________________
લલિત વિસ્તરા : “સિદ્ધાણુ બુદ્ધિાણં' સૂત્ર, સિહસ્તવ છે. એટલે વિ=વિશેષથી જે કમને ઈરે છે, પ્રેરે છે, ધક્કા મારે છે, ગમાવે છે, અને
અહીં શિવ પ્રત્યે–એક્ષ પ્રત્યે ગમન કરે છે, તે વીર અને મહાન મહાવીરનું એ તે વીર, તે મહાવીર. કહ્યું છે કે –“કારણ કે કમને વિદારે મહાવીપણું છે, અને તપથી વિરાજે છે, અને તવીર્યથી યુક્ત છે તેથી
વીર' એમ કહ્યો છે” એવા તે ભગવાન “વીર” છે, આ અન્વર્થ નામ છે, એટલે કે વીર શબ્દની વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તે બરાબર યથાર્થ પણે ઘટે છે. તે સાચેસાવા “વીર’ છે, કારણ કે તે વીર ભગવંત પરમ આત્મવાર્યથી વિરાજમાન છે; તપ વડે તેમણે કર્મનું વિદારણ કર્યું છે, કષાય વગેરે અંતરંગ વરીએ ઉપર વિજય મેળવ્યું છે અને એવા પરમ પરાકમવંતના ઉત્તમ ગુણથી રીઝીને કેવલલક્ષ્મી તે પુરુષોત્તમને સ્વયં વરી છે. આમ વિક્રમવંતઆત્મપરાક્રમવંતના સમસ્ત લક્ષણ હોવાથી ભગવંતને “વીર’ નામ બરાબર છાજે છે.”
શ્રીગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૮
હવે પોપકારરૂપ અને આત્મભાવવૃદ્ધિરૂપ પ્રોજન દર્શાવી, ભગવંતના એક પણ નમરકારનું સંસારસાગર તારણરૂપ ઉત્તમ ફલ પ્રદર્શિત કરતી “પ રિ નમોને” ઈ. ત્રીજી ગાથા અવતારે છે–
१६इत्थं स्तुतिं कृत्वा पुनः परोपकारायाऽऽत्मभाववृध्ध्यै फलप्रदर्शनपर मिदं पठति पठन्ति वा-३३७
एक्कोवि णमोक्कागे, जिणवरवसहस्स वद्धमाणस्स ।
संसारसागराओ, तारेइ नरं व नारिं वा ॥ ३ ॥
અર્થ-આમ સ્તુતિ કરી પુન: પરોપકારાર્થે આત્મભાવની વૃદ્ધિ અર્થે ફલપ્રદર્શન પર એવું આ (એક) પડે છે વા (બહુ) પડે છે–૩૩૩
એક પણ નમસ્કાર, જિનવરવૃષભ વર્ધમાન પ્રતિ; સંસારસાગર થકી, તારે નર ને નારીને ય નકી ૩ જિનવવૃષભ વદ્ધમાનને એક પણ નમસ્કાર કરવા નારીને સંસારસાગરથી તારે છે.
આ ગાથાની વ્યાખ્યા કરતાં અચાર્યજી, પુરુષ કે સ્ત્રી ભગવદ્ભક્તિ થકી તદ્દભવે જ મોક્ષગામી થઈ શકે છે, એ મુદ્દો સ્પષ્ટ કરે છે –
અ૪ ચાચાएकोऽपि नमस्कार:, तिष्ठन्तु वहा:, जिनवरवृषभाय-वर्द्धमानाय यत्नात् क्रियमाण: સન, વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org