________________
ગ્રંથકર્તા આર્ષદૃષ્ટા મહર્ષિ હરિભદ્રસૂરિ જેગીંદ્ર જેહ જગ જાગતી જત જેવા, વગૂઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા; વાણી તણે તસ અહો! કુણ તાગ પામે? આબે શું ક૯પમ વામન વર્ગ ધામે?
–ગદષ્ટિકળશ (સ્વરચિત) - આમ જ્યાં અક્ષરે અક્ષરે શુદ્ધ ભગવદ્ભક્તિ અમૃતરસ નિર્ઝરે છે, પદે પદે જ્યાં શુદ્ધ દાર્શનિક ન્યાયની અદ્દભુત તસ્વચમત્કૃતિ દેખી વિદ્વાજને
આફ્રિીન પોકારે છે, અને સૂત્રે સૂત્રે જ્યાં પ્રવાહની ભકિતરસતરંગિણીમાં ભારતભૂષણ નિમજજન કરતા મુમુક્ષુ જોગીજનેના & જય હરિભદ્ર! જય પાકિની મહારાસનુ' લલિત વિસ્તર!” એવા સહજ ઉદ્દગાર નીકળી પડે છે,
એવા આ અપૂર્વ “લલિત વિસ્તરા” ગ્રંથનું સુવર્ણમય ઉત્તમ લલિત પદેમાં સુશ્લિષ્ટ, સુશિષ્ટ અને સુનિષ્ટ શિલીથી ઉત્તમ તવકલામય રીતે ગ્રંથન કરી જેણે અદ્ભુત ગ્રંથનિર્માણ કૌશલ્ય દાખવ્યું છે, એવા આ મહાનિથ મહામુનીશ્વર મહર્ષિ હરિભદ્રાચાર્યજી એટલા બધા સુપ્રસિદ્ધ છે કે અત્રે તેમને અધિક પરિચય આપે અનાવશ્યક છે. ભારતવર્ષના ભૂષણરૂપ આ “યાકિનીમહત્તરસૂનુ મહર્ષિ હરિભદ્રસૂરિ, સર્વદર્શનને સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંતદષ્ટિને યથાર્થ પણે ઝીલનારા મહાપ્રભાવક તિર્ધર આ છા, વિક્રમના આઠમા-નવમા સિકામાં આ ભારતભૂમિને પાવન કરી ગયા.
આવા આ સાધુચરિત સંતના અક્ષરદેહમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. “જેની યશકાયમાં જરામરણજન્ય ભય છે નહિં એવા સુકૃતી કવિઓ જયવંત
છે;–“રાતિ શેષi : રામ મયં” એ શ્રી ભ. અક્ષરદેહે અમર હરિની ઉક્તિ આ આર્ષ દૃષ્ટા સંત મહાકવિની અમૃતવાણી વિરાટ કવિબ્રહ્મા સંબંધમાં અક્ષરશઃ સાચી પડે છે. પરંપરાથી કહેવાય છે તેમ આર્ષદા હરિભસૂરિ ચૌદસ (૧૪૦૦) ગ્રંથ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન
કરનારા આ “યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ, સાડા ત્રણ ક્રોડ લેક પ્રમાણ સાહિત્યના સર્જક “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કેટિના સાહિત્યસ્વામી (Literary glant) થઈ ગયા, વિરાટ (Colosus) કવિ-બ્રહ્મા, આર્ષ દષ્ટા મહર્ષિ (Seer, Great sage) થઈ ગયા. એમની એક એકથી સરસ એવી અમર કૃતિઓમાં પદે પદે નિઝરતી પરા કૃતભકિત એ દિવ્ય આત્માના પરમ ભકત હદયનું પ્રતિબિંબ પાડનારૂં દર્પણ છે. એમની આ પરાભક્તિનું પ્રતિબિંબ પાડતી આ “લલિત વિસ્તરા” એક વિશિષ્ટ કૃતિ છે, અને તેને આશય એટલે બધે પરમાર્થગંભીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org