SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૧૫ વગેરે માં આ પ્રમાણે વિધિ કહ્યો છે કે- પ્રથમ તે એ વાત છે કે-ગૃહે જ સ્નાન કરવું. જે ઘરે તેવી સગવડ ન હોય તે તેલ - આમળાં વગેરેથી ઘરે જ મસ્તક મસળી તે દ્રવ્ય ખંખેરી નાખીને તળાવ આદિ સ્થળે જવું. ત્યાં કાંઠે બેસી ગાળેલા જળથી બે બે સ્નાન કરવું. ઘરમાં પણ સ્નાન-ભજન-તાંબુલ-પુષ્પ વગેરે ભે ગદ્રવ્યો જેમ બને તેમ અલ્પ રાખવાં એ જ ગુણહેતુ છે” કહ્યું છે કે- મતિમાન પુરૂષે સમરત ભેગસામગ્રી અધિક કરાવવી જ નહિ, જોઈએ તે કરતાં અધિક સામગ્રીથી લેક પાપાચરણ કરે છે. ના' જેપુપ-ફલ વગેરેમાં કુંથુ આદિ ની વિરાધના જણાતી હોય તે પુષ્પ વગેરે ત્યજી દેવાં. આ અતિચાર, પ્રમાદાચરણની કરેલ વિરતિને આશ્રયીને સમજ. એ પ્રમાણે આ ત્રીજા ગુણવ્રત સંબંધીના એ પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. તે ૨૬ છે આ આઠમા વ્રત ઉપર વીરસેન કુસુમશ્રીનું દૃષ્ટાંત કનકશાલ નામના વિશાળ નગરમાં નામથી અને તેજથી અરિકેસરી એ વિખ્યાત રાજા હતો. તેને પ્રિય આલાપવાળી પ્રિયમતિ નામે રાણી હતી. તે રાજારાણીને વીરસેન નામે સર્વગુણાલંકૃત પુત્ર હતે. મનુ જ ભૂમિ પર રહેલા તે કુમારને “સુમામા '=કાર્તિક સ્વામીની જેમ સમસ્ત અસાધારણ કળા, રૂદ્ધાપૂર્વક આશ્રય કરી રહેલ. w૧ થી ૩ બીજી બાજુ રત્નના જિનપ્રાસાદોથી શોભતાં રત્નપુર નામે નગરમાં ન્યાયની ધુરાને વહન કરવામાં ધીર એ રણધીર નામે રાજા હતા. તે રાજાને અતિનિર્મલ રત્નની માળા જેવી રત્નમાળા નામે રાણી હતી. તે રાજારાણું બંનેને સંતાન નહિ હોવાથી તેની ચિંતામાં કેટલેક કાળ વ્યતીત થયે. બાદ સેંકડે માનતાવ પૂર્વકૃત સુકૃતના ગે તેને જગતને વિષે વિખ્યાત એવી કસુમશ્રી નામે અદભુત પુત્રીને જન્મ થયે. . ૪ થી ૬ in લેવયની નીક જેવી તે અપ્રતિમ બાલા ક્રમે કરીને કામદેવની જાણે જંગમ રાજધાની હોય તેવી શોભવા લાગી. શા તે કન્યાને માટે યોગ્ય વરની ચિંતાથી પીડાતા પિતાએ અનુચરોદ્વારા સાક્ષાત્ કામદેવ સમા તે વીરસેનકુમારને શ્રેષ્ઠ વર તરીકે જા. ૮ બાદ તે વરને ઈચ્છતા રણધીર રાજાએ સુરસુંદર નામના નિપુણમંત્રીને કનકશાલ નગરે મોકલ્યા. મંત્રી પણ સત્વર ત્યાં ગયો લા સંપૂર્ણ ગુણરૂપ લક્ષ્મીના સંકેતસ્થાન જેવા તે વીસેનકુમારને જોઈને મંત્રી અતિર્ષિત છે અને તેણે ત્યાં વીરસેન જોડે કુસુમશ્રીનું સગપણ કર્યું. ૧૦ કુસુમની શોભાથી આકષાયેલ ભ્રમરની જેમ વીસેનકુમાર પણ પિતાને આદેશ પામીને મહાન સેના સાથે રત્નપુર નગર કુમશ્રીને પરણવા આવ્યા. તે બાદ અરિકેશરી રાજાએ પણ તે બંનેને મોટા મહોત્સવપૂર્વક વિવાહ કર્યો. કુસુમશ્રીએ તે ત્રીજો કેઈ હાજર ન હોવાનો અવસર જોઈને પિતાના સ્વામી વિરસેનને કાનમાં કહ્યું-“હે સ્વામી ! હાથ છોડાવવાને વખતે તમે બીજું ધન -સૈન્ય વગેરે કાંઈ જ માગશો નહિ. ફક્ત દેવતાએ આપેલ અશ્વ-પલંગ અને પિોપટ એ ત્રણ વસ્તુ માગશે. તેમાં નામ તેવા ગુણવાળો જે કમલામેલક નામે અશ્વ છે, તે હુંકારમાત્રથી દિવ્યવિમાનની જેમ આકાશમાં ઇચ્છિત સ્થાને જવાવાળે છે. તથા સ્વર્ગીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy