SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ૯ અંતે” એટલે કે-(સામાયિકાદિ ધમાંનુષ્ઠાન કરવા સાધુ સમીપે આવેલ શ્રાવક, સાધુ પાસે વધારા તરીકે રહેતી ઔપગ્રહિક ઉપધિમાંના) રજોહરણ કે નિશીથીયું-ઘા ઉપર વીંટવાનું ૧ સ્થવિરકલ્પી મુનિરાજેને બે પ્રકારની ઉપધિ હોય છે. એક ઓધિક અને બીજી પત્રક સંયમના પાલનમાં સહાયકારી એવાં નિત્ય વપરાશનાં-રજોહરણ, નિશીથીયું, કાંબળ, સંથારે, બે કપડાં, બે ચળપદા, ઉત્તરપટ્ટો, ગુચ્છા, પલાં વિગેરે ઓધિક ઉપાધિ ગણાય છે અને અપ્રાપ્ય-પ્રાપ્ય આદિ પ્રસંગે સાધુઓને જરૂર પડ્યે ઉપયોગ કરાવવાની ફરજ બજાવવા સમુદાયના નાયકે જે વધારાની ઉપધિને સંગ્રહી રાખે તે ઈત્યાદિ ઔપગ્રહિક ઉપધિ ગણાય છે. શ્રી આચારાંગ સૂત્રમાં સાંધનાં કપડાં બાબત પ્રરતાવ છે, ત્યાં જીનકલ્પિ-સ્થવિરકહિ૫-નાતક- નિન્ય આદિ દરેક પ્રકારના સાધુને આશ્રયીને સાધુને ચાર કપડાં રાખવાનું ઓધિક કથન છે, તેમ શ્રી નિશીથચૂર્ણિ શ્રી ઘનિર્યુક્તિ વિગેરે અનેક પંચાંગીમાંના મૌલિક ગ્રંથમાં સ્થવિરકહિ૫ મુનિને આશ્રયીને ચોદ અને જરૂર પડશે એથીય ઘણાં વસ્ત્રો રાખવાનાં અનેક વિશેષ કથને પણ છે. આ શાસ્ત્રીય વચનના આધારે સાધુઓને ઓધિક અને ઓપગ્રહિક એમ બે પ્રકારે ઉપાધિ રાખવામાં કોઈપણ પ્રકારે પિતાના આચારમાં ભ્રષ્ટતા તે પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમ વર્તવામાં તેઓને શ્રી જી આજ્ઞાનું પાલન છે. આ વસ્તુને જાણવા-સમજવા છતાં જેઓ-સાધુઓએ વઘારે કપડાં રાખવાનું વિશેષ વિધાન બતાવનારા શ્રી નિર્યુક્તિ અને ચૂણિ વિગેરે પંચાંગી ગ્રંથમાંના પાઠોને રોપવે છે અને સાધુઓએ ચાર કપડાં રાખવાનું સામાન્ય વિધાન બતાવનારા એક શ્રી આચારાંગસૂત્રમાંના તે પાકને જાહેર કરીને આધુનિક મુનિવરને આચારભ્રષ્ટ ગણાવવા લાગી જાય છે, તેઓ સારી બુદ્ધિવાળા કે સદ્દઆશયવાળા નથી, તેઓ આગળ કરે છે તે શ્રી આચારાંગસૂત્રને માનવાવાળા પણ ત્યારેજ ગણાય કે-તેઓ શ્રી નિશીથચૂર્ણિધનિયક્તિ વિગેરે પંચાંગી ગ્રંથેમાંનાં વધારે કાઠી રાખવાનાં વિશેષ પાઠાને પણ માને અને જાહેર કરે.. અન્યથા તેઓ શ્રી આચારાંગસૂત્રના તે પાકને એઠે સંયમ પાળતા મુનિ બેના તેથી લેખાય તે. દીવા જેવી વાત છે. આજે અનેક બાપાએ પૂ. ત્યાગી મુનિવરોનાં પૂજા-બહુમાનાદિ જોઈને બળી ઉઠતા કયાં નથી અનુભવાતા ? શાસ્ત્રના નામે વાત કરનારાઓ જે અનેક વચનને છોડી દે અને એક વચત પકડી બેસે તો તેઓ દરેકજ શાસ્ત્રોને બેવફા ગણાય છે. સાડાત્રણસોના રસ્તવનમાં એકવચન ઝાલીને “છાંડેબીજ' લૌકિકનીતિ; સર્વવચન નિજામે છેડે, તે લોકોત્તરનીતિ ” એ ગાથા વડે મોપાધ્યાયજી, તેવા જનને લૌકિકનીતિવાળા જણાવે છે. લેકારનીતિને તેઓ પામ્યા જ નથી. એમ જણાવે છે. પંચાંગીશાસ્ત્રના આરાધક આત્માઓએ તેવા આત્માઓ જોડેના સંવાદને નિવારવો એજ માર્ગ ઉભય માટે હિતકર છે. ચૂર્ણિમાંને આ ટીકા મને પાઠ પણ “સાધુઓ પિતાની પાસે ઓપગ્રહિક-વધારાની ઉપાધિ રાખે” એમ. સચવે છે. અન્યથા તેઓ તે પઠમાંના “સામાયિક કરવા આવેલ શ્રાવકને અપગ્રહિક રજોહરણ અથવા નિશીથીયું આપવાના ” એ વચનનું પાલન શી રીતે કરી શકે ? પિતાની ઓધિક ઉપાધિમાંથી તે સાધુઓ, શ્રાવકને કે સાધુને કાંઈ આપી શકે તેમ છેજ નહિ. કારણ કે–તે ઉપધિ તે પોતાના પૂરતી જ હોય છે. * ૨ “વત્રને છેડે ” એટલે મુહપત્તિને છેડે સમજ. મુહપતિ પ્રકરણમાં પાઠ છે કે-“પુતરૂં સંતૈન આ કુત્ત' મુદત્તિના નેજા, તથા અવશ્યક ચૂર્ણિમાં પાડે છે કે-દુ વાણિીના રસન્ન પુલ મુરિસ્ક [ મ ] , પુત્રી, વજો ના શો (જુઓ. પૂ. મુનિરાજ શ્રી હંસ વિજય વિરચિત “ પ્રશ્નોનર પુષ્પમાળા' ખૂકાકાર પૃ. ૧૪ પ્રકાશક:- જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર કિમ સંવત ૧૯૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy