________________
I. સાધના શુદ્ધિ શુદ્ધ સેવા
" जे जाणइ अरहंते दव्यत्तगुणतपज़यत्तेहिं । પર ઝાળનિયમQા મોજ હજુ ના તરણ સ્ત્રા” –મહર્ષિ કુંદકુંદાચાર્યજી " “પરમેશ્વર અવલંબને રામ્યા જે જીવ,
નિર્મલ સાયની સાધના તેહ સાધે સદીવ.”–શ્રી દેવચંદ્રજી જે આવા દ્રવ્ય-ભાવ ચિત્યરૂપ પુષ્ટ આલંબન નિમિત્તરૂપ અહંત ભગવત નું– જિનદેવનું અવલંબન લે છે, તેઓ જ શુદ્ધ આત્મસ્વભાવ ધર્મરૂપ નિર્મલ સાધ્યની સાધના
સદાય સાધે છે; તેઓ જ ભગવાનની શુદ્ધ ભક્તિરૂપ આરાધના, સંભવ દેવ તે ઉપાસના, સાધના, સેવન કરવાને સમર્થ થાય છે. એટલે મેક્ષફળના ધુરે સેવે સેવે રે' કામી મુમુક્ષુ જીવે તે ભગવાનનું શુદ્ધ આરાધન-સેવન કરવા
તત્પર થવું, તે પિતાના જ આત્મકલ્યાણની-આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માથી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તવું જોઈએ. એટલા માટે જ મહાગીતાથ મહામુનિ આનંદઘનજી કહે છે કે – સંભવ દેવ તે ધુર સે સેવે રે.” અર્થાત્ આ પરમ ઉપકારી, પરમ કરુણસિંધુ ભગવાનને તમે “ધુરે સૌથી પ્રથમ, સૌથી પહેલું, પરમ પ્રધાનપદ આપીને સે, બીજા બધા કાર્ય કરતાં એને પહેલું સ્થાન આપીને સે. જગના બીજા બધાં કામ તુચ્છઅ૫ ફળદાયી આ લેક પૂરતાં જ ઉપયોગી કે ઉપકારી છે. પણ આ પ્રભુસેવારૂપ ખરેખરૂં
સ્વાર્થ' કાર્ય તે પરમ મેક્ષફલદાયી અને આ લેક-પરલોકમાં આત્માનું પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી છે. માટે એ પ્રભુસેવાને પરમ ઉપાદેય ગણી, જગના અન્ય કઈ પણ પદાર્થ કરતા અનંતઅનંતગણ મહિમાવાન આ પરમ “અહંતુ” પ્રભુને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવામાં સૌથી પ્રથમ તત્પર થાઓ! . અને તે શુદ્ધ સેવા કેવા પ્રકારે કરવી જોઈએ તે માટે આનંદઘનજી કહે છે કે –“લહી પ્રભુ સેવન ભેદ',–પ્રભુના સેવનને ભેદ લહી-પામી-જાણી-સમજી
તમે સર્વેય તે સ્વરૂપના સ્વામી એવા પ્રભુને સે! આ લહી પ્રભુ સેવન લેકેત્તર દેવને ઘણું છે તેમનું સ્વરૂપ સમજ્યા વિના ભેદ લૌકિક રીતથી સેવે છે, આ લક-પરલેક સંબંધી લૌકિક ફલની
આકાંક્ષાથી-આશાથી સેવે છે, અથવા ક્રોધ-માન-માયા લેભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લોકિક ફલ–કામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી. શુદ્ધ સેવા તે (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org