SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ગરમ કપડું સાધુ પાસેથી માંગે. જે શ્રાવક પિતાને ઘેર સામાયિકાદિ કરે તે (નિત્યદર્શન માટે કે- સાધુજી અચાનક માગે ત્યારે તુરત પડિલાભવા માટે કે-સંસારને મેહ ઉતરે તે જ પળે ચારિત્ર ગ્રહણ કરી લેવા માટે શ્રાવકે પ્રથમથી જ વસાવી રાખેલ) તે ઔપથહિક રહરણ (તેને ઘેર) હોય છે અને તે પણ ન હોય તે વસ્ત્રના છેડાથી પૂજે પ્રમા. શ્રી અનુગદ્વાર સૂત્રના તે પાઠમાંના તે સવિતરણ પદ ઉપરથી શાસકારે અહિં એ વાત સિદ્ધ કરી આપી કે-શ્રાવકે સામાયિકમાં ચરવળ-કટાસણું-મુહપત્તિ વિગેરે ધર્માપકરણ રાખવાં જ જોઈએ. આ સંબંધમાં શેષ યુકિતઓને વિસ્તારો પૂજ્ય આચાર્ય શ્રી કુલમંડનસૂરિજી અને પૂ. આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજીએ રચેલા શ્રી સિદ્ધાત આલાપક તેમજ શ્રી વિચાર સંગ્રહ નામના ગ્રંથથી જાણવે. સામાયિકમાં ધર્મોપકરણ રાખવાનું સૂચવનારા એ પાઠો પ્રમાણે સામાયિક કરવા સારૂ ચરવળે અને મુહપત્તિ ગ્રહણ કરેલ છે જેણે એ સુશ્રાવક, “નોરમા ! કવિતા इरियावहियाए न कप्पइ चेव किंचि चिइबंदणसज्झाणाइअं काउ' इत्यादि श्री महानिशीथवचनात् 'ईर्यापथप्रतिक्रमणमकृत्वा न किंचिदन्यत्कुर्यात् तदशुद्धापत्ते' रिति हारिभद्रदशवैकालिकवचनाच्च पूर्वमीर्यापथिकी प्रतिक्रम्य०' હે ગૌતમ! “ઇરિયાવહિયં પડિકમ્યા વિના ચૈત્યવંદન-સ્વાધ્યાય-યાન વિગેરે કાંઈપણ કરવું ક જ નહિ” એ પ્રમાણે શ્રી મહાનિશીથ સૂત્રનું વચન હોવાથી તેમજ “અનુષ્ઠા. નમાં અંશુદ્ધતાની આપત્તિ આવતી હોવાથી ઈરિયાવહિયં પડિકમ્યા વિના બીજું કઈપણ અનુષ્ઠાન કરવું જોઈએ નહિ” એ પ્રમાણે હારિભદ્રીય દશવૈકાલિકનું વચન હોવાથી પહેલાં ઈરિયાવહિયં પડીક્કમીને સમ્ય વિધિવડે ગુરૂ વિગેરેની સાક્ષી પૂર્વકનું સામાયિક લઈને માયરહિતપણે છ પ્રકારના આવશ્યક લક્ષણવાળું પ્રતિક્રમણ કરતે (પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક શરૂ કરતી વખતે) “ડાબે ઢીંચણ નીચે કરીને અને જમણે ઢીંચણ ઉંચે કરીને વંદિત્તસૂત્રને સમ્યક પ્રકારે ભણે” એમ શ્રી યતિદિનચર્યામાં કહેલું હોવાથી અને “વંદિધુસૂત્ર ભણવા બેઠેલને આ વિધિ છે કે–એક સાથળને ભૂમિ ઉપર બરાબર સ્થાપીને અને બીજા સાથળને ઉંચે કરીને બેસે’ એ પ્રમાણે શ્રી આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનના ચોથા ઉરેશાની વૃત્તિમાં કહેલું હોવાથી એ વિધિપૂર્વક બેસીને (સૂત્રની આદિમાં) મંગલ નિમિત્તે પ્રથમ એક નવકાર ભણે, ત્યારબાદ “મારે આ પ્રતિક્રમણ સમભાવમાં રહીને જ કરવાનું છે એમ જણાવવાને માટે રોમ મંતે ! સામારૂ સૂત્ર બેલે. ત્યારબાદ સામાન્યપણે દિવસ સંબધી લાગેલા એકસેને વિશેય અતિચારેને ઓઘિકપણે પડિકમવાને માટે “રૂઝામિ વિવામિર્ક વો મે રેવતો ગયા' સૂત્ર ભણે ત્યારબાદ વિશેષથી અતિચારે પડિકામવાને માટે શ્રી અનુગદ્વાર સૂત્રમાં સૂત્રોચ્ચારની બાબતમાં જણાવેલ અખલિત-અમિલિત-અવ્યત્યાગ્રેડિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy