________________
૪૩૮
લલિત વિસ્તર : વન્દનાકોત્સગ સૂત્ર અત્રે શંકા થવી સંભવે છે કે –આ પૂજન પ્રત્યયે અને સત્કારપ્રત્યયે કાત્સર્ગ કરૂં છું એમ કહ્યું, તે કેણ સાધુ કરે છે? કે શ્રાવક? “તેમાં સાધુને તે પૂજન-સત્કાર અનુચિત જ છે,’ કરવા ઉચિત જ-યોગ્ય જ નથી, કારણ કે તે દ્રવ્યસ્તવરૂપ છે અને તે દ્રવ્યસ્તવને તે સાધુને નિષેધ છે માટે. અને તે પ્રકારે આગમવચન છે કે “કૃત્ન સંયમવિદ્દ (સર્વવિરતિ) પુષ્પાદિક ઈચ્છતા નથી.” અને શ્રાવક તે આ બન્ને પૂજાસત્કાર “યથાવિભવ'–પિતાના વિભવ પ્રમાણે સંપાદે જ છે; કારણ કે તે શ્રાવકને તે દ્રવ્ય
સ્તવનું પ્રધાનપણું છે માટે, અને તેમાં ધનવ્યય થકી મહાદેષનિવૃત્તિ છે ઈ. પ્રકારે તત્વર્ણિપણું છે માટે –“જિનપૂજા વિભવ બુદ્ધિ” એ વચનથી. તે આ સાધુ અને શ્રાવક એ બનેમાં પૂજન-સરકારને વિષય કોણ છે?
()
તે શંકાનું સમાધાન કરતાં, સામાન્યથી સાધુ-શ્રાવક બને તેના વિષય છે એમ દર્શાવી, સાધુને પિત કરવાની અપેક્ષાએ દ્રવ્યસ્તવને નિષેધ છે, પણ કરાવવા ને અનમેદવાની અપેક્ષાએ નિષેધ નથી. એમ પ્રતિપાદન કરે છે–
सामान्येन द्वावपि साधुश्रावको। साधोः स्वकरणमधिकृत्य द्रव्यस्तवप्रतिषेधः, न पुन: सामान्येन, तदनुमतिभावात्,-भवति च भगवतां पूजासत्कारावुपलभ्य साधोः प्रमोदः, साधु शोभनमिदमेतावज्जन्मफलमविरतानामितिवचनलिङ्गगम्यः, तदनुमतिरिय; उपदेशदानतः कारणापत्तेश्च ।
__ ददाति च भगवतां पूजासत्कारविषयं सदुपदेश-कर्त्तव्या जिनपूजा, न खलु पित्तस्यान्यच्छुभतरं स्थानमितिवचनसन्दर्भण। तत्कारणमेतत् ।२३९
અર્થ:-(સમાધાન) કહેવામાં આવે છે–સામાન્યથી બનેય,–સાધુ અને શ્રાવક. સાધુને સ્વકરણને આશ્રીને દ્રવ્યસ્તવને પ્રતિષેધ છે, ન પુન: સામાન્યથી,-તેનો અનુમતિ ભાવ છે માટે; અને ભગવંતોના પૂજા-સત્કાર દેખીને સાધુને પ્રમોદ-“આ સાધુ શોભન છે, અવિરતાને આટલું જન્મફલ છે,” એવા વચનલિંગથી ગમ્ય છે, આ તેની અનુમતિ છે અને ઉપદેશદાન થકી કારણની (કરાવવાની) આપત્તિ છે માટે.
અને ભગવતેના પૂજા-સત્કારવિષયી સદુપદેશ તેઓ દીએ છે,-જિન પૂજાકત્તવ્ય છે, ખરેખર! વિત્તનું અન્ય શુભતર સ્થાન નથી' એવા વચનસંદર્ભથી. આ તેનું કારણ (કરાવવું) છે. ૩૯
વિવેચન
જન્મ કૃતારથ તેને રે, દિવસ સફલ પણ તાસ; જગતશરણ જિન ચરણને રે, વંદે ધરિયા ઉલાસ....
જિનવર પૂ .શ્રી સંભવ.” શ્રી દેવચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org