________________
ભગવલંબન ચિત્તવૃત્તિથી ભગવતે થકી જ તેલ
૩૫ અર્થ: ત્યારે તતફલ શી રીતે ? કહેવામાં આવે છે–
તદાલંબન ચિત્તવૃત્તિ થકી --તેના (ભગવંતના) આધિપત્યથી તે થકી જ તભાવને (ક્રિયાફતભાવને) લીધે, ચિન્તામણિરત્નાદિમાં તથા દર્શનને લીધે, એમ અમે કહીશું
વિવેચન “કામકુંભ સુરમણિ પરે, સહેજ ઉપકારી થાય રે, દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણગેહ અમે અમાય રે દેવ વિશાલ.”– શ્રી દેવચંદ્રજી
ત્યારે પ્રશ્ન થશે—તત્કલ શી રીતે?” તેનું તે નમસકારકિયાનું ફલ શી રીતે? તેને જવાબ આપે–તટસ્વર: _“તદાલંબન ચિત્તવૃત્તિ થકી.” અર્થાત
ભગવના આલંબનવાળી ચિત્તવૃત્તિ થકી તે નમસ્કારક્રિયાનું ફલ છે. ભગવઆલંબન ત્યારે આશંકા થશે કે-એમ તે તે ફલ ચિત્તવૃત્તિ થકી થયું, ચિત્તવૃત્તિથી ભગવતે ભગવતે થકી નહિં. તે આશંકા દૂર કરવા માટે કહ્યું – थी ततस तदाधिपत्यत: तत एव तदभावात् चिन्तामणिरत्नादौ तथादर्शनाद।'
તેના (ભગવંતના) આધિપત્યથી તે થકી જ તભાવને (કિયાફલ ભાવને) લીધે, ચિન્તામણિ રત્નાદિમાં તથાદર્શનને લીધે, એમ અમે કહીશું, ‘તિ રામ, ભગવંતે જ તે ચિત્તવૃત્તિના તે ફલજનક હેતુઓમાં પ્રધાનપણે અધિપતિઓ છે, તેથી તે ભગવંતના આધિપત્યથી–અધિપતિપણાથી તેઓ થકી જ તે કિયાફલને ભાવહેવાપણું છે માટે, અને ચિન્તામણિ રત્નાદિમાં તથા પ્રકારનું દર્શન થાય છે માટે, તદાલંબન ચિત્તવૃત્તિ થકી તફલ હોય છે. અર્થાત્ અદ્ભુત છે મહિમા જેને એવા ચિન્તામણિરત્ન આદિમાં પ્રણિધાન આદિ થકી ઉપજતું ફલ જેમ તે ચિન્તામણિ રત્નાદ્રિ થકી થાય છે એમ લોકમાં પ્રતીતિદર્શન છે, તેમ તે ચિતામણિ રત્ન કરતાં પણ અનંતગુણવિશિષ્ટ અચિંત્ય ચિંતામણિરત્ન સમા ભગવંતમાં ચિત્તન્યાસરૂપ પ્રણિધાન આદિથી–ચિત્તવૃત્તિના અનુસંધાન આદિ ભક્તિ-આરાધન થકી જે ફલ ઉપજે છે, તેમાં તે પ્રશસ્ત ચિત્તવૃત્તિના તફલજનક હેતુઓમાં પ્રધાનપણુએ કરીને–સર્વોપરિણાએ કરીને તે ભગવંતે જ અધિપતિઓ છે. એટલે અધિષ્ઠાતા (Dominating) એવા તે ભગવંતના આધિપત્યને લીધે તે ફલ ભગવંતે થકી હોય છે એમ અમે કહીએ છીએ. “અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલ પ્રભુ ગુણ રાગ;
સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહા ભાગ, પૂજના તે કીજે રે બારમા જિન તણી રે, જસુ પ્રગટ પૂજ્ય સ્વભાવ શુદ્ધતત્તરસ રંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ આત્માલંબી નિજ ગુણ સાધતે રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ પૂજના.”
શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org