SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ:ટીકાને સરલ અનુવાદ ૪૯ મણી જ ગયે એટલું તો-મારે માટે ડું જ થયું છે. આવી અકાના ઘરમાં હું હજુ પણ કેમ રહ્યો છું? ૧૦૦ [ અથવા તો જે કામલતાના રાગથી ઘરમાં રહું તો જેટલું ધન આપતે તે બધું જ ધન કામલતા તે અકક્કાને આપી દેતી હતી, તેથી] કામલતાના ઘરમાં પિસા નથી! તો અમે બંને જણે, માણસોને શું આપી શકીએ? હા. હવે હું શું કરું? દરિદ્ર જે હું દુઃખને કેમ ધારણ કરીશ? ૧૦૧ . એ પ્રમાણે “વૃક્ષના કેટરમાં લાગેલા અગ્નિની માફક” અંતરમાં સળગી રહ્યો હોવા છતાં પણ કામલતા પ્રત્યેની આસક્તિને લીધે જયકુમાર કામલતાને ત્યાં રહે તેમજ રહેવા લાગ્યો! અહો! અક્કાએ દાસીદ્વારા કરા- વ્યસન! ૧૦૨ . આ પછી અકા નિધન બનેલા તે જયવેલ તિરસ્કારથી જય- કુમારને વિસર્જન કરવા માટે કામલતાને ઘણું ઘણી રીતે પ્રેરવા કુમારનું ખાલી ઘરમાં લાગી ! વેશ્યાઓને (પ્રેમ રૂ૫) ઉપાધિ વગરને આ ધર્મ છે! ચાલ્યા જવું. કારણ કે-રાગીજનોને વૈભવ, અકુલીન નારીને ચાલાકી બીજા દરેક વ્યવહારુ માનવોને દાક્ષિણ્યતા અને કુલ નારીઓને પ્રેમ અમૃત સમાન છે, પરંતુ વૈરાગી જનેને વૈભવ, કુલીન નારીને પરને આવજવાની ચાલાકી, વણિકને દાક્ષિણ્યતા અને વેશ્યાને પ્રેમ વિષ સમાન છે.” • ૧૦૩-૧૦૪ . આ પ્રમાણે અકા, જયકુમારને રજા આપવા મથે છે, છતાં જયકુમારના ગુણોથી આકર્ષાએલી, એવા ગુણીયલ પુરુષ પ્રતિ પણ અક્કાનાં એવાં નિદ્ય કર્મપ્રતિ તિરસ્કારવાળી અને જયકુમાર પ્રત્યે અત્યંત પ્રેમવાળી કામલતા, તે અધમ અકકાને-માતાને કહે છે કે-હે માતા ! આપણું મહાન પુણ્ય વડે વિદેશથી આવેલા આ પુરુષે આપણને કેડાછેડી સુવર્ણ આપ્યું છે, તે તેવા પુરુષને કેમ ત્યજાય? ( ૧૦૫-૧૬ II કામલતાએ અક્કાને એ પ્રમાણે કહ્યું છતાં પણ અવિવેકી અળાએ દાસીદ્વારા જયકુમારનો તિરસ્કાર કરાવ્યો ! ખરેખર ! વેશ્યાને વશ પડેલાઓને વિડંબના જ હોય છે. | ૧૦૭ | અક્કાએ આવી ખરાબ રીતે તિરસ્કાર કરવાથી અભિમાન કરીને અક્કાના ઘેરથી જેમ દરિદ્ર નીકળી જાય તેમ નીકળીને લજજા-ખેદ વિગેરે ધરતો જયકુમાર પિતાને કઈ દેખે નહિ એ આશયથી માણસ માનવીના અભાવવાળું ઉજજડ ઘર શોધીને તેવા શૂન્ય ઘરમાં ગયે. ૧૦૮ જયકુમારનું એજ નગરની રાજકન્યા સાથે પાણિગ્રહણ આ બાજુ તે જયાપુરી નગરીના રાજાની પુત્રી, સખીઓની સાથે રમવાને જેટલામાં હંસીની જેમ” નદીમાં ઉતરે છે, તેટલામાં તે દુષ્કર્મોદય રૂ૫ દુષ્ટ પિશાચના દેષથી જાણે મરણ પામી હોય, તેવી ચેતનાહીન થઈને “કાપેલી વેલડીની જેમ” નદીના કિનારે જ ઢગલો થઈને પડી ગઈ છે ૧૦૯-૧૧૦ છે “કુંવરીની નદીકિનારે આવી ક સ્થિતિ થઈ ” એમ -જાણીને ખેદને ધારણ કરવાવાળા રાજા ત્યાં આવીને અને તે હાલતમાં પિતાની પુત્રીને મહે. લમાં લઈ જઈને પુત્રીને થયેલા દેષને દૂર કરવા વિવિધ ઉપાયે કરાવે છે, પરંતુ વજમાં જેમ ટાંકણાને એક ટોચી પણ ન લાગે તેમ” માંત્રિકાદિના મહિમાથી કન્યાને કઈપણ ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy