SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ દિત્તુસૂત્રની આદેશ ટીકાના સરલ અનુવાદ ગાથાર્થ:( ખાર વ્રતના સારરૂપ આ) પહેલા અણુવ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાત ( ત્રસજીવની હિંસા )ની કરેલ વિરતિથી ( માંડીને-તે વિકૃતિમાં વર્તતા થકા ) પ્રમાદના યાગે અપ્રશસ્તભાવમાં વત્તતાં પ્રાણાતિપાતની વિરતિને વિષે જે કાંઇ વિપરીત આચરણ કર્યું. હાય. (તે આ નીચે જણાવાતા · નવમી ગાથાની વૃત્તિના ' ભાવાર્થ માં સવિસ્તર જણાવાય છે. ) ॥ ૯ ॥ ' 3 ૧૮ વૃત્તિનો માયાર્ચ:-પ્રાણીના વધ-હિંસા, ૨૪૩ પ્રકારે થાય છે. કહ્યું છે કે:-મૂત્રનળાનિહ॰ "શા શીરે પરા અથ:-પૃથ્વી-અપ્-તે-વાયુ-વનસ્પતિ એ પાંચ સ્થાવર, બે ઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-એ ત્રણ વિકલેન્દ્રિય અને એક પંચેન્દ્રિય મળીને જીવા, નવ પ્રકારના હાવાથી તેની હિંસાના નવ પ્રકાર થયા: તેને મન-વચન અને કાયાથી કરવાના ત્રણ પ્રકારે ગુણતાં હિંસાના ૨૭ પ્રકાર થયા: ॥૧॥ તે ૨૭ ને કરવી-કરાવવી અને અનુમેદવી એ ત્રણ પ્રકારે ગુણતાં હિંસાના ૮૧ પ્રકાર થયા, તે એકાશી પ્રકારને ભૂત-ભવિષ્ય અને વમાન એ ત્રણેય કાળે કરવાના ત્રણ પ્રકારે શુષુતાં પ્રાણીવધના-હિંસાના ૨૪૩ પ્રકાર થાય છે. ॥૨॥ અથવા બીજી રીતે દ્રવ્ય અને ભાવ એ બે ભેદ દ્વારા હિંસાની ચતુર્ભેગી થાય છે. અને તે આ પ્રમાણે -( ૧ ) ‘હું-શું’ એવા પિરણામવાળા પારધિને હરણના વધમાં દ્રવ્યથી હિંસા અને માત્રથી દ્વિલા, ( ૨ ) ઈયોસમિતિમાં ઉપયોગવાળા મુનિરાજને ( વિહાર કરવા- નદી ઉતરવી–કાજો લેવા-પાતરાં રંગવાં વિગેરે કાર્યમાં પ્રાણીની જે હિંસા થાય તે દ્રવ્યથી ( સ્વરૂપ ) હિંસા અને માયથી હિંસા નહિ, [ આ સંબંધમાં આગમ વચન છે કેबज्जेमित्ति परिणओ, संपत्तीए विमुचर वेरा | अवहंतो विन मुंचइ किलिङ भावोऽइवायस्स ॥ १ ॥ અર્થ:- હિંસાને હું વત્તું ' એવા પરિણામવાળા જીવ સંપન્ન = હિંસા સંપ્રાપ્ત થયે સતે ( અનાભાગે મરનાર જીવના ) વૈરથી મૂકાય છે, અને ‘ વાચહ્ન િિદુમાવો ’–પ્રાણીની હિંસાના ક્લિષ્ટ પરિણામવાળા જીવ, પ્રાણિની હિંસા ન કરતા હોય તેા પણ બૈરથી છૂટતા નથી; અર્થાત હિંસાકારી બને છે. ॥૧॥ તથા (૩) અંગારમક નામના આચાર્યે રાત્રે પગતળે કચકચ અવાજ કરતી કોલસાની ભૂકીનું કીડાની બુદ્ધિથી મર્દન કર્યું, તેમાં અથવા મન્દ પ્રકાશમાં દારડીને સર્પની બુદ્ધિએ હવામાં માવથી દ્વિત્તા અને દ્રવ્યથી હિંસા નહિ, અને (૪) મન-વચન અને કાયાથી ક્ષુદ્ધ ચારિત્ર પાળતા મુનિરાજને દ્રવ્યથી પણું હિંસા નહિ અને માવથી પણ હિઁત્તા નહિ: અથવા ત્રીજી રીતે પ્રાણિવધ [શ્રાવકને સવા વિશ્વા (વસેા) દયાના હિસાબે ] ખએ પ્રકારે છે. શ્રાવકની સવા વિશ્વા દૈયા સબંધમાં કહ્યું છે કે— धूला मुहुमा जीवा, संकप्पारंभओ भवेदुविहा । सावराहा निरवराहा, साविक्खा चेत्र निरविक्खा ॥ १ ॥ વ્યાખ્યા પ્રાણીના વધ, સૂક્ષ્મ અને સ્થૂલ એ બે ભેદથી એ પ્રકારે છે. તેમાં ‘જૂજ ’ એટલે એઇન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય સુધીના જીવો સમજવા, અને ‘સૂક્ષ્મ' એટલે જેઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy