SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન તે જ અભ્યપગમ માટે અનેકાન્તમાં વિરેધ નથી, બૌદ્ધમાં છે ૪૧૭ આમ પુત્રાદિ વાસના ભેદનું નિમિત્ત પણ ખંડિત થયે, હવે વાદી પરિહાર કરશે– ઉપાદાનને ભેદ છે તે જ અત્રે વાસનાભેદને હેતુ છે. અર્થાત્ એક જ દેવદત્તાદિમાં તે પ્રતિ પિતા-પુત્રાદિરૂપે વ્યવસ્થિત એવા અનેકેની જે આ ઉપાદાનભેટ પુત્રાદિ વાસનાપ્રવૃત્તિ, તે તેઓના જ વસન્તાનગત મનસ્કાર તે વાસનાભેદને લક્ષણવાળા ઉપાદાનકારણભેદરૂપ નિબન્ધનવાળી છે, નહિં કે હેતુ નથી વ્યવહરાતા વસ્તુસ્વભાવભેદ નિમિત્તવાળી. આમ બૌદ્ધ વાદી દલીલ કરે, તેને જવાબ આપતાં કહ્યું “ઉપાદાનભેદ પણ અત્રે પરિહાર નથી.” અર્થાત્ અત્રે–એકસ્વભાવવાળી વસ્તુમાં અનેક વ્યવહારનું અસંગતપણું બતાવી આપવામાં આવ્યું, એટલે કેવલ વ્યવહરણીય પિતાદિનિમિત્ત વાસનભેદ જ નહિં, પણ વ્યવહારક ઉપાદાન કારણવિશેષ પણ વાસનભેદ હેતુ છે, એમ કહેવું તે કાંઈ અત્રે પરિવાર નથી, ઉત્તર નથી; (This is no reply ). શાને લીધે? “એકના અનેક નિમિત્તપણાના અાગને લીધે;” એક જ દેવદત્તાદિના અનેકોના–પિતાપુત્રાદિ વ્યવહર્તાઓના નિમિત્તપણાના અયોગને લીધે, સહકારિભાવના અાગને લીધે. કારણ કે તેઓ તે એક સહકારીને પામીને ઉપાદાનભેદે પણ તથા પ્રકારે સર્વવાસનાવંત હોય છે, અને તદનુગુણતાવંત સ્વભાવરહિત એવા તેનું અનેકસહકારિપણું અયુક્ત છે. - હવે વાદી એમ કહે કે–એક અવિભાગવત સહકારીમાં સ્વઉપાદાનના ભેદ થકી અનેક વાસનાપ્રવૃત્તિ દેખાય જ છે; અને દૃષ્ટિમાં કંઈ અનુપપન્ન–અયુક્ત નથી, fહ રહે અનુug નામ.” એ વાદીની દલીલને પરિહાર દર્શન સાથે કરતાં કહ્યું–‘દર્શન થકી જ અવિરોધ નથી.” અર્થાત કેવલ બૌદ્ધને અભ્યપગમ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ દર્શન થકી જ પ્રસ્તુત વાસનાભેદમાત્રને અવિરોધ મેળ ખાતે નથી નથી જ. શાને લીધે? “અભ્યપગમમાં વિચારની ઉ૫૫ત્તિને લીધે. ને વિરોધ પામે છેદર્શન તે ભલે તેવા પ્રકારે છે, પણ તમારે અભ્યાગમ ક્યાં તેવા પ્રકારને છે? એટલે અભ્યપગમમાં જ વિચારની ઉપપત્તિઘટમાનતા છે; દર્શનની સાથે મેળ ખાય એ તમારે અભ્યાગમ છે કે નહિં એ જ વિચારે ઘટે છે, નહિ કે દર્શન, “અને તે પણ એમ વિરોધ નથી જ પામતે એમ નથી,–તેના એકસ્વભાવપણાને લીધે.’ એમ એકના અનેકરા હકારિપણાને અભ્યપગમ તમે કર્યો છે, એટલે કેવલ દર્શન જ નહિં, પણ તે અભ્યાગમ પણ વિરોધ નથી જ પામતે એમ નથી, અપિ તુ વિરોધ પામે જ છે. શાને લીધે? “તેના એકસ્વભાવપણાને લીધે.’ તેના–વ્યવહિયમાણે (વ્યવહરાતી) વસ્તુના નિરંશ એકસ્વભાવપણુએ કરીને વિરોધને લીધે–નિરાકરણને લીધે અનેકસહકારિત્વ અભ્યપગમવાળા તેના અનેક સ્વભાવના આક્ષેપને લીધે. (પાઠાંતરા-અપેક્ષિપણાને લીધે) પણ અનેકાન્તમાં તે આ તમારા અભ્યપગમ જેવા એકાન્ત પક્ષના દૂષણને પ્રસંગ આવતે જ નથી, તે દર્શાવતાં કહ્યું—અને એકાનેક સ્વભાવમાં પણ આ ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy