SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ લેાકેાને ધારણ કરનારી ચંપા નામે પ્રાચીન નગરી હતી; જેની પાસે બીજા શહેરો દાસ્યભાવ ધરતાં હતાં. ॥ ૧ ॥ તે નગરીનું પૂર્વ સંચિત પ્રતાપવડે સૂર્ય જેવા, પૃથ્વીના ભાર ધારણ કરવામાં શેષનાગ જેવે, અને ખલમાં ઈન્દ્ર જેવા સહસ્રીય નામે રાજા પાલન કરતા હતા. ॥ તે રાજાને અત્યંત માનનુ પાત્ર એવા અમાપ બુદ્ધિવાળા બહુમુદ્ધિ નામે મત્રી હતા, કે–જેણે ઇચ્છિત સિદ્ધ કરનારા વિચારશમય વિચારણાવડે ઇન્દ્રના મત્રોને પણ વિચારહીન બનાવી મૂકયો હતા. ॥ ૩ ॥ કોઈ વખતે પ્રજાના કમનસીબે પૃથ્વી પર વરસાદ તે રાધે ભરાએલા ફણીન્દ્રની જેમ અત્યંત પ્રકારે યુગનો અંત કરનાર વચ્ચે! ॥૪॥ તે અનિવૃષ્ટિના ભયંકર જલથી અનાજ પાકવાના કાળે જ ઘાસ, પૃથ્વીનું ધાન્ય અને લતા વિગેરે દવાનલથી બળી જવાની જેમ સ અળી ગયુ. ॥૫॥ પત્રા ( પીંછાં ) પ`ખીના શરીરે જ હતાં, ફુલ=પુષ્પ ( કુલાં ) કાઈ કાઈની ખરાબ થએલી આંખોમાં જ હતાં, ફૂલ ( ફળાં ) ભાલાં વગેરે શસ્ત્રોને માથે જ હતાં. અર્થાત્ વૃક્ષ ઉપર તેા પત્ર-કુલ કે ફલ કાંઈ જ રહેવા પામ્યું ન્હોતું. ॥ ૬ ॥ તે વૃષ્ટિથી તા જલાશયેનું સર્વ જલ પણ વિષમિશ્રિત થઈ ગયું! તેથી સ લેાક અત્યંત વ્યાકુલ બની ગયું. ૫છી જ્યારે દુષ્કાલ પડે ત્યારે ખરેખર સર્વ પ્રાણીઓને પત્ર-પુષ્પ-લ અને જલથી કાંઇક માત્ર નિર્વાહ થઈ શકે; પરંતુ તે વખતે તે તે પણુ અલભ્ય બન્યુ...! ૫૮ ॥ તે વખતે માટા શ્રીમાના ઘરમાં રહેલી કુપીકાઓમાંથી કેટલાક જનાએ અમૃતની જેમ બહુ પ્રાથૅનાએ મુશીબતે મળતા અલ્પ જલથી કેટલેક સમય પસાર કર્યો ! ॥ ૯॥ અને તૃષાથી પીડાતા જેઓ તેવું જલ મેળવી શકયા નહિ અને દુષ્ટ જલ પીવા લાગ્યા તે તે જલથી તત્કાલ ઉત્પન્ન થએલા તાવ, કેાઢ, ખાંસી, શ્વાસ, મતિભ્રમ વિગેરે વ્યાધિઓ વડે મૃત્યુને આધીન પણ થયા ॥ ૧૦ ॥ ‘હવે નજીકમાં આ ઝેરીની જેમ સારા વરસાદ પણ થશે કે નહિ ?' એમ રાજા વિગેરેએ, નૈમિત્તિકા-દેવના ઉપાસકે-જ્યોતિષીએ અને શાણા મત્રોને પણ પૂછતાં તેઓએ કહ્યું કે- આગળ વર્ષાઋતુમાં ઉત્તમ જળની વૃષ્ટિ થશે; પરંતુ તે પહેલાં નહિ !' ||૧૧|| આ સાંભળીને નૃપ-મત્રો વિગેરે મુઝાઈ ગયા અને હા-હાકાર કરી ઉઠેલા પ્રજાજને ગળામાં ફ્રાંસે નાખેલાની જેમ જીવવાની આશા તજી બેઠા ॥ ૧૨ ॥ એ પ્રમાણે અતુલ એવા અગણિત ઉપદ્રવાથી કલ્પાંત કાલ જેવા કાળ પસાર થઇ રહ્યો છે, તેવામાં એક દિવસે સવારે સભામાં બેઠેલ રાજાને પૂર્વદિશાના વનપાલક માણુસાએ આદરપૂર્વક જણાવ્યું કે- હું રાજન્! આજે રાત્રિએ પૂર્વ દિશાનું વન, પુષ્પ-પત્ર અને લેથી એવું ફ્હ્યું છે કે-અંદર સૂર્યનાં કિ પણ પેસી શકતા નથી ! ’ એ પ્રમાણે ચારે ય દિશાના વનખંડના પાલકાએ અને સમસ્ત ક્ષેત્રરક્ષકાએ પેાતપાતાની દેખરેખ નીચેનાં વના અને ક્ષેત્રા એવાં જ ફલ્યાં હોવાની તેમજ જલાશયે ના રક્ષકાએ જળાશયામાં નિર્મળ જળ ખની ગયા હોવાની રાજાને એક જ વખતે એકી સાથે પૂર્ણાંક વધામણી આપી ! સકલ વનરાજી ફળી હાવાના અને સર્વ જલાશયે ઉત્તમ જલથી ઉભરાયાના ચમત્કારિક સમાચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy