SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ અહુત-સિદ્ધ ધ્યેય, આચાદિ ધ્યેય, આત્મા ધ્યેય : પિસ્થાદિ ચાર ધ્યાન ૪૯૭ પરમ આત્મસમાધિને પામી જે દેહ છતાં દેહાતીત કાયાત્સગ દશાએ વિચરે છે એવા સહજાત્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આત્મા તે જ અર્હત્–જિન ભગવાન્-સજ્ઞ પરમાત્મા છે. આ જીવન્મુક્ત દેહધારી પરમાત્માનું તાત્ત્વિક શુદ્ધ સ્વરૂપ આત્માધી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે. (૨) ‘જેના અષ્ટ કર્મને દેહ નષ્ટ થયા છે, લેાકાલેાકના જે જ્ઞાયક ને દૃષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા લોકશિખરસ્થિત છે તે ધ્યાવવા, ' સર્વ કર્મીકલંકને ક્ષય કર્યોથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યાં છે, દેહ રહિત એવા શુદ્ધ આત્મા પ્રગટ કર્યાં છે, સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે, કેવલ ચૈતન્યમય આત્મતત્ત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિšત્વરૂપ કૈવલ્યને પામ્યા છે,—એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન્ તે પરમ ધ્યેય છે, પરમ ધ્યાન ધરવા ચેાગ્ય છે. શુદ્ધ પરમાત્માના ધ્યાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનેામદ્વિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા ચાગ્ય છે. “ ઇણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમદિર જેઠુ ધ્યાવે; ધ્યાન પૃથક્ક્ત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે. ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું! ” શ્રી દેવચદ્રજી, ( ૩-૪-૫ ) તેમ જ ‘ દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વીર્યંચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને યાજે છે, એવા તે આચાય મુનિ ધ્યેય છેધ્યાન કરવા ચૈાગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશનમાં નિરત છે, યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હા! (તે પણ ધ્યેય છે. )દનજ્ઞાનસમગ્ર એવું મેાક્ષના મારૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે સાધે છે તે સાધુ એવા સુનિ છે, તેને નમસ્કાર હા!' આ પણ ધ્યાન કરવા ચેાગ્ય છે. આ આચાય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજાત્મસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવ્રુત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માએ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષ્ઠિએનું સ્વરૂપધ્યાન આત્માથી તે આત્મધ્યાનારૂઢ થવામાં અપૂર્વ પ્રેરણાદાયી હોવાથી પરમ ઇષ્ટ છે. આમ પંચ પરમેષ્ઠિ આદિ આ સર્વ ધ્યેય-માલ બનના હેતુ આત્મસ્વરૂપના ધ્યાનપર આરૂઢ થવાના—ચઢવાના છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચયધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિઆદિ ધ્યેયનું આલેખન પરમ ઉપકારી થાય છે. ૩. અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે—–ધ્યાનના વિષય છે. ઉપરાક્ત અન્ય સર્વ ધ્યેયનું અંતિમ લક્ષ્ય અને ફળ આ આત્મધ્યાન જ છે. કારણ કે અરિહંત, સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ ધ્યેયના ચિ ંતનથી ચિત્તની શુદ્ધિ અને આત્મા ધ્યેય સ્થિરતા–એકાગ્રતા થાય છે,—જેથી સર્વાંત્ર નિરીહ એવા યેાગી પુરુષ શુકલ આત્મધ્યાનરૂપ નિશ્ચયધ્યાનને માટે પરમ ચાગ્ય થાય ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy