________________
ભગવંત, આત્મસ્વરૂપસૌંદર્ય અનુપમ છે. (૩) અને આ ભગવંતને યશ તે–ચાતુ rrrrrrrryળું વસ્ત્રો પાનવાળાતિન્દ્ર'- રાગ-દ્વેષ-પરીષહઉપસર્ગમાં પરાક્રમથી સમુથ, રોલેક્યઆનંદકારી અને આકાલપ્રતિક એ સમગ્રસંપૂર્ણ છે. - અને (૪) આ ભગવંતે ઘાતિકને ઉશ્કેદ કરવાનું વિક્રમ-પરાક્રમ દાખવ્યું, તેથી તેમને કેવલાલેક-કેવલજ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થયે, એટલે તેમને નિરતિશય પરમ સુખસંપસમન્વિતતા થઈ એ જ આ ખરેખરા “શ્રીમદ્દ” ભગવાનનું શ્રીરૂપ “ભગ” છે. આ ગ્રંથમાં ભગવાનને માટે “પુરુષવરપુડરીક” એવું એક ઉત્તમ પદ પ્ર ર્યું છે, તે પરથી
પણ આ ભગવાનના અનન્ય અનુપમ શ્રીમદુપણાને જ ભાવ વ્યંજિત શ્રીરૂપ ભગી થાય છે. આ ઉપમાને બિંબ–પ્રતિબિંબ ભાવ મહાકવિ “ચરણ કમલ હરિભદ્રજીએ અત્રે સાંગોપાંગ ઘટાળે છે. પુડરીકે જેમ સર્વ
કમલજાતિમાં વર-સત્કૃષ્ટ છે, તેમ આ ભગવંતે પુરુષમાં વર
પુણ્ડરીક સમાન સર્વશ્રેષ્ઠ હોઈ પુરુષવરપુણ્ડરીકે છે. પુડરીકે એવા પ્રકૃતિસુંદર-સ્વભાવથી સુંદર છે કે સૌંદર્યમૂર્તિ ભુવનલક્ષ્મી પણ ત્યાં આવીને નિવાસ કરે છે ને તે મન-નયન આદિને આનંદનું આયતન-ધામ થઈ પડે છે, તેમ અતિશયોગે કરી આ ભગવંતે એવા પરમ સુંદર છે કે કેવલશ્રી આદિ ગુણસંપ આવીને તેમનામાં નિવાસ કરે છે, ને તેમના દર્શનાદિ આનંદના હેતુઓ થઈ પડે છે. “ગુજરાયતિરાજયોનગુણw. આ અંગે કવિવર શ્રી આનંદઘનજીએ પરમ સુંદર ઉલ્ઝક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમદુના ચરણકમલમાં કમલા-શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરણ-કમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હોયની ! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારે આ મનમધુકર તમારા શ્રીમદ્ ચરણકમળમાં એ મુગ્ધ બન્યું છે, કે તે સુવર્ણમય મેરુને અને ઇંદ્ર-ચંદ્ર-નાગૅદ્રને પણ રંક ગણી, તમારા ગુણ-મકરંદના પાનમાં લીન થઈ ગયો છે.
“ચરમકમલા કમલા વસે રે, નિર્મલ થિર પદ લખ;
સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર લેખ..વિમલ જિન દીઠા લેયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્રવિમલ.” શ્રી આનંદઘનજી. . તેમજ-(૫) આ ધર્મમૂર્તિ ભગવંતનું ધર્મરૂપ “ભગ” પણ સમગ્ર છે, સાશ્રવ– અનાશ્રવ મહાગરૂપ કિવિધ, સમ્યગદર્શનાદિરૂપ ત્રિવિધ અને દાનાદિરૂપ ચતુવિધ એ
આ ભગવંતેને ધર્મ પરમાત્તમ હોવાથી સર્વ પ્રકારે આ ભગવંતેનું ધર્મરૂપ ભગ: ધર્મરૂપ ભગ સમગ્ર-સંપૂર્ણ છે. (જુઓ આ ગ્રંથ પૃ. ૧૦૫-૧૦૬) પ્રયત્નરૂપ ભગ: અને (૬) આ ભગવંતનું પ્રયત્નરૂપ “ભગ’ પણ સમગ્ર છે. આ પ્રયત્ન અનંતવીર્ય ભગવંત “પરમવીર્યસમુO:'-પરમ વિર્યથી સમૃત્ય-ઉત્પન્ન થયેલ, એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org