SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ રહ૭ ગુણેને હરી લેવાને હેતુ, આ ભવ અને પરભવમાં દુ:ખી હાલતને દૂત, નિંદ્ય અને સંકટને સમુદ્ર સમજ,” એ પ્રમાણે પિતા વિગેરેએ ઘણું સમજાવ્યું, છતાં પણ પૂર્વનાં દુષ્કર્મથી પ્રેરાએલ તે પુત્રે “કૃપણને ધન છોડવાની જેમ મુશ્કેલ બનેલ” જુગારનું વ્યસન છેડયું નહિ. કમે વિટજને વિગેરેની સેબતે વેશ્યાનો વ્યસની પણ થયે. અહા દેષિત પ્રાણીની કેવી પતનશીલતા? “ધનરૂપી ધીની આહુતિના પૂરણથી વ્યસનરૂપી અગ્નિ અધિક વધે છે અને દારિદ્યરૂપી જલથી તત્કાળ શાંત થાય છે એ પ્રમાણે પિતા જાણતા હોવા છતાં “પુત્રને દુઃખ ન થાવ' એ હેતુથી તેને ઈચ્છા મુજબ ધન હંમેશાં આપતો રહ્યો! અહા, મેહની મૂઢતા! એ પ્રમાણે વ્યસનાસક્ત એવા તે પુત્રે ગ્રીષ્મને સૂર્ય સરોવરનાં નીરને શોષી નાખે તેમ છેડા જ દિવસમાં ક્રોડ ધન બધું જ શોષી લીધું ! કહ્યું છે કે – सेवा मुखानां व्यसनं धनानां, याचा गुणानां कुनृपः प्रजानाम् ॥ છે. ઘનgશીઢ સુતા કુટ્ટાનાં, મૂવEાતી ટિન લુટાર: +8 II અર્થ-સેવા-સુખનાં મૂળમાં, “વ્યસન”-ધનનાં મૂળમાં, “કાચના –ગુણેનાં મૂળમાં, ખરાબ રાજા પ્રજાનાં મૂળમાં અને “આચાર શ્રેષ્ઠ પુત્ર–કુળના મૂળમાં તીક્ષ્ણ કુહાડાના ઘા સમાન છે. ! ૧ એ પ્રમાણે ધન ખલાસ થઈ જવાથી ઘેરથી ધન નહિ મળવાને લીધે દુષ્કર્મથી ઘેરાએલ તે યકુમાર, કોઈ શ્રીમંત શ્રેણીના ઘેર ચોરી કરવા પેઠે ! ત્યાં તેને દુષ્ટ સર્પ એવી રીતે ડ કે જાણે તેના અકૃત્યથી લાજીને હોય તેમ તેના પ્રાણાએ તેને તત્કાલ ત્યજી દીધો ! કહ્યું છે કે-જુગાર આદિનાં વ્યસનથી આ લોકમાં ચોરીને ધંધે સૂઝે છે, ચેરીથી જીવ પણ જવાનું બને છે અને પહેલેકને વિષે અનંત દુઃખો વાળી દુર્ગતિ પણ પ્રાપ્ત થાય છે: ૧ સવારે સવંજનાએ મરણ પામેલ તે જયકમારને ધનદત્ત શેઠના પુત્ર તરીકે ઓળખે છે, એમ જાણુને રાજાએ ધનદ શેઠને પકડ્યો અને સર્વાગે ગાઢ બંધને ગાંધીને કેદ કર્યો. હજારો મનેરથી પ્રતિષ્ઠિત બનાવવા ધારેલ પુત્રનું પણ પોતાને અને પરને અહિતકારી એવું અહો દુર્વર્તન ! અથવા તો પુત્ર, મિત્ર, નેકર, બંધુ, જમાઈ, સેવક, પત્ની, શોકય જેડે ગમન, શત્રુ, પુત્રવધુ અને શિષ્ય પૂર્વ ભવના ત્રણથી પ્રાપ્ત થયા હોય છે ૧ હવે મહાજને “ધનદત્ત શેઠના પુત્રનો જ એ અપરાધ છે” એમ અતિકણે રાજાના ખ્યાલમાં લાવીને ધનદશેઠને છોડાવ્યો ત્યારથી લઈને દુખી હાલત અને અપમાન વિગેરે આપત્તિને પામેલ તે ઠ, પુત્રનાં દુશ્ચરિત્રથી ત્રાસ પામેલ હોવાને લીધે બીજા પુત્રની ઉત્પત્તિને અનિષ્ટતર માનત થકો પૂર્વનાં પુણ્યને લીધે વેપારીની કુશળતાથી વળી પાછો પહેલાંની માફક સંપત્તિ પામે, અને પ્રાપ્ત થએલ સંપત્તિની સાથે લોકોમાં મહત્વ અને રાજાની મહેરબાની પામ્ય! આથી પિતાને નવા અવતાર રૂપે માનવા લાગ્યો, પરંતુ પુત્રનું અનિષ્ટતરપણું વસી ગયું હોવાથી જ હોય તેમ તેની પત્નીને બીજે પુત્ર ન થયે. (એટલું પૂર્વની સ્થિતિમાં ઓછું રહ્યું.) તેથી પુત્રની પીડાથી રીબાતી તે ધનદત્તની સ્ત્રી પદ્માવતીએ વિચાર્યું કે મારે નહિ 1 दुर्मतिदुर्गतिदूतम् ४ । २ शोप्यते x। 3 संजातसंपत्तिसह छ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy