SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ દર ] ઉપદેશપદ-અનુવાદ થેના અનુસારે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જે ઉચિત પ્રવૃત્તિ. જેમ કે, પિતાના કુટુંબની ચિંતા અને દ્રવ્યસ્તવ-ભાવસ્તવ રૂપ પ્રવૃત્તિ-એમ દરેક કાર્યમાં ધર્માની પ્રવૃત્તિ, જિનેશ્વર ભગવંત ઉપર બહુમાન–પૂર્વકની પ્રવૃત્તિ, તે આત્મા સૂત્રાનુસારે જ પ્રવતે. જેમ કે-“ભગવંતે આ વાત શાસ્ત્રમાં આ સ્વરૂપે કહેલી છે”—એમ હંમેશાં મનમાં ભગવંતને યાદ કરતે હોય તે, ભગવાન અને તેમના વચનમાં બહુમાનવાળા પુરુષ ભગવાનના ભાવને ભજવાવાળો થાય છે. કહેવું છે કે-“સમુદ્રમાં પડેલા જળબિન્દુ અક્ષયભાવને પામે છે. “અક્ષયભાવમાં મળેલ ભાવ, તે અક્ષયભાવને નક્કી સાધી આપનાર થાય છે. સુવર્ણરસથી વિંધાયેલ તાંબું ફરી તાંબાપણાને પામતું નથી.” એમ દરેકમાં ઉચિત પ્રવૃત્તિ, તે નજીકના મોક્ષગામી જીવનું ચિહ્ન જાણવું. (૩૫) વિપરીત રીતે પ્રવર્તવાથી કયે દોષ લાગે છે, તે બતાવે છે – ૩૬-ભગવંતના વચનથી ઉલટારૂપે વર્તવાથી નક્કી પોતાના કે બીજાના ઉદ્ધારનો ત્યાગ થાય છે-એ પ્રમાણે સૂમબુદ્ધિથી સમ્યગ પ્રકારે વિચારવું. 1 ટીકાથ–પોતાને તેમ જ જેમના ઉપર ઉપકાર કરવાનો છે કે, આ બિચારા દુર્ગતિમાં પડતા બચી જાય-એમ બંનેના ઉપકારને ત્યાગ થાય, જે ભગવંતના વચનથી વિરુદ્ધ પ્રવૃત્તિ થાય, તે નક્કી સ્વ–પર ઉભયનું અકલ્યાણ-નુકશાન થાય છે. તે માટે કહેલું છે કે –“જેઓ જિનેશ્વરની આજ્ઞા વગર વ્યવહાર પ્રવર્તાવે છે, અગર પિતે વતે છે, તે આ લોકમાં અપકીર્તિ અને પરલોકમાં નક્કી દુર્ગતિ પામે છે.” આમ હોવાથી આગળ કહેલા પ્રકારે તીક્ષણ બુદ્ધિથી સારી રીતે વિચારીને પ્રવર્તવું (૩૬) તે જ માટે ગ્રંથકાર કહે છે કે – ૩૭–ખરેખર બુદ્ધિવાળા હોય, તેઓ જ તત્ત્વને પામે છે, પરંતુ સર્વે ઉંડાણવાળા તત્વને પામી શકતા નથી, માટે બુદ્ધિની વૃદ્ધિ કરવા માટે તેના ભેદો અને દાનત જણાવીશ. ટીકાર્થ –ઈહા, અપહ રૂપ અતિનિપુણ પ્રજ્ઞાવાળા જ એ તવ જાણી શકે છે કે-નજીકના મેલગામી જીવોની પ્રવૃત્તિ સૂત્રાનુસારી જ હોય. પરંતુ સર્વે તેવા પ્રકારના ઉંડી બુદ્ધિવાળા હોતા નથી. કેટલાક પદાર્થો ઘણી તીણ બુદ્ધિથી એટલે કે, સેંકડો પ્રયત્ન કરવામાં આવે તે પણ સમજવા સમર્થ ન થાય. તે માટે કહેલું છે કે–બીજા સામાન્ય જને ગમે તેટલા પ્રયત્ન કરે, તે પણ મોટાઓના બુદ્ધિ-વૈભવને પામી શકતા નથી. સેંકડો યત્નો કરવામાં આવે, સેંકડો વખત કૂટવામાં આવે તો પણ લોહને દંડ સૂવમ સોયરૂપ થતું નથી. આમ હોવાથી તે બુદ્ધિના ઔત્પાતિકી વગેરે ભેદ અને હક વગેરે તેનાં દષ્ટાન્ત કહીશ. શા માટે? બુદ્ધિને વિકાસ થાય તે માટે. બુદ્ધને પ્રકર્ષ થઈ શકે તેવા પુરુષે જે તેને ભેદે અને ઉદાહરણે બુદ્ધિશાળીઓ પાસે સારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy