SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિસત્રની આ ટીકાને સરલ અનુવાદ ૧૩૯ તે નગરના રાજાએ હરિબલને રાજસભામાં બોલાવીને તેનું સન્માન કર્યું ! ખરેખર શુભના ઉદયે સઘળું જ અનુકુળ બની જાય છે. જે ૧૦૨ છે હરિબલ પણ રાજાની એવી સુંદર સેવા બજાવવા લાગ્યો કે-જેથી પિતે રાજાનું શ્રેષ્ઠ પ્રસાદપાત્ર બની ગયો ! કારણ એક જ કે-રાજસેવાને જાણનારા તે હરિબલ પાસે ખરેખર સેવારૂપ કામઘેનુ હતી ! ! ૧૦૩ શાસ્ત્રકારે પણ કહે છે કે-શૂરવીર પુરૂષ, વિદ્વાન પુરૂષ અને વસન્તશ્રી પર રાજાની અન્યની સેવાને જાણ પુરૂષ; એ ત્રણ પુરૂષો સુવર્ણનાં પુષ્પો કુદષ્ટિ, અને હરિબલને ઉગાડનારી પૃથ્વીને મેળવે છે. તે ૧૦૪ “આદર પૂર્વક ભજન હણવાને દુષ્ટ ઉપાય. કરાવવું તે સર્વ સન્માનમાં પહેલું સન્માન છે.” એમ વિચારીને રાજાએ એક દિવસે હરિબલને તેની સ્ત્રી સહિત જમવા નિમંત્રણ આપીને ભક્તિપૂર્વક જમાડ્યો! . ૧૦૫ા પરિણામ એ આવ્યું કે-હરિબલની સ્ત્રીનું અસમાન રૂપ જોઈને રાજા તેમાં લુબ્ધ બને. એટલું જ નહિ, પરંતુ (તે સ્ત્રીને મેળવવા સારૂ) હરિબલને સત્વર હણી નાખવાનો પણ વિચાર કરવા લાગ્યા ! કામીજનેનાં ચિત્તને ધિક્કાર છે. • ૧૦૬ રાજાના આ ખરાબ ઉદ્દેશીને મંત્રી સમજી ગયા હોવા છતાં પણ તેણે રાજાને તે અશુભ આશયથી અટકાવ્યું તે નહિ, પરંતુ હરિબલને વધ કરવાની બુદ્ધિ આપીને તેમાં ઉત્તેજીત કર્યો! ૧૦૭ ધિક્કાર છે કે–સ્વામીને પ્રસાદ જ મેળવવાની તછ આશાથી દરાશથી મંત્રીઓ, તુચ્છ આશાને પણ પિષે છે. ખરેખર, તેઓ આ લોક અને પરલેકને વિષે તેનાં કળ તરીકે ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અનર્થની પરંપરાને પણ વિચારતા નથી! છે ૧૦૮ કહ્યું छे है-सर्वत्र सुलभा राजन् ! पुमांसः प्रियवादिनः ।। अप्रियस्य तु पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभः॥ અર્થ:-હે રાજન્ ! મીઠું બોલનારા પુરૂષો સર્વત્ર મળી આવવા સુલભ છે, પરંતુ હિતકારી એવું અપ્રિય-કટુ બોલનાર અને તેને સાંભળનાર એક પુરૂષ પણ મળવો મુશ્કેલ છે. ૧૦૯ હવે તે મંત્રીની બુદ્ધિએ રાજા, રાજસભામાં બેઠો થકે આ પ્રમાણે છે કે- મારા પુત્રને વિવાહ મહોત્સવ સર્વ મહોત્સવ કરતાં અતિ ઉત્કર્ષથી કરવાને ઈચ્છું છું, તેથી તે મહોત્સવ પ્રસંગે દુશ્મનો માટે ભયંકર એવા વિભિષણને આમંત્રણ આપવું છે માટે આ સભામાં એ સર્વાધિક પુરૂષ કોણ છે? કે-જે લંકા જઈ વિભિષણને અહિં સપરિવાર આવવાનું આમંત્રણ આપી આવે ? | ૧૧૦-૧૧૧ ને રાજાને તે અઘટિત આદેશ સાંભળીને સર્વ સભાજને નીચું જોઈ રહ્યું તે કપટથી રાજા, હરિબલના મુખ સામે જોવા લાગ્યા! તેવામાં દંભનો ભંડાર એવો તે મંત્રી બે-હે દેવ! આ આપના સેવકો કેવા કે-જેઓ સ્વામીના આદેશમાં આમ નપુંસકતાપૂર્ણ દેખાતા નીચું મુખ કરી બેઠા છે? / ૧૧૨-૧૧૩ / મનુષ્યને સાધ્યની સિદ્ધિ થવામાં કારણ તરીકે ચિત્તને ઉત્સાહ હોવાથી પહેલેથી જ ઉત્સાહ વગરના ૧ અહિં મૂળ ટીકામાં “પૂજ્ઞાનિકટૂમુન્નત' પાઠ નથી, પરંતુ “મૂજ્ઞાનિવૃમુનસ્' પાઠ છે તેથી તેને રાજાએ હરિબલને જમાડ્યો' એવો સ્પષ્ટ અર્થ થાય છે; છતાં તે પૂ. ઉપાશ્રીએ અનુવાદમાં ‘હરિબલે રાજાને જમાડ્યો' એ અર્થ કેમ કર્યો હશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy