SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકાર મહામંત્ર સાથે મધ્યભાગે કર્ણિકામાં તેત્રીશમો વર્ણ અવશ્ય સ્થાપવાનું હોય છે જે તે નાભિપ્રદેશે તેત્રીશમે વર્ણ સ્થાપવામાં ન આવે તે નાભિપ્રદેશ ખાલી જ રહે. જ્યારે મંત્રની સ્થિતિ એવી છે કે-એક માત્રા કરીને પણ જે મંત્ર, હીણ રહી જવા પામ્યો હોય તે તેથી સાધ્ય ફળ પરિપૂર્ણ પ્રાપ્ત થતું નથી. આથી જે “પઢાં ફુવર્ મફ૪” પાઠ સ્વીકારવામાં આવે, તે જ તે પદના નવવર્ણ હવાથી ચૂલિકાના ચારે પદના તેત્રીસ વર્ષ પૂરા થાય, અને યંત્રાદિની રચનામાં તે પૂરેપૂરા વર્ણવાળે મંત્ર પ્રાપ્ત થાય. આ સનાતન સિદ્ધાંતને બદલે જે પઢમં ાર #સ્ટમ” વાળ આઠવર્ણને કલ્પિત સિદ્ધાંત માનવામાં આવે, તો તે યંત્રમાં તેત્રીસને બદલે બત્રીશ જ વર્ષની પ્રાપ્તિ થાય, અને કર્ણિકાની જગ્યા વર્ણશૂન્ય પડી રહેવા વડે આરાધનામાં તે યંત્ર સાધ્યફળ આપવા સમર્થ બને જ નહિ. આ સંવાદને લગતું પૂર્વાચાર્યવૃત પ્રકરણનું વચન છે કે – “ अट्ठसहि अक्खरपरिमाणु. जिणसासणि नवकार पहाणू । अंतिम चूला तिन्नि पसिद्धा, રોઝ ટુ નવવરદ્ધિા શા” અર્થ: શ્રી જિનશાસનને વિષે અડસઠ અક્ષરવાળે નવકાર પ્રસિદ્ધ છે. તે નવકારની–પ્રસિદ્ધ એવી અંતિમ ત્રણ ચૂલા-ચૂલિકા, સોળ-આઠ અને નવવર્ણ કરીને પ્રસિદ્ધ છે. ૧ આ વિગેરે આધારથી સ્પષ્ટ છે કે નવકાર નવપદને જ છે, અને તેનું નવમું પદ પણ નવવર્ણનું જ છે.” એ બીના કેઈએ અભિમાનમાં ઉપજાવી કાઢેલી નથી, પરંતુ આગમ તેમજ શાસ્ત્રથી સિદ્ધ છે, અને પાંચપદને નવકાર તેમજ આઠવર્ણનું અંતિમ પદ એ વિગેરે બીનાએ કલ્પનાજાળ છે. આ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા તરીકેના ભાવ મંગલરૂપ આ નવકારમાંના પાંચ પરમેષ્ઠી ભગવંતેના એકસો આઠ ગુણોને જાપ કરવામાં આવે છે, તે એકસો ને આઠ ગુણનું સ્વરૂપ આ નીચે દર્શાવાય છે. “વાર ગુખ શારિતા સિદ્ધ ગદ્દેવ સૂરિ છરી વક્સાવા વાવ, સાહૂ સાવી શક્યં ?” અર્થ-અરિહંત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંત આઠ ગુણવાળા, આચાર્ય ભગવંતે છત્રીશ ગુણવાળા, ઉપાધ્યાય ભગવંત પચ્ચીસ ગુણવાળા અને સાધુ ભગવંતે સત્તાવીસ ગુણવાળા છે. તે દરેક પરમેષ્ઠીના ગુણે મળીને ૧૦૮ ગુણ થાય છે. ૧ તેમાં– અરિહંત પ્રભુના ૧૨ ગુણ–“ઇંવિદ કુસુમવુક, સેવશુળ ગામના ગાળારું જ માવજીચ રિ જીત્ત, ચંતિ નિપકારું છે ? ” અથે–અશોકવૃક્ષ, કુસુમણિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર એ આઠ પ્રતિહાર્યો જિનેશ્વર શ્રી અરિહંત ભગવંતની પાસે સદાને માટે રાજે છે. જે ૧. અરિહંત પ્રભુના તે આઠ ગુણ અને અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય એ ચાર મહા અતિશય મળીને બાર ગુણ હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy