SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચાર્ય–કથા [ ૫૯ પ્રકારે સમજાવીને પોતાના ઘરે લઈ ગયે. ગાઢ આગ્રહ કરીને ભોજનાદિ વિધિ કરાવી. રાજા તેના મનના ઇચ્છિત સર્વ પદાર્થો હાજર કરે છે, કંઇક અનુરાગ અને કંઈક સજજન પુરુષના સ્વભાવને કારણે હંમેશાં તેની સાર-સંભાળ આદર પૂર્વક કરતો હતો. સન્માનદાન, સ્નેહવાળી વાતચીતથી મારા પ્રત્યે અનુરાગ થયે હશે–એમ માનનાર રાજાએ એકાંતમાં સુંદરીને કહ્યું કે- હે ચંદ્રમુખિ ! શરીર અને મનની શાંતિને દૂર કરનાર પૂર્વકાળના વૃત્તાન્તને વીસરી જઈને મારી સાથે ઈચ્છા પ્રમાણે વિષય-સુખને આનંદ ભોગવ. નિરંતર શેકથી જળી રહેલ આ તારી કાય-લતા દીપકની શિખાથી તપેલ માલતી–પુપની માળાની જેમ કરમાયા કરે છે. હે સુંદર દેહવાળી ! પૂનમના ચંદ્રબિંબ સમાન લોકનાં મનને આફ્લાદક યૌવન અને સૌભાગ્ય મળે છે. સુજ્ઞ-સમજુ પુરુષે અતિશય સુંદર મનગમતી કે ભુવનમાં દુર્લભ એવી પણ વસ્તુ ચાલી ગઈ હોય અથવા નાશ પામી હોય, તો પણ તેને શેક કરતા નથી. તે હવે બહુ કહેવાની જરૂર નથી, માટે તું મારી પ્રાર્થના સફળ કર. વિવેકી ડાહ્યા પુરુષો સમયાનુસાર યોગ્ય પ્રવૃત્તિ કરે છે.” કાનને અત્યંત કડવું લાગે તેવું, પહેલાં કઈ દિવસ ન સાંભળેલ એવું સાંભળીને વતભંગ થવાના ભયને કારણે ગાઢ દુઃખથી આકુલ મનવાળી તેણીએ કહ્યું કે-“હે નરપુંગવ ! સારા ઉત્તમ કુળમાં જન્મેલા, જગતમાં પ્રસિદ્ધિ પામેલા, ન્યાયમાગ બતાવનારા, તમારા સરખા શ્રેષ્ઠ પુરુષોને તદ્દન અનુચિત આ લોક અને પરલોક એમ બંને ભવ બગાડનાર, ત્રણે લોકમાં અપયશનો પડહ વગડાવનાર હોય તો પારકી રમણીની સાથે રમણ-કીડા છે.” રાજાએ પ્રત્યુત્તર આપે કે-“હે કમલમુખિ ! લાંબા કાળના પુણ્યથી ઉપાર્જન કરેલ રત્નનિધિને ભોગવવામાં મને કહ્યું દૂષણ ગણાય?” ત્યાર પછી રાજાને અફર આગ્રહ જાણીને તે બેલી કે-“હે શ્રેષ્ઠ નરપતિ! મેં લાંબા કાળથી કરેલો અભિગ્રહ જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી રાહ જુઓ. કેટલાક કાળે તે પૂરો થયા પછી તમારી ઈચ્છા પ્રમાણે હું કરીશ.” આ સાંભળીને રાજા ખુશ થયા અને નાટક, ખેલક્રીડા વગેરે મનને વિનોદ કરાવનાર પદાર્થો બતાવીને કાળ પસાર કરતા હતા. હવે આગળ નંદ મૃત્યુ પામીને વાનરભાવ પામેલું હતું, “તે યોગ્ય છે?— એમ ધારીને મદારીઓએ તેને પકડ્યો, આ વાનરને ઘણી કળાઓ શીખવી અને દરેક નગરમાં તેની પાસે ખેલે કરી બતાવતો હતો. એમ કરતાં તે મદારી લોકો કઈ પ્રકારે ફરતાં ફરતાં તેને લઈને તે જ નગરમાં આવ્યા. દરેકના ઘર પાસે કીડા કરાવતાં હવે તેઓ રાજમંદિરમાં ગયા. સર્વ યત્નથી વાનર પાસે નૃત્ય વગેરે કીડા કરાવવા લાગ્યા. નૃત્ય કરતાં કરતાં કઈ પ્રકારે રાજાની પાસે બેઠેલી સુંદરીને જોતાં લાંબા કાળનો નેહભાવ જાગ્રત થવાથી વિકસિત નેત્રોવાળી વાંદરાએ દેખી. “મેં આને ક્યાંય પણ દેખેલી છે.” એમ વારંવાર વિચારતાં પોતાને જાતિ-સ્મરણ જ્ઞાન થયું અને પ્રથમ ભવન સર્વે વૃત્તાન્ત યાદ આવ્યું. એટલે પરમ નિર્વેદ પામેલે તે ચિતવવા લાગ્યું કે, “અનર્થના ભંડાર સરખા સંસારવાસને ધિક્કાર થાઓ. કારણ કે, હું તેવા પ્રકારને નિર્મલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy