SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : લોગસ્સવ, ચતુર્વિશતિસ્તવ (હાહરા) ઋષભ અજિત સંભવ અને, અભિનંદન વંદું જ; સુમતિ પદ્મપ્રભ સુપાર્વને, ચંદ્રપ્રભ જિન વંદુય. ૨. સુવિધિ પુષ્પદંત શીતલ ને, શ્રેયાંસ વાસુપૂજ્ય; વંદુ વિમલ અનંત જિન, ધર્મ શાંતિ પણ પૂજ્ય. ૩. વંદું કુંથુ અર મલિ ને, મુનિસુવ્રત અભિધાન; નમિજિન અરિષ્ટનેમિ ને, વંદું પાર્શ્વ વર્ધમાન. ૪. ગષભ અને અજિતને હું વંદું છું. સંભવને, અભિનંદનને, સુમતિને, પદ્મપ્રભને, સુપાર્થને અને ચંદ્રપ્રભ જિનને હું વંદું છું. (૨). સુવિધિને, પુષ્પદંતને, શીતલને, શ્રેયાંસને, વાસુપૂજ્યને, વિમલને, અનંત જિનને, ધર્મને અને શાંતિને હું વંદું છું. (૩). કંથને, અને, મલિને, મુનિસુવ્રતને અને નમિ જિનને હું વંદું છું. અરિષ્ટનેમિને, પાર્થને તથા વર્ધમાનને હું વંદું છું. એએ નિગદસિદ્ધ જ છે. નામનું અન્વથ નિમિત્ત તે આવશ્યકમાં–ઊરૂમાં વૃષભ લાંછન અને સ્વપ્નમાં વૃષભ (દર્શન) તેથી વરુષભ જિન ઇત્યાદિ ગ્રંથથી જાણું લેવા છે.૨૮૮ વિવેચન “વીશે જિનગુણ ગાઈએ, થાઈ એ તત્વસ્વરૂપજી; પરમાનંદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનુપજી.–શ્રી દેવચંદ્રજી અત્રે વીશે તીર્થકર ભગવંતનું કીર્તન કરતાં તેઓનું પાવન નાયગ્રહણ કરી પ્રત્યેકને પરમ ભક્તિથી વંદન કર્યું છે. આ ભગવંતના આ નામ “અન્વર્થ' અર્થને અનુસરતા હાઈ યથાર્થ જ છે, અને તે અન્વર્થ કેવા પ્રકારે છે તે આવશ્યક સૂત્રથી જાણ લેવા આચાર્યશ્રીએ ભલામણ કરી છે. આ વિવેચકે એક ચતુર્વિશતિ જિનસ્તુતિ રચી છે, તે પણ પ્રકારતરથી આ અન્વર્થ નામને સુજ્ઞ વાચકે ને કંઈક ખ્યાલ આપશે અને તે પરથી વિવેચનને અર્થ પણ સરશે. તે આ પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy