SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વજનોની જિજ્ઞાસાવૃત્તિ હોય છે, તેમજ એવા પ્રકારે વિશેષ પ્રણિધાનનીતિથી આ “ભગવદ્ગુણબહમાનસાર” સમ્યમ્ અનુષ્ઠાન હોય છે, એ જણાવવા માટે એમ ઉક્ત ક્રમે નવ વિભાગમાં આ સંપદે ઉપન્યાસ કર્યો છે. અને આમ આ સૂત્રની સંકલનાનું બુદ્ધિગમ્ય મૌલિક સંશોધન કરી, આ કુશાગ્રબુદ્ધિ મહર્ષિએ પિતાના પ્રજ્ઞાતિશયને અદ્દભુત ચમત્કાર દાખવ્યું છે, એટલું જ નહિં પણ ગણધર જેવા મહાપુરુષપ્રથિત આ સૂત્ર જે લેકે સામાન્યપણે લલિત વિસ્તરા પિપટની જેમ પઢી જાય છે, પણ અર્થે વિચારતા નથી, તેઓને હરિભદ્રજીનો આ સૂત્રમાં કેટલે બધે અર્થસંભાર ભર્યો છે તે પદે પદે નિર્ઝરતી “સુવર્ણમય કીતિ કલશ અનન્ય ભક્તિથી બતાવી આપ્યું છે અને આમ મૂળ પાઠમાત્ર સૂત્રનું અદ્ભુત સંકલન માત્ર સ્વબુદ્ધિબળે જ શેધી કાઢી, શ્રી ગણધર ભગવંતના હૃદયમાં જાણે અંતઃપ્રવેશ કર્યો હોય એમ તેમને અંતરૂઆશય અપૂર્વ આશ્ચર્યકારક હૃદયંગમ શિલીથી વ્યક્ત કર્યો છે. એટલે જ આ પ્રજ્ઞાનિધાન હરિભદ્રજીના કીર્તાિકલશરૂ૫ આ સુવર્ણમય લલિતવિસ્તરાને ઝગમગતે પ્રકાશ અદ્યાપિ સહુદય પ્રાજ્ઞજનેને આકર્ષી રહ્યો છે, અને તેમના અંતરુને અજવાળી રહ્યો છે. આ ઉક્ત નાના પ્રકારની ચિત્ર સંપદ્ અનેકાંત સ્યાહૂવાદ વિના ઘટતી નથી, અર્થાત્ આ બધે પ્રપંચ એકાનેકસ્વભાવી અનેકાંત વસ્તુ સાથે જોડાયેલ છે, નહિં તે આ ચિત્ર સંપદે કલ્પનામાત્ર થઈ પડી નિષ્ફળ હેય, એમ આ સૂત્રપ્રાંતે અનેકાન્ત ચર્ચા ઉપસ્થિત કરતાં આચાર્યજી હરિભદ્રજીએ ન્યાયયુક્તિપ્રમાણુથી અનેકાન્તની મહાપ્રતિષ્ઠા કરી અનેકાન્તજયપતાકા ફરકાવી છે. આમ પ્રણિપાતદડક સૂત્રની વિસ્તૃત મીમાંસા સમાપ્ત કરી, ભાવિતાત્મા આચાર્યજીએ ચૈત્યવન્દનને યોગ્ય ભૂમિકાને સંપાદનવિધિ વિસ્તારથી દર્શાવ્યું છે, અને તેમાં કેવા દ્રવ્ય-ભાવવિધિથી મન-વચન-કાયની એકાગ્રતા સાધી ચિત્યવદનોગ્ય ભૂમિકા કેવા મહાતેત્રે ભાવવૃદ્ધિ અર્થે ભાવસારપણે પઢવા જોઈએ તે સંપાદન વિધિ સુરેખ પણે બતાવ્યું છે. આ સ્તોત્રોથકી શુભચિત્તલાભ હોય છે, નહિં તે ગવ્યાઘાત હોય છે એમ સ્પષ્ટ કહી, શુભચિત્તલાભ એ જ વન્દનાનું અર્થ–પ્રજન છે એટલે શુભચિત્તલાભ ઉપજવાથી ખરેખરી અર્થોક્ત ગસિદ્ધિ થવી એ જ અત્ર જ્ઞાપક છે, એમ વચનટંકાર કર્યો છે, અને આમ ભાવિત અનુષ્ઠાનને જ અત્ર સ્થાન છે, અભાવિત–ભાવવિહીન અનુષ્ઠાન તે આગમબાહ્ય છે—તરરાષsvમવાઘરવાત” એમ સ્વદર્શનીએ પ્રત્યે ખુલ્લેખુલ્લુ માર્મિક કથન કરી, ચિત્યવન્દનને ઉપહાસ કરનારા અન્યદર્શનીઓને રદીઓ આવે છે. છેવટે એવા સ્તોત્રોથી શુભ ચિત્ત સંપ્રાપ્ત કરી પ્રસ્તુત વન્દનાભૂમિકાના સંપાદનાથે સહૃદય નટ જેમ ગૃહીતભાવ થઈ જાય: રાજરાત'-વન્દના કરવાની ચેષ્ટા કરે છે . સમ્યકવિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy