SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણસિદ્ધ વચન જ પ્રમાણ દુાદ બ્રાહ્મણાદિવિચાર જેમ શાસ્ત્ર પણ મુક્તિગભ ૩૮૫ ત્યારે વળી કઈ કહેશે—જો આમ વિશેષનું દુર્લક્ષપણું છે અને એકીસાથે સામાન્યથી સર્વ વચન થકી પ્રવૃત્તિ થઈ શકે એમ નથી, તે પછી ગમે તે કઈ એક વચનથી પ્રવૃત્તિ કરવામાં બાધ શા માટે ? તે કે–એક થકી પ્રવૃત્તિનું એક થકી પ્રવૃત્તિનું અપરથી બાધિતપણું છે માટે એક વચન થકી પ્રવૃત્તિનું બીજા પરથી બાધિતપણે વચનથી બાધિતપણું થાય છે માટે. અર્થાત્ એક વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવા જઈએ છીએ, તે બીજું વચન તેને બાધિત-ખંડિત કરી તેને છેદ ઊડાવે છે. એટલે કરવું શું? એની સૂઝ પડતી નથી. તે પછી તે પ્રવૃત્તિ છેડી તે બાધક વચનાનુસાર પ્રવૃત્તિ કરને! એમાં બાધા કયાંથી? “તત્યાગથી ઇતર પ્રવૃત્તિમાં યદચ્છા છે-વચનનું અજિકપણું છે માટે, હવે તે બાધક વચનથી બાધિત પ્રવૃત્તિને ત્યાગ કરી, તે બાધક વચન પ્રમાણે ઈતર પ્રવૃત્તિ કરવા જઈએ છીએ તે ચછા-ઢંગધડા વિનાની વદ પ્રવૃત્તિ થઈ પડે છે, કારણ કે એક અમુક વચનને પ્રમાણ માન્યું ને પ્રવૃત્તિ તે ઈતર વચન પ્રમાણે કરી, એમાં ઢંગધડે કયાં રહ્યાં ? ને અવી ઢંગધડા વિનાની યચ્છા પ્રવૃત્તિમાં તે વચનનું પ્રયોજકપણું–પ્રવર્તી કપણું ક્યાં રહું? અર્થાત તમે પ્રમાણ માનેલા વચનનું જ અજિકપણે સિદ્ધ થયું. એટલે સકંજામાં આવેલ વાદી કહેશે-એમ તમે કેમ કહે છે? આ છતર વચનાનુસાર ઈતર પ્રવૃત્તિ થાય છે, તે તે વચનનું અપ્રોજકપણું શાને ? તેને રદીઓ, આખે તદન્તરથી (વચનાન્તથી) નિરાકરણ છે માટે તે વચન પણ તેનાથી અન્ય વચનથી નિરાકરણ પામે છે, બાધિત-ખંડિત થાય છે, તેને લીધે. આમ વચનાતરથી સર્વ વચનેનું નિરાકરણ થાય છે, એટલે આવા પરસ્પર બાધક વચનેની મધ્યે કયા વચનથકી પ્રવૃત્તિ કરવી એને નિર્ણય જ મુશ્કેલ બની જાય છે. આમ વચનનું તે કોઈ ઠેકાણું નથી, ને તમે વચન વચન કરે છે! અમારા વેદનું આ વચન છે, અમારા આગમનું આ વયન છે, એમ વચનથી કહ્યા માત્રથી તે વચન કાંઈ પ્રમાણ બની જતું નથી ! પણ પ્રમાણસિદ્ધ હોય તે જ પ્રમાણ પ્રમાણસિદ્ધ બને છે. તાત્પર્ય કે–આગમ–અનુમાન-અનુભવથી અબાધિત એવું વચન જ પ્રમાણ જે યુક્તિથી દષ્ટ-ઈટથી અવિરુદ્ધ પ્રમાણસિદ્ધ થાય છે, તે વચન જ પ્રમાણભૂત કહી શકાય, અને એવું અદુષ્ટ નિર્દોષ પ્રમાણ વચન જ બુદ્ધિમાને પ્રમાણ કહેવા ને કરવા યોગ્ય છે. દુષ્ટ અદુદ બ્રાહ્મણદિ વિચાર વિના જણાય નહિ ને વિચાર યુતિગર્ભ છે, એ દષ્ટાંત પરથી અર્થપત્તિથી યુક્તિ યુક્ત વચનનું જ પ્રમાણપણું ધ્વનિત કરે છે – २२न ह्यदुष्टं ब्राह्मणं प्रव्रजितं वा अवमन्यमानो दुष्टं वा मन्यमानः तद्भक्त इत्युच्यते न च दुष्टेतरावगमो विचारमन्तरेण, विचारश्च युक्तिगर्भ इत्यालोचनीयमेतत् ।२०४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy