SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ઉંટની પીઠ ગાળવી ઈત્યાદિ. ૨૩ વવા-વન કે ઝાડી બાળે સતે વનવાસી ભિલલ વિગેરે લેકે બિચારા સુખે હરીફરી શકે અથવા વનમાં ઉભેલું જુનું ઘાસ બાળી નાખે સતે નવાં તૃણાંકુર ફુટે, જેથી ગાયે વિગેરે સુખે ચરે અથવા ક્ષેત્રમાં અમિ મૂકવાથી ધાન્યસંપત્તિની વૃદ્ધિ થાયઃ વિગેરે પ્રકારે પુણ્યબુદ્ધિથી કે કુતુહલથી વનમાં અગ્નિ સળગાવે તે. મરતી વખતે ભિલ્લ વિગેરે એમ કહેતા હોવાનું સંભળાય પણ છે કે મારાં પુણ્ય અર્થે તમારે અમુક અમુક પ્રમાણમાં દવ દે.” કેવી ઘોર અજ્ઞાનતા?] ૨૪ વરરાજોષ:સરોવર દ્રહ અને તળાવ વિગેરે જળાશ ધરાવતી જમીનમાં અનાજ (ઘણું ઉત્પન્ન કરવા ) વાવવા માટે તે તે જલાશયોમાંથી નીક ખેદી કાઢીને તેમાંનાં જલનું શોષણ કરે–તેમાંથી જલ બહાર કાઢી નાખે છે. [ અહિં “નહિ ખોદેલું તે સરોવર અને ખેદેલું તે તળાવ” એમ એ બંનેને ભેદ છે. ] ૨૧ કપોષT -ધન કમાવવાને અર્થે દુરાચારી દાસીઓ અને નપુંસકોનું પોષણ કરે છે તેમજ પિપટ, મેના, મોર, બિલાડા, વાંદરા, કુકડા, કુતરા અને ભુંડ વિગેરેનું પોષણ કરવું તે સર્વ અસતીષણ છે જ કેટલાક દાસીઓને પિષે છે તેમજ તેનાં ભાડાં પણ લે છે; ગૌડ દેશમાં તે રીવાજ છે, તે રૂતિ વ સામાન્ય મળે છે. આ પંદર કમદાને બહુ દષમય હોવાથી અનાચરણીય છે. તેમાં વ્યકિતગત દોષ આ પ્રમાણે – ૧ અંગાર કમને વિષે-અગ્નિ સર્વ દિશામાં છએ નિકાયના જીવોના નાશરૂપ શસ્ત્ર છે. (અને તેથી જ પંદર કર્માદાનમાં તેને પ્રથમ લીધેલ છે.) ૨ વનકર્મને વિષેવનસ્પતિ અને તેને આશ્રિત રાજીવોને નાશ થાય છે. ૩ શકટ અને ૪ ભાટક કર્મ - એ બે કમેને વિષે ભાર વહન કરનારા વૃષભાદિને ત્રાસ અને માર્ગના છ કાયના જીને વિનાશ થાય છે. ૫ ટક કર્મને વિષે -કણ ભરડવા વિગેરેમાં વનસ્પતિકાયના અને જમીન ખેદવી વિગેરેમાં પૃથ્વીકાયના તથા તેને આશ્રિત ત્રસજીવોના વિનાશરૂપ મહાવિરાધના છે. ૬ દાંતના વ્યાપારમાં ઉપત્તિસ્થાને હાથી દાંત ચમરી ગાયના વાળ વિગેરે વસ પ્રાણીઓના વ્યાપારમાં ગ્રાહકોને જોઈને ભિલ લોકે વિગેરે હાથી, ચમરી ગાય વિગેરેના વધમાં તુર્તજ પ્રવર્તે (તેથી મહાહિંસાનું નિમિત્ત પણ બની જવાય.) ૭ લાખના વ્યાપારમાં-લાખ બહુ ત્રસજીવોમય લેવાથી અને તેને રસ રૂધિરને ભ્રમ કરાવતો હોવાથી, તેમજ ધાવડીની છાલ અને પુ (મદ્યાંગ હેવાથી)માંથી મદિર બનતી હોવાથી તથા તે રસમાં કૃમિ થતા હોવાથી તેમજ ગળી પણ અનેક જંતુના ઘાતથી બનતી હોવાથી, મણસીલ, હરીઆળ અને રેગાનમાં ઉડીને પડતા ત્રસજીને વિનાશ હોવાથી, લાલ માટીમાં પૃથ્વીકાયના જાને નાશ થતો હોવાથી, પડે પાંદડી ત્રસજીવાકુલ હેવાથી, ટંકણખાર– સાબુખારે વિગેરે બહારના ઉડતા બહુજીના વિનાશને હેતુ હોવાથી મહાન દેષરૂપ જ છે. ૧ ઉપાશ્રીએ અનુવાદમાં અહિં રમતગમત માટે, ઉંદરાદિના નાશને માટે એ વિગેરે હતુઓ જણાવ્યા છે તે અજ્ઞાનમક છે. ૨ અહિં'. ઉપાશ્રીએ અનુવાદમાં કેટલાક આચાર્યો દાસી ઓના પિષણને જ અસતી પિષણ કહે છે? એમ અર્થ કરેલ છે તે શાસ્ત્રીની “વન દિ તારી વાત ' પંક્તિ જોતાં ખુલે શાસ્ત્ર વિરહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy