SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્મા ને ગરરૂપે (Slow pison) પરિણમી, કાલાંતરે હણી પર અનુષ્ઠાન થઈ પડે છે. સંપૂર્ઝનજ કિયા જેમ તત્વસમજણ વગર કરવામાં આવતું અનુષ્ઠાન કર્યું ન કર્યા બરાબર હેઈ અનનુષ્ઠાન થઈ પડે છે. સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી કરવામાં આવતું અનુષ્ઠાન, શુભ ભાવના અંશને લીધે સદનુષ્ઠાનનો હેતુ-તક્રેતુ થઈ પડે છે. આ જિન ભગવાને કહ્યું છે એમ જાણી, ભાવસારપણે સંવેગરંગથી કરવામાં આવતું અનુષ્ઠાન, આત્માને અમૃતરૂપે પરિણમતું હોવાથી અમૃત અનુષ્ઠાન થઈ પડે છે. માટે આમાં વિષ અને ગર એ બને પ્રકારના વિક્રિયારૂપ અનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણી દ્વરથી ત્યજી દઈ ત્રીજા અનનુષ્ઠાનને કર્યું ન કર્યા બરાબર એવું અક્રિયારૂપ જાણ આમાથી મુમુક્ષુએ તે આત્માને અમૃતરૂપે પરિણમતું એવું સક્રિયારૂપ અમૃતઅનુષ્ઠાન કે તેના હેતુરૂપ તહેતુઅનુષ્ઠાન એકાંત શુદ્ધ આત્માથે જ આદરવા યોગ્ય છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય, તેમ આરાધક પુરુષ સતત આત્મસિદ્ધિને જ લક્ષ રાખી સર્વ શુદ્ધ આરાધના કરે, સર્વ આત્મસાધન સેવે જ્ઞાનની ખાલી પોકળ વાતો કરવા રૂપ શુષ્કજ્ઞાનીપણું _શુદ્ધ આરાધના: નહિં કરતાં, શમસંવેગાદિ તથા સમિતિ ગુપ્તિ આદિ સર્વ “નિશ્ચય રાખી લક્ષમાં, “પરમાર્થ હેતુમૂળ વ્યવહાર આચરે, તેમજ અંતર્ભેદરહિતપણેસાધન કરવાં સાય' અનુપગપણે યંત્રવત્ કરાતી માત્ર બાહ્ય ક્રિયામાં રાચવારૂપ કિયા જડપણું નહિં કરતાં, તે તે અવશ્ય કરવા ગ્ય આવશ્યકાદિ ક્રિયામાં આ પગપણે ઊંડા ઉતરી તેને અધ્યાત્મરસ ચાખે. જેમકે–સામાયિકની પ્રતિજ્ઞા લેતાં તે સમભાવમાં સ્થિતિ કરે, પ્રત્યાખ્યાન કરતાં પરભાવ પચ્ચખે, સ્વાધ્યાય કરતાં આત્મભાવમાં વર્સ, ચિત્યવન્દનનાંતર્ગત ચતુર્વિશતિ સ્તવ કરતાં પ્રભુને સહજાત્મસ્વરૂપ ભાવ ચિંતવે, સદ્ગુરુવંદન કરતાં તેમનું આત્મારામ પણું ભાવે, પ્રતિક્રમણ કરતાં સ્વરૂપતિમ દષની ક્ષમા યાચી સ્વરૂપસ્થાનમાં પ્રતિ-- પાછું કમણ-ગમન કરે, અને કાર્યોત્સર્ગ કરતાં દેહાતીત દશાને અનુભવ અભ્યાસ કરે. આમ સર્વ દ્રવ્ય ક્રિયા તે આરાધક પુરુષ અધ્યાત્મપરિણતિરૂપ ભાવકિયાના અનુસંધાનપૂર્વક કરે; અને ચઢતા પરિણામ રાખી ઉત્તરોત્તર ક્રિયાશુદ્ધિથી પ્રીતિઅનુષ્ઠાન આદિ ચાર પ્રકારની અનુષ્ઠાનકક્ષાઓને સ્પશે. અર્થાત્ પ્રસ્તુત કિયા પ્રત્યેના પરમ પ્રેમથી પ્રીતિઅનુષ્ઠાન આદરે. પરમ પ્રીતિયુક્ત પૂજ્યભાવથી ભક્તિઅનુષ્ઠાન આદરે. શાસ્ત્રવચન અનુસાર યથાસૂત્ર આદર્શ આચરણરૂપ વચન અનુષ્ઠાન આદરે. અને પછી અભ્યાસજન્ય દઢ સંસ્કારથી વચનના સંગ-અવલંબન વિના આપોઆપ પ્રવર્તતું, એવું સર્વ પરભાવ-વિભાવના સંગસ્પર્શ વિનાનું અસંગઅનુષ્ઠાન આદરે અને આમ અમૃતકિયાના અનુષ્ઠાનથી આત્માને અમૃત કરે. આમ મુગ્ધજને ભલે ગમે તેમ માનતા હે, પણ વાસ્તવિક રીતે આ સેવાનું સ્વરૂપ વિચારીએ તે “સેવન અગમ અનૂપ”--આ સેવન અગમ અને અનુપમ છે. તરવારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy