SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ લલિત વિસ્તરા : (૩૩) “ નિ: નિતમ્યઃ ' પદ વ્યાખ્યાન તમારૂં જે આ વચન છે તે માત્ર શ્રદ્ધગમ્ય છે, તે રુચિમાત્રદષ્ટથી અવિદ્ધ વિષયપણાને લીધે માત્ર શ્રદ્ધાથી ભલે માની શકાય, પણ બુદ્ધિગમ્ય વચનનું જ વચનપણું વા યુક્તિગમ્ય (Rational & Logical) નથી, એટલે બુદ્ધિથી કે યુક્તિથી માન્ય કરી શકાય એવું નથી. એમ શાને લીધે? તે કે દશાવિકસ્ય વનસ્ય વચનાતા’–‘દુષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ વચનનું વચનપણું છે માટે.” અર્થાત્ “છ” એટલે પ્રત્યક્ષ દીઠેલ, અનુમાનાદિ સર્વ પ્રમાણથી ઉપલબ્ધ, અને ઈષ્ટ” એટલે વચનથી-આગમથી ઈષ્ટ માનવામાં એ બન્નેના અવિરોધ થકી અવિરુદ્ધ એવું જે વચન હોય, તેનું જ ખરેખરૂં વચનપણું–આગમપણું છે. એટલે પ્રત્યક્ષ યુક્તિ આદિથી અબાધિત અને વચનથી અભિલષિત એવું જે અવિરુદ્ધ યુક્તિયુક્ત વચન હોય તે જ ખરેખરૂં “વચન’–આગમ પ્રમાણ છે ને તે જ માન્ય કરવા યોગ્ય છે, દુષ્ટ-ઈષ્ટથી વિરુદ્ધ એવું ગમે તે વચન નહિં જ. એમ શા માટે? “અન્યથા તે થકી પ્રવૃત્તિની અસિદ્ધિ હોય માટે” અર્થાત્ એમ ન હેય, એટલે કે દ્રષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ વચનનું જ વચનપણું–આગમપણું ન હોય, તે પછી તે વચન થકી આ હેય છે ને આ ઉપાદેય છે એમ તેના હાન-ઉપાદનની સિદ્ધિ હાય નહિં, એટલે તેવા અપ્રમાણ વચન થકી હેયના ત્યાગરૂપ ને ઉપાદેયના ગ્રહણરૂપ તથાપ્રકારની પ્રવૃત્તિની સિદ્ધિ હાય નહિં. એમ પણ શા માટે? “વચના બહત્વથી પરસ્પર વિરુદ્ધ ઉપપત્તિ હેય માટે.” અર્થાત્ કપિલ, સુગત આદિ તે તે દર્શનપ્રણેતાઓથી પ્રણીત વચનનું વ્યક્તિભેદે કરીને બહપણું—અનેકપણું–વિવિધ પડ્યું છે. એક તત્ત્વને યુક્તિથી વચનના બહુત્વથી નિત્ય જ સ્થાપે છે, તે બીજે યુક્તિથી અનિત્ય જ સ્થાપે છે. પરસ્પર વિરુદ્ધતા આમ તે તે વચનેની પરસ્પર વિરુદ્ધ (Opposite) ઉપપત્તિ અર્થઘટના છે. એટલે કાનું વચન માનવું ને કયા વચન પ્રમાણે પ્રવર્તવું એ જ મોટી મુંઝવણ ને વિમાસણ થઈ પડે છે, તે પછી તથા પ્રકારે પ્રવૃત્તિની સિદ્ધિ ક્યાંથી હોય? ત્યારે કઈ કહેશે–એમાં મુંઝાવાની કે વિમાસણમાં પડી જવાની શી જરૂર છે? વિશિષ્ટ એવા તે વચનવિશેષ થકી પ્રવૃત્તિ શા માટે નહિં હોય? તેને જવાબ આપે– “વિશેષનું દુર્લક્ષપણું છે માટે, દષ્ટ-ઈષ્ટ અવિધલક્ષણવાળા વિશેષનું વિશેષનું વિચાર વિના દુર્લક્ષપણું છે માટે. અર્થાત્ આ વચન દુર્લક્ષપણું દષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ એવું વિશિષ્ટ છે, તેને વિચાર વિના-પરીક્ષા વિના લક્ષ થે દુષ્કર છે; અને કઈ પણ વચન એમ ને એમ તે પ્રમાણ માની શકાય એમ છે નહિં, એટલે તે ઇઈષ્ટથી અવિરુદ્ધ (Consistent) એવું યુક્તિયુક્ત વિશિષ્ટ છે કે નહિં તે ચકાસવા માટે પણ પરીક્ષા અથવા વિચારણા અતિ અતિ આવશ્યક છે એમ સિદ્ધ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy