SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂવની આડશ ટીકાને સરલ અનુવાદ વ્યુત્પત્તિથી સિદ્ધ ઉત્તરે નિપુણાએ આપ્યા, તે અહિ વૃત્તિમાં વ્યાકરણ અને વ્યુત્પત્તિથી સિદ્ધ કરીને શાસ્ત્રકારે વિસ્તારથી રજુ કર્યો છે. વિશ્વ હોવાને કારણે તેમજ વિસ્તારના ભયથી અહિ તે અર્થે વિગતવાર રજુ કર્યા નથી: જાણવાની જિજ્ઞાસુજનેએ વૃત્તિમાં તે અર્થે જેવાથી સંતોષ થશે.] તે ઉપરાંત તે “પરવાયા' શબ્દમાંના છેલા બે “વાયા' શબ્દ (પદ) ના વ્યાકરણના નિયમ પ્રમાણે ૧૪૩૬ અર્થો જણાવ્યા તેમજ પૂર્વનાં “ઘર' પદ અને ઉત્તરના વાચા' પદને વિષે અરસપરસ યથાયોગ્ય પરાવર્તન કર્યા કરીને વાદીના તે પ્રશ્નોના વિવિધ અર્થો નિપજાવીને જણાવેલ અર્થોની સંખ્યા તે કહી શકવી મુશ્કેલ છે. એ પ્રમાણે વિવિધ પ્રકારના પ્રશ્નોત્તરવડે સર્વજનોને અપાર ચમત્કાર પમાડયા બાદ વાદીને તિરસ્કાર કરવાની ઈછાવાળી નિપુણએ જરા હસીને વાદીને કહ્યું-“હે વાદીન્દ્ર! જે મારા કહેલા એક પણ પ્રશ્નને ઉત્તર ઘણું ટાઇમે પણ આપશે તે હજુ પણ તમે જ જીત્યા જાણક્ય' એ પ્રમાણે કહેવા પૂર્વક બહેશ નિપુણાએ સ્ત્રી જાતિને સુલભ એવી કુશળતાથી સહેલો જ પ્રશ્ન કર્યો: નિgણાનો પ્રશ્ન :- આ લોકમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય વર્ગના અથી અને હંમેશને પણ માટે વ્યંજન રહિત “ઘચા વેચા” જ ઈચ્છે છે તે આશ્ચર્ય છે.' હે વાદી ! આ પ્રશ્નનો ઉત્તર આપવામાં તમને છ માસની મુદ્દત જણાવું છું તે વખતે પિતાને પરાભષિત માનનારે વાદી, અત્યંત મતિમૂઢતાને લીધે ઘણું વિચારતા પણ તે પ્રશ્નને અભવ્યની માફક કઈ વાતે સમ્ય ઉત્તર મેળવી શકતું નથી એટલે તે પ્રશ્નનો ઉત્તર જાણવાની ઈચ્છાવાળા રાજા આદિ સર્વજોએ કહ્યું કે “હે કન્ય! તે પ્રશ્નને સ્પષ્ટ ઉત્તર તું જ કહેઃ તેથી. - વિપુળા હુરાણોઃ-“વેચા” શબ્દમાંનાં વ્યંજને કાઢી નાખવાથી એટલે કે-તે શબ્દમાંના “પૂર્-અને ” એટલા વ્યંજન દૂર કરવાથી “અ-૧ણ અને આ એટલા અનુક્રમે રે શેષ રહે તે સ્વરોની સંધી કરવાથી વ્યંજન વગરના તે પર: વેરા શબ્દને “કાગા=બામા’ એ પ્રમાણે શબ્દ થાય: આથી “ આ જગતમાં લોકે, ધર્મ-અર્થ અને કામ છે. ત્રણ વર્ગના અથી હોવા છતાં પણ હંમેશને માટે પય પેયા જ ઈચ્છે છે, તે આશ્ચર્ય શું?” એ પ્રશ્નનો ઉત્તર-આત્માને જ=પતાની જાતને જ ઈરછે છે !” એ પ્રમાણે થયો. નિપુણાના તે ખુલાસાથી અતિ વિષાદ ધરતા તે વાદીને નિપુણાએ ફરી પૂછયું કે-હે વાદી! હજુ પણ જે તમે બુદ્ધિ વિષયક પ્રશ્નને પણ ઉત્તર આપશે તે પણ તમે પરાજીત નથી થયા એમ માનીશ. નિપુળા -એક નગરમાં કઈ સમસ્ત પ્રકારે અભૂત ગુણોવાળી રાજપુત્રીનું કઈ વિદ્યાધરે અપહરણ કર્યું. રાજાએ પટહ વગડાવ્યું કે જે કોઈ રાજકન્યા લાવી આપે તેને જ હું તે કન્યા આપીશ. તેથી કોઈ નિમિત્તિયાએ કહ્યું- હે રાજન ! હું તે કન્યાનું સ્થાન જાણું છું, પરંતુ આકાશમાર્ગે જઈ શકતું નથી. આથી એક સુતારે ગગનગામી રથ બનાવ્યું, ત્યાં યુદ્ધ કરવા સારૂ એક સહસંધી સુભટ તૈયાર થયેઃ અને તેને શસ્ત્રઘાત થાય કેતુરત રૂઝાવી આપવા સારૂ એક વૈદ્ય તૈયાર થયેલ એમ ચારે જણે મળીને ત્યાં જઈને કન્યા - ૧ તસ્યા: ૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy