SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા કહીએ છીએ, તેને જ તમે એક અનેક કાર્યકરણસ્વભાવવાળું કહો છે. આમ શબ્દમાત્ર ભેદ છે, અર્થભેદ નથી, કારણ કે એકમાંથી કથંચિત્ સ્વભાવભેદ વિના અનેક ફલને ઉદય નથી એમ પૂર્વે ચર્ચિત જ છે. એટલે છેવટે ન છૂટકે તમે પણ તમારી માન્યતાને અમારા અભ્યાગમની જ અનુપાતિની અનુસારિણી કરી, અર્થાત્ અમારા અભ્યપગમને જ સ્વીકાર કર્યો, એટલે અમારે હવે કંઈ પણ કહેવાપણું રહ્યું નથી. ત્તિ : સહિત! અમે જે અનેકાન્ત સ્યાદ્વાદ સિદ્ધ કરવા માગતા હતા, તે અનેકાન્ત સ્વાદુવાદને જ તમે સામે આવી અભ્યપગમ-સ્વીકાર કર્યો, એટલે સ્વાવાદની સિદ્ધિરૂપ અમારું ઈષ્ટ પ્રયોજન પણ સિદ્ધ થયું! અનેકાન્તને વિજયવાવટે વિશ્વમાં ફરકી રહ્યો ! અને આમ સર્વત્ર આ અનેકાતની જયપતાકા કેવી ફરકી રહી છે, તે વિશેષથી તમે જાણવા ઈચ્છતા હે, તે અહે જિજ્ઞાસુ મુમુક્ષુઓ! આ અન્યત્ર નિરૂપિત છે.” અમે તે અન્યત્ર અનેકાતજયપતાકામાં નિરૂપણ કર્યું છે, ત્યાંથી અવલકશે. અત્રે તે વિસ્તારમયથી તમારી જિજ્ઞાસાને જાગૃત કરવા તેના નમુનારૂપ માત્ર બે કલેક જ ટાંકીએ છીએ. તેમાં—“જે સ્વભાવ થકી એક કાર્ય ઉપજયું છે” ઈ. પ્રથમ શ્લોકને ભાવાર્થજે સ્વભાવ થકી–વસ્તુગત રૂપરસાદિરૂપ જે ઉપાદાનભૂત સ્વભાવ થકી જાત-જમેલું– ઉત્પન્ન એવું એક કાર્ય (વસરાગાદિ), તે તેનાથી તે વસ્તુસ્વભાવથી અનેકાન્ત અન્ય ન હોય; સ્વગ્રાહક પ્રત્યક્ષાદિક સહકારિ ભાવથી બીજું ન હોય. જયપતાકા” કારણ કે કૃ—–સમસ્ત એવા તેને–વસ્તુસ્વભાવને પ્રતીત્ય-આશ્રીને ભૂતિભાવપણને લીધે, તેનું ભવનસ્વભાવપણું છે માટે. આદ્ય જ કાર્યનું દષ્ટાંત કહ્યું–‘તસ્વરૂપવત તેના સ્વરૂપની જેમ. જેમ હેતુભૂત સ્વભાવનું વા અધિકૃત એક કાર્યગત સ્વભાવનું સ્વરૂપ સ્વભાવકાર્યાંના આશ્રયણથી જ હેય છે, તેમ પ્રથમ કાર્ય પણ કૃત્ન સ્વભાવને આશ્રીને જ હોય છે. અત્રે પર અભિપ્રાય આશંકીને બીજો શ્લોક કહ્યો તેને ભાવાર્થ –“અન્ય એવંવિધ એમ જે હેય તે શું વિરુદ્ધ પડે છે?” અર્થાતુ અન્ય-દ્વિતીય કાર્ય એવંવિધ તદ્ધતુજન્ય એવા પ્રકારનું એમ જે હય, તે શું વિરોધ આવે છે? અનેકાન કંઈ પણ નહિં. તે પણું ભલે હો, એમ ભાવ છે. અત્રે ઉત્તર– જ્યપતાકા' “તસ્વભાવનું પ્રથમ પ્રતિ કાર્ચથી હેતુત્વ એ.” અર્થાત્ તસ્વ ભાવનું-વસ્તુગત રૂપરસાદિરૂપ સ્વભાવનું કાર્ચથી-સર્વાત્માથી પ્રથમ પ્રતિ–આદ્ય કાર્યને આશ્રીને હેતુત્વ-નિમિત્તત્વ એ વિરુદ્ધ પડે છે, એ જ વિરોધ આવે છે. આ કહેવાનું થયું કે–આદ્ય કાર્યમાં જ સર્વાત્માથી ઉપયુક્તપણાને લીધે તેનાથી કાર્યાન્તરને સંભવ ક્યાંથી? અને તેના સંભવે પ્રથમ કાર્યમાં તેને કાટૂન્યથી ઉપયોગ નથી. એમ બલથી–બલાત્કારે અનેકરૂપ વસ્તુની સિદ્ધિ છે. “ઈત્યાદિ ગ્રંથથી આ નિરૂપવામાં આવ્યું છે, એટલા માટે અહીં વિસ્તારવામાં આવતું નથી.” આ અનેકાન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy