SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદશ ટકાના સરલ અનુવાદ ખરેખર જીવાડી બતાવી હોવાથી વામનને પહેલાં તિરસ્કાર કરનારા અને મશ્કરી કરીને ટીંબળ મચાવનારા સર્વે લોકે તે વખતે આશ્ચર્યચકિત થવા પૂર્વક આલ્હાદ પામ્યા અને તેવા અતિ શ્યામ અને વામન રૂપધારી કુમારને રાજાએ હવે તો રાજકુમારી આપવી જ પડશે એ જોઈને ખેદ કરવા લાગ્યા. ૧૭૫. અહિં રાજા પણ વિચાર કરે છે કે- જેને મારે કન્યા આપવાની છે, તે ગુણવડે કરીને સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ એવા આ ઉત્તમ પુરુષમાં શામલત્વ –વામનત્વ વિગેરે દે સંભવતા નથી છતાં તે દેશે કયાંથી? ખરેખર! રત્નદ્રષક એવા દેવ-કમને ધિક્કાર છે. જે ૧૭૬ છે અથવા અત્યારે આવી નકામી ચિંતારૂપ વેલડી-પરંપરાથી શું? વિધિનું કરેલું અને મહાત્માનું બેલેલું મિથ્યા ન થાય માટે “આ પુરુષરત્નના બીભત્સ વર્ણ અને રૂપ જોઈને કન્યાને થતો ખેદ, કન્યાની માતા વિગેરેને તે શેક, (પોતાનાં વચન મુજબ વામનને પોતાની કન્યા આપવી જ પડવાની, રાજાને પણ ઠીક મુશીબત આવી છે, એ વિગેરે પ્રકારની) દુષ્ટ વિચારણવાળા દુર જનેને થતો હર્ષ અને (રાજાએ ભલે તે પટ વજડાવ્યો અને આ વામને પણ ભલે તે પહ ઝીલીને રાજકન્યાને જીવતી કરી, પરંતુ તેથી શું? એટલા ખાતર આ દેવકન્યા જેવી રાજકન્યાને રાજા, શ્યામાતિશ્યામ અને બટુકરૂપધારી એવા આ વામનને આપે છે તે શું શેડી અવિચારિતા છે? ઈત્યાદિ) લેકમાં ફેલાએલા અવર્ણવાદ વિગેરેને અવગણીને ” મારી આ કન્યા હું કુમારને આપું. ૧૭૭–૧૭૮ છે એ પ્રમાણે વિચારીને રાજા જેવામાં વામનને કન્યા આપે છે તેવામાં વામન તે પિતાના કુબડાપણા પ્રત્યેના અભિમાનને નરમ કરતો અને કમળ વચન ઉચ્ચારતે કહેવા લાગ્યું કે “હે રાજન્! હે બુદ્ધિમાનમાં અગ્રણી ! પોતે કન્યા લેવી યુક્ત ખેદની વાત છે કે-કાગડાને હંસી આપવાની જેમ હીણ રૂપ નથી માટે પિતાને કન્યા અને અંગવાળા મને આવી સ્વરૂપવતી કન્યા કેમ આપે છે? નહિ આપવાને વામને છે ૧૭-૧૮૦ છે વળી કદાચિત્ તમારી પ્રતિષ્ઠા સાચવવા તમે રાજાને કરેલે આગ્રહ! મને કન્યા આપશે તે પણ તે રાજકન્યા જ મારો કેવી રીતે સ્વીકાર કરશે ? અથવા તો અત્યંત અનુચિત એવું આ કાર્ય લેકની સંમતિવાળું પણ કેવી રીતે બનશે ? છે ૧૮૧ એ કહ્યું છે કે यद्यपि न भवति हानिः, परकीयां चरति रासभे द्राक्षां ॥ वस्तुविनाशं दृष्ट्वा, तथापि परिखिद्यते चेतः ॥१८२॥ * અર્થ –“જો કે પારકી દ્રાક્ષ ગર્દભ ખાઈ જતો હોય તેમાં પિતાને કાંઈ જ હાનિ નથી છતાં વસ્તુને વિનાશ જોઈને મનમાં ખેદ તે થાય.” છે ૧૮૨ છે તે માટે તમે તમારી પ્રતિષ્ઠા ખાતર પ્રતિજ્ઞા મુજબ તમે મને કન્યા આપે તે પણ મારે માટે તે કન્યાને સ્વીકાર યુક્ત ન. પછેડીના પ્રમાણમાં જ પગ લાંબા કરવા (પછેડી એટલી સેડ કરવી) તે ઉચિત છે. અથોતં-હું કદરૂપ અને કુજ છું અને દેવી સ્વરૂપ કન્યાને સ્વીકારું તે મને ઉચિત લાગતું નથી.! ૧૮૩ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy