________________
અતીકિયાર્થદશી સિદ્ધિથી અપૌરય વચનકલ્પના વ્યર્થ શબ્દની ઉપલબ્ધિ-શ્રવણરૂપ અનુભવ થતો હોય, તે પણ ત્યાં કેઈ અદશ્ય એવા પિશાચાદિ વક્તાની આશંકાને સંભવ હોય છે, એટલે આ અપૌરુષેય વચન અસાર છે (એમ સંબંધ છે).
એમ શાને લીધે? “તેના (આશંકાના) નિવૃત્તિઉપાયના અભાવને લીધે,”તે અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાયના અભાવને લીધે, અર્થાત્ એ કોઈ હેતુરૂપ ઉપાય છે નહિં કે જે વડે તે અદશ્ય વક્તાની આશંકા દૂર કરી શકાય. એમ પણ શાને લીધે?
અતીન્દ્રિય અર્થદશીની સિદ્ધિને લીધે,” અર્થાત્ એમ જે કહે કે તે પિશાચાદિને દેખનારને તે આશંકા દૂર થવાને ઉપાય છે, તે અતીન્દ્રિય એવા પિશાચાદિકને દેખનારની સિદ્ધિ થશે. કારણ કે તેવા અતીન્દ્રિય અર્થદર્શીને જ આ વચન પિશાચાદિથી ઉદ્દભવ પામ્યું છે કે આપોઆપ જ ધ્વનિ કરી રહ્યું છે તે ઉપલબ્ધ થાય છે, એમ નિશ્ચય છે. “અન્યથા તેના અગને લીધે,” નહિં તે અતીન્દ્રિય અર્થદશીવિના અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિ ઘટતી નથી.
ત્યારે વાદી કહેશે-વારુ, ભલે અતીન્દ્રિયાઈદશી સિદ્ધ થતું હોય, તે તેમાં શી ક્ષતિ-હાનિ છે? તે માટે કહ્યું–પુનઃ તેની કલ્પનાના વયર્થ્યને લીધે આ અસાર છે.”
અર્થાત્ અતીનિયાથદર્શાને માન્ય કરી પુનઃ જો તમે અપૌરુષેય અતીન્ડિયાદશી- વચનની કલ્પના કરશે તે તેનું વ્યર્થપણું-નિષ્ફળપણું જ છે; સિદ્ધિથી અપૌરુષેય કારણ કે તે કલ્પના અતીન્દ્રિયાર્થદર્શને નહિં માનનારાને જ વચનકલ્પના વ્યર્થ સાર્થક-સફળ છે. તમારૂં જ વચન છે કે-“અતીન્દ્રિય અને
સાક્ષાત્ દષ્ટા છે નહિં; નિત્ય એવા વચનથી જ જે દેખે છે તે દેખે છે.” એટલે અતીન્દ્રિયાર્થદશીને સ્વીકાર કરતાં તમારી અપરુષેય વચનની કલ્પના વ્યર્થ-નિષ્ફળ-નકામી થઈ પડશે. એટલે આમ દર્શાવેલી સંકલનાબદ્ધ યુક્તિપરંપરાથી સિદ્ધ થયું કે તમે જે વેદવચન અપૌરુષેય માને છે તે અસાર છે, તે વાતમાં કાંઈ માલ નથી.
એટલે અપરુષેયવાદી વળતી દલીલ કરશે—એમ તે અહંતપણું વચનપૂર્વક છે એ તમારા આગમવચનથી તમારું વચન પણ અપૌરુષેય જ છે, કારણ કે અહંતનું અનાદિપણું સતે વચનના અનાદિપણાને લીધે અપૌરુષેયપણાની સિદ્ધિ થશે, અને એકનું અવચનપૂર્વકપણું કહેશો તે અનાદિશુદ્ધવાદની આપત્તિ થશે, ઇ. પ્રકારે અપસવાદી પૂર્વપક્ષ કરે છે –
स्यादेतत्, भवतोऽपि तत्त्वतोऽपौरुषेयमेव वचनं, सर्वस्य सर्वदर्शिनस्तत्पूर्वकत्वात्, " तप्पुग्विया अरहया" इति वचमात्, तदनादित्वेऽपि तदनादित्वतस्तथात्वसिद्धेः । अवचनपूर्वकत्वं चैकस्य, तदपि तन्त्रविरोधि, न्यायतोऽनादिशुद्धवादापत्तेरिति ।२०५
અર્થ:–શંકા-એ ભલે હે, તમારું પણ તરવથી અપૌરુષેય જ વચન છે, સર્વ સર્વ દશીનું તાપૂર્વકપણું છે માટે,“તત્પવિકા અહેસા” છે એ વચનથી; તદ (અહેતના) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org