SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિવની આદર્શ ટીકાને સરલ અનુવાદ કરણ અને અપૂર્વકરણ હોય છે, અનિવૃત્તિકરણ હોતું નથી તેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ તે બે કરણ હોય છે, અનિવૃત્તિકરણ હોતું નથી. કારણ કે-અપૂર્વકરણને કાલ સમાપ્ત થયા પછીના પ્રથમ સમયે જ તે જીવને દેશવિરતિ અથવા સર્વવિરતિને સદ્દભાવ છે. જ્યારે કમ્મપયડીની ટીકામાં જણાવેલ છે કે-“દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યા બાદ છ–અંતર્મુહૂર્ત સુધી અવશ્ય વધતી વિશુદ્ધિમય પરિણામદેશવિરતિ સર્વવિરતિ- વાળો રહે છે. ત્યાર બાદ તે તેવો નિયમ નહિ એટલે કે તે ની પ્રાપ્તિ અને પતનને પછી કઈ જીવ વધતી વિશુદ્ધિમય પરિણામવાળો હોય અથવા આ વિધિ તથાવસ્થિત પરિણામવાળ પણ રહે છે! વળી જે અનાગે (પ્રગટ ઉપયોગ વિના જ) કઈ પ્રકારે પરિણામ ઘટી જવાથી દેશ વિરતિ કે સર્વવિરતિથી પડયા હોય, તે છે કરણ કર્યા વિના જ પુનઃ દેશવિરતિ કે સર્વ વિરતિને પામે છે. અને જે જીવો આભેગથી (ઈરાદાપૂર્વક) શુભ પરિણામથી પડયા હોય અને ઈરાદાપૂર્વક મિથ્યાત્વ પામ્યા હોય તે જ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઘણે કાલ ગયા બાદ (આગળ કહ્યું છે તે રીતે) કરણ કરીને જ વિરતિપણું પામે.” સિદ્ધાંતના મતે-સમ્યક્ત્વની જેણે વિરાધના કરી હોય તેવો કોઈ સમ્યકન્વી જીવ [ સમ્યકત્વ વિરાધ્યું હેવાના કારણે ] સમ્યકત્વ સહિત છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય છે.” અને કર્મગ્રન્થકારના તે તે જેણે સમ્યકત્વ ગ્રહણ કર્યું છે તે સમ્યકત્વવાન જીવે [ સમ્યત્વ વિરાધ્યું હોય તે પણ ] વૈમાનિક સિવાય બીજે ઉત્પન્ન થતું નથી. ' કમગ્રન્થકારના તે મત પ્રમાણે પ્રવચનસારદ્વારની વૃત્તિમાં કહ્યું છે. વળી કર્મગ્રન્થકારના મતે સમ્યક્ત્વ પામીને મિથ્યા– ગએલો જીવ ઉત્કૃષ્ટ સ્થિતિની કર્મપ્રકૃતિઓને બાંધે, અને સિદ્ધાંતના મતે તે ન્થિભેદ કરેલ છવને કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને પુનઃ બંધ ન જ થાય. પાંચ પ્રકારનું સમ્યકત્વ તે સમ્યત્વ, “ઉપશમ-ક્ષાયિક-પશમ-વેદક અને સાસ્વાદન’ એમ પાંચ પ્રકારે છે. તેમાં વપરામ સભ્યa મિથ્યાત્વરૂપ દર્શનમોહનીયને ઉપશમાવવાનાં સ્વરૂપવાળું છે, અને ગ્રથિભેદ કરનાર (અનાદિ મિથ્યાદષ્ટિ) ને અથવા ઉપશમશ્રેણી આરંભનારને હેય છે. રક્ષા સથવ-(અનંતાનુબંધી કષાયની ચેકડી અને) દર્શન મેહનીય તરીકે ગણાતા સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ત્રણ પુંજ મળીને થતા દર્શન સપ્તકને સમસ્ત પ્રકારે ક્ષય કરનારને અને એણિ સ્વીકારનારને હેય છે. ક્ષાર સભ્ય-ઉદયમાં આવેલા મિથ્યાત્વમેહનીય પુંજના પુદ્ગલેને વિખેરી નાખવાથી તેના ઉદયને ક્ષય કરી નાખવાથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વમોહનીયને ૧ કમ્મપયડીમાં “સખ્યત્વથી પડીને મિથ્થા ગએલ છવ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પરતુ ઉત્કૃષ્ટ રસ ન બાંધે એમ તે કહ્યું જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy