________________
પારગત-પરંપરગત પદ વ્યાખ્યા ચૌદ ગુણસ્થાનનો અપૂર્વ આત્મગુણવિકાસક્રમ ૫૮૫ દાખલ આપે છે કે એક-બે-ત્રણ એ આદિ સંખ્યાના કને જ ધનપ્રાપ્તિ થાય એ કાંઈ નિયમ નથી, કારણ કે દરિદ્રને રાજ્યપ્રાપ્તિ થાય તેમાં એક આદિ સંખ્યાને કમ હેતે નથી, પણ એક સામટી જ મહાઋદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, તેમ મુક્તિની બા. માં પણ આ ક્રમે કે તે ક્રમે જ મુક્તિ થાય એ કાંઈ નિયમ નથી. માટે દરિદ્રને રાજ્ય મળવાની જેમ તે કવચિત્ અકમે પણ કેમ પ્રાપ્ત ન હોય? આ યદચ્છાવાદના નિરાકરણ અર્થે કહ્યું –
(૪) પરંપરગતને પરંપરાથી અર્થાત્ મિથ્યાષ્ટિ ગુણસ્થાનથી માંડી અગિ ગુણસ્થાન પર્યંત ગુણસ્થાનભેદથી ભિનન એવી જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ પરંપરાથી ગત પરંપરગત
પ્રથમ મિત્રા દષ્ટિને એગ્ય ગુણગણ પ્રાપ્ત કરી ગુણના સ્થાનરૂપ ખરેખરૂં ચૌદ ગુણસ્થાનને નિરુપચરિત એવું પ્રથમ મિથ્યાદષ્ટિ ગુસ્થાન પ્રાપ્ત કર્યું. પછી અપૂર્વ આત્મગુણ- અનુક્રમે દર્શનમોહના-મિથ્યાત્વના ક્ષપશમાદિ કરી સાસ્વાદન, વિકાસ ક્રમ સમ્યમિાદષ્ટિ, અવિરત સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી.
પછી અનુક્રમે અવિરતિને દેશયાગ કરી દેશવિરતિ અને સર્વત્યાગ કરી સર્વવિરતિ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી. આમ સર્વથા અવિરતિથી વિરામ પામી આત્મસ્વરૂપથી પ્રમત્તપણારૂપ–ભ્રષ્ટપણારૂપ અંશમાત્ર પ્રમાદ દેષને પણ ત્યાગ કરી આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત ઉપગે સ્થિતિ કરી અપ્રમત્ત ગુણસ્થાનની પ્રાપ્તિ કરી; અને ત્યાં અપૂર્વ આત્મવીર્યને ઉલ્લાસ પામી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને (નિવૃત્તિનાદર) પહોંચ્યા, અને ત્યાં અપૂર્વ આત્મસામના ગરૂપ સામર્થ્યગથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ કર્મ પ્રકૃતિએને જડમૂળથી ઉખેડી નાંખી, શેષ સંજવલન કષાયને ક્ષય કરતાં કરતાં અનુક્રમે અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મમેહ એ ૯-૧૦ ગુણસ્થાન વટાવી જઈ બારમા ક્ષીણમેહ ગુણસ્થાને ક્ષીણમેહ થયા. અને આમ દર્શનમોહ–ચારિત્રમોહને સર્વનાશ કર્યો કે તક્ષણ જ ઈતર ત્રણ ઘાતિ કમને ક્ષય કરી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવી તેરમા સગી કેવલિ ગુણસ્થાને પહેંચ્યા. અને છેવટે આયુ પ્રમાણે સગ કેવલી ગુણ સ્થાને સ્થિતિ કરી, આયુ પ્રાંતે યથાસંભવ કેવલિ સમુદ્દઘાત કરી, શશીકરણ કરી અગિ કેવલિ ગુણસ્થાનને પામ્યા. અને પાંચ હસ્વ સ્વર (અ, ઈ, ઉ, ઝ, લ) પ્રમાણુ કાલ ત્યાં સ્થિતિ કરી, ઊર્ધ્વગમન કરી સિદ્ધાલયે બિરાજમાન થયા. આમ અનુક્રમે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યંગ એ પાંચ બંધહેતુઓને અનુક્રમે સંક્ષય કરી, આત્મગુણને ઉત્તરોત્તર ક્રમે વિકાસ સાધી, આ ભગવંત પરંપરાથી સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે. એટલા માટે એને પરંપરાગત છે, એએને. આ ગુણસ્થાનનું પરમ રહસ્યભૂત તત્વદર્શન પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશ્ય છે –
“કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મેક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યગદર્શન. દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org