SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર પ્રવૃત્તિના પ્રધાનપણા વડે કરીને શ્રાવકને તેવા પ્રકારની પૂજા-સત્કાર પ્રવૃત્તિ કરવાનું ઔચિત્ય–ઉચિતપણું છે, તેવા પ્રકારે પૂજા-સત્કાર કરવા ઘટે છે, તેથી જ તે તેવા પ્રકારે કરણલાલસ હોય છે. જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” –શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અને “જ્યાં જ્યાં જે જે ગ્ય છે” ઈ. સુભાષિત અનુસાર જ્યાં જ્યાં જે જે ગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજવું ને ત્યાં ત્યાં તે તે આચરવું, તે આત્માથને ઉચિત છે, એમ ઔચિત્યને–ઉચિતપણાને સામાન્ય નિયમ છે. એટલે ઔચિત્ય આજ્ઞા- “આરંભીને આ બને ઉચિત છે. એટલે પૃથ્વી-જલ આદિ આર. અમૃત યોગથી ભને સેવવાનું જેને અનિવાર્ય છે, એવા આરંભવંત ગૃહસ્થને આ આરંભવતને બને પૂજા-સત્કાર ઉચિત છે, કરવા ઘટે છે. શાને લીધે ઉચિત આ બન્ને ઉચિત છે? “સઆરંભરૂ૫૫ણને લીધે;” આ પૂજા–સત્કારને વિષય જિન ભગવાન હવાથી, તે અંગેને આ પૃથ્વી-જલ આદિ આરંભ સસુંદર છે, એટલે તેનું સઆરંભપણું છે માટે. - હિંસામય આરંભ પિતે જ અસત્ છે, તે પછી આ પૂજા-સત્કારવિષયક આરંભનું સઆરંભરૂપપણું શાને લીધે ? “વિત્યાજ્ઞાડમૃતનત’– ઔચિત્ય આજ્ઞા અમૃતયેગને લીધે.” અર્થાત્ જિનભવન, જિનબિંબ આદિ કરાવવા શ્રાવકને ઉચિત છે એવી આપ્ત પુરુષના વચનરૂપ આગમની આજ્ઞા છે, અને તે જ તેના આરાધક જીવને અજરામર ભાવરૂપ અમૃત પદ પમાડનારી હોવાથી “અમૃત” છે, એટલે પુરુષના આ આજ્ઞારૂપ અમૃતના યોગે કરીને પ્રસ્તુત આરંભ પણ સઆરંભરૂપ બની જાય છે, માટે. અને આ આજ્ઞા પણ આમ અમૃતરૂ૫ અસઆરંભનિવૃત્તિને લીધે હોય છે. અર્થાત્ ઇઢિયાર્થવિષયપણને લીધે જે અસ–અસુંદર આરંભ છે, તેમાંથી જિનપૂજાદિ. કાળે નિવૃત્તિ હોય છે, એટલે હિંસાપ્રધાન પ્રવૃત્તિરૂપ અસત્ આર. અસદુઆરંભ ભમાંથી નિવર્તાવી ભક્તિપ્રધાન સઆરંભમાં પ્રવર્તાવતી હેવાથી નિવૃત્તિ આ શ્રાવકેચિત જિન આજ્ઞા તેના આત્માને અમૃતરૂપ થઈ પડે છે. અને આ આજ્ઞાઅમૃતના ચુંગ શિવાય “અન્યથા તેના અને લીધે બીજા કેઈ પ્રકારે તે અસઆરંભનિવૃત્તિના અગને લીધે ગૃહસ્થ તે તે ઇદ્રિ. યાર્થવિષયી પાપમય પ્રવૃત્તિમાંથી વિરમે એ સંભવતું નથી. અને પ્રકારાન્તરથી અસ– આરંભથી નિવૃત્તિ થાય એમ જે માનીએ તે “અતિપ્રસંગને લીધે”—જગાર રમવું, હીંચકા ખાવા વગેરે પ્રવૃત્તિમાં પણ તે અસઆરંભનિવૃત્તિને પ્રસંગ પ્રાપ્ત થશે ! અને એ તે અનિષ્ટ છે, એટલે અસઆરંભ છોડાવી સતુઆરંભમાં જોડનાર આ “આજ્ઞાઅમૃતના વેગથી જ શ્રાવકને જિનપૂજા-સત્કારનું ચિત્ય-ઉચિતપણું પ્રતીત થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy