તો કૃપાવંત બની છેડીવાર મને આ સામાયિકનો આલા આપ.” ઉપગ મૂકીને ગુરુ એ વિચાર્યું કે, “સાવીને અહીં આવવા માટે આ યોગ્ય સમય નથી. એક તો આ એકલી છે, બીજું અકાલે આવેલી છે અને તેથી આ મોટો અવિધિ થાય. તો આ અકાલે એકલી આવનાર સાવીને મારાથી સામાયિક સૂત્રને આલાપક કેવી રીતે આપી શકાય ?” એટલે કહ્યું કે-“હે આયે ! આ સમયે અહિં આવવું યોગ્ય નથી. ચહેરે કોપવાળો બતાવ્યો, એથી તે તરત અદશ્ય થઈ ગઈ. દેવતાને ગુરુ વિષયક પૂર્ણ ખાત્રી થઈ કે, ‘ગુરુ વિધિ તરફ બરાબર લક્ષ્ય રાખનારા છે.” તેથી તેમના પ્રત્યે ભક્તિવંત બન્યા. ત્યાર પછી પિતાનું રૂપ બતાવી ધરણી પર મરતક સ્થાપીને ગુરુને વંદના કરી પોતાના પૂર્વભવને વૃત્તાન્ત જણાવ્યું. તેમ જ સુંદરીને પણ સમર્પણ કરી, ગુરુએ પ્રવર્તિનીને સોંપી. દીક્ષા પાલન કરી સુંદરી વૃણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy