SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૨ શ્રી શાહપતિકમણ-વકિસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ એટલે વિનયી એવા વિજયકુમારે (પિતાના વડીલભાઈને જ પિતાનું રાજ્ય યોગ્ય છે, એમ ધારીને) જયકુમારને રાજ્ય આપવાનું કહેવાથી રાજયને ભાર જયકુમારને સેંપીને (એવી આનંદની પળે પણ) આશ્ચર્ય છે કે-રાણી સહિત રાજાએ જલ્દી મુક્તિ મેળવવા માટે તીવ્ર એવા વ્રતભારને ધારણ કર્યો!-દીક્ષાનું કડક પાલન આદર્યું! ! ૨૯૦ (નાનાભાઈનાં તે વર્તનથી પિતાનું રાજ્ય પિતે સ્વીકારે તેમાં નાનો ભાઈ વિજયકુમાર પિતાના રાજયથી વંચિત રહે છે તે ઠીક નહિ લાગવાથી) મહાન આશયવાળા જયકુમારે મટાભાઈએ) તે રાજ્યને ભાર ત્રીજાને જ-કુટિલ અપરમાતા શ્રીમતીના પુત્ર નયધીરને જ સેંગે ! અને પોતે “વાસુદેવની પાસે મોટાભાઈ બળદેવ રહે તેમ' કાયમને માટે નાનાભાઈ વિજયકુમારની પાસે જ રહેવાનું રાખ્યું. ભરવા વિજયકુમારને દિગવિજય. એમ થતાં વિજયકુમાર “પિતાનાં રાજ્યના જયવાળો અને મોટાભાઈ જયવાળેએમ બે પ્રકારે જયવંત બને! આથી દિગવિજય કરતાં વિજયકુમારે “યેગી, મન, વચન અને કાયાના ત્રણ વેગને સાધે, તેમ” પૃથ્વીના ત્રણ ખંડ સાધ્યા ! ર૯રા ત્યારબાદ વિજયકુમાર પિતાના નામથી વિજ્યાપુર તરીકે ખ્યાતિમાં આવેલા કામપુર નગરે આવે, અને ત્યાં તેણે વાસુદેવની માફક ત્રણ ખંડના રાજાઓની સેવા ઝીલતા રહીને ઘણુ કાળ સુધી રાજ્ય કર્યું. ર૯૩ એ પ્રમાણે દરેક ઉદાત્ત ચરિત્ર વડે જે વિજયકુમાર, યુધિષ્ઠિર છે-ભીમસેન છે અને અર્જુન છે! તે પણ આશ્ચર્યની વાત છે કે-તે ત્રણેયને જેમ વાસુદેવ કુષ્ણમાં પ્રીની હતી તેમ આ વિજ્યકુમારને ક્યારેય પણ કૃષ્ણમાં પ્રીતિ ન થઈ! (અર્થાત્ તેને એક શ્રી જિનેશ્વર દેવમાં જ પ્રીતિ હતી.) ર૯૪ એક વખતે જિનકલ્પી મુનિની જેમ એકલા વિહાર કરતા વિજયકુમારના પિતા તે કામપુર નગરે પધાર્યા કામપુરે પધારેલા પિતા અને ત્યાં તે પિતા મુનિશ્રી ધર્મરાજર્ષિને કેવલજ્ઞાન થયું ! મુનિ ધર્મરાજર્ષિને કેવલ એટલે તેજવડે સૂર્ય શેભે તેમ તે મહામુનિ કેવલ લક્ષમીથી જ્ઞાન અને જય વિજયનાં શોભવા લાગ્યા. રલ્પા ( આ પ્રમોદરાયી સમાચાર જાણીને) * પૂર્વભવનું પ્રકાશન, જય અને વિજયકુમારે પિતાની સ્ત્રીઓ સહિત ત્રાદ્ધિપૂર્વક આવીને મહાન કેવલી ભગવાનને વંદન કર્યું. (અને ઉચિત સ્થાને ઉપદેશ સાંભળવા બેઠા.) ઉપદેશને અંતે કુમારે પૂર્વ ભવ પૂગે, એટલે કેવલી ભગવંતે જણાવ્યું કે-૨૯૬ો “ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંતપ્રે મવાળા ભૂતકાલથી જરી - પૂર્વભવથી જ જાણે ઋદ્ધિના સ્વામી ન હોય તેવા ભરપૂર વૈભવથી શેભતા ભાનુ અને ભામ નામના બે ભાઈઓ હતા. ર૯ળી એક વખત માતપિતાના શ્રાદ્ધને દિવસે ખીર વટલાવનારી કૂતરીને તેઓએ મારી, તેથી કેડ ભાંગી જવાને લીધે તે કૂતરી ત્યાં–તેનાં ઘર આંગણે જ પડી. ૨૯૮ છે તેવામાં તેને ઘેર પાણી વહેતાં થાકેલ અને સુધાથી પીડિત એ એક પાડે આવ્યા, અને તે કૂતરીની સાથે પિતાની ભાષામાં ઊંચે સ્વરે વાત કરવા લાગે! પરા १ धर्मसूनुर्भीमसेनः ४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy