SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી શાદ્ધપ્રતિકમણ-વત્તિસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ નાનાં બાળકનાં વિવાદિથી પણ ખરડાઈને મલીન થએલાં કપડાં, રજસ્વળા કે સુવાવડી સ્ત્રીએ વાપરીને મલીન કરેલાં કપડાં તેમજ નાનાં વાછરૂ કે બળદ આદિને ગુલ આદિ તરીકે ઓઢાડેલાં મલીન થએલાં કપડાંને પરિકમિત ક્યાં-ધોઈને સારાં કર્યો અને સુકવ્યાં એટલે પવિત્ર માનીને વપરાય છે. તેમજ કોશેટાનું બનતું રેશમી વસ્ત્ર, અનેક સુકાં-લીલાં લાકડાં આદિને વેરી નાખનારી કરવત, ચામડાનાં કુડલાં, પગરખાં, મજબુતી માટે વરૂના સ્નાયુથી જેના ખૂણા બાંધવામાં આવે છે તે સુપડાં, તલવાર-છુરીજમીયો વિગેરે રાખવાનું ચામડાનું મ્યાન, હાથીનાં દાત, શ્રીકરી, ચમરી ગાયના વાળનાં ચામર, ઘેટાંના વાળની કંબળ વિગેરે ગ્રહણ કરવામાં પવિત્રતાને જ વ્યવહાર કરાય છે. કસ્તુરી, જબાધિ, પોહસક, ગેરેચન, નખનો ધૂપ, અશુચિવાળાં સ્થાનમાં ઉગતા કેવડાનાં પાન- કેવડે, અર્થ વિગેરેનાં પાન વિગેરેને ભેગા કરવામાં પણ પવિત્રતાને જ વ્યવહાર કરાય છે. તેમજ ગમે તેવા” ગમે તેણે વાપરેલા” અને ગમે તે કાર્ય માટે વાપરેલા” એવા અનેક શુદ્ધાશુદ્ધ સ્થાને બેસવા ઉઠવા-જવા-આવવામાં મંત્રાદિની સાધના માટે સ્મશાન જવામાં, સુવર્ણપુરૂષ બનાવવા કે પરકાયપ્રવેશાદિ માટે મુડદાંને અડકવામાં, મૂત્ર વિગેરેને ખેંચી લાવતા નદી વિગેરેના જળમાં સ્નાન કરવામાં અને તે જળને પીવા વિગેરેમાં દરેક ઠેકાણે પવિત્ર પણાને જ વ્યવહાર કરાય છે. [ મતલબકે-જે શૌચથી જનતાનો “આ લોક અને પરલેક સંબંધીનાં હિતકારી કાર્યોને વ્યવહાર અટકે તે શૌચ, શૌચ નથી પરંતુ બ્રમણા છે.] આ માટે મનુસ્મૃતિમાં કહ્યું છે કે-કથા મોરાને છૂટાચં વાય! મા તેનૈવ સુદ્ધત્તિ पक्वेष्टकचितानि च ॥ १॥ मक्षिकाविप्लुषं ५ छाया, गौरश्वः सूर्यरश्मयः । रजो भूर्वायुरनिश्च, स्पर्शमेध्यानि निर्दिशेत् ॥ २ ॥ અર્થ :-- અંત્યજ અને કાગડાઓએ સ્પર્શેલ રસ્તામાં કાદવ, પાણી અને પાકી ઈંટને ખડકેલ ઢગલે વિગેરે પવન સ્પર્શે એટલે પવિત્ર જ માનવા. આ ૧. માખીનું થુંક, ચડાય તેવા માણસને પડછાયે, ગમે તેની ગાય, ગમે તેને અશ્વ, ગમે તેને સ્પશીને આપણી પર પડતા સૂર્યનાં કિરણે, ગમે તેણે લાવેલ ધૂળ, ગમે તેની જમીન, ગમે તેને સ્પશીને આવતે વાયુ અને ગમે તેને અગ્નિ વિગેરે સ્પર્શ પવિત્ર જણાવ્યા છે. ૨ મિતાક્ષર સ્મૃતિમાં પણ કહ્યું છે કે– पन्थानश्च विशुद्धयन्ति, सोमसूर्याशुमारुतैः । स्मश्रु चास्यगतं दंतं, सिक्यं त्यक्त्वा ततः शुचिः ॥ १॥ શીંગડાની કાંચકી, અરબસ્તાની બીજાને મેલ, (કે જે પેટ ઉપર ચોપડવાથી પેશાબ છૂટે છે.) ૨ આઠ દિવસની અંદરના ગધેડ (ખોલકા ના મળ લીંડા છે કે-જે નાનાં બાળકને મુખમાં ચોપડવાથી આવી ગએલું મોટું સારું થાય છે. આ “ જબાધિ અને પોલીસક” શબ્દ અરબસ્તાનમાં તે તે ઉપયોગમાં વપરાય છે. ૩ ઘેડાના નખનો ધુમાડો ભરાઈ ગએલાં બાળકને આપે છે, રૂપું ઘડતાં ફાટી જતું હોય તે તેને મસમાં નાખીને ઉકાળતી વખતે મનુષ્યના નખ નાખવામાં આવે છે. ૪ કલેક ૧૭૩ અને યાજ્ઞવલ્કય સ્મૃતિ દ્રવ્યશુદ્ધિ પ્રકરણ ૧૪૭. ५ पच्छाया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy