________________
૩૬૮ લલિત વિસ્તરણ : (૩૨) “ાિયાજાવિશિક્તિાતિસ્થરંગાન્તઝ:' પદ વ્યાખ્યાન
તથા સ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાના અપહથી દૂર થવાથી) ન ચલ તે અચલ,
તથા સજા શબ્દથી વ્યાધિ-વેદનાનું અભિધાન છે, અને તેથી કરીને જ્યાં જૂ અવિદ્ય માને છે તે અજ–તેના નિબન્ધનરૂપ શરીર-મનના અભાવને લીધે
વિવેચન દેવ વિશાલ જિણુંદની, તમે યા તવ સમાધિ રે,
ચિદાનંદ રસ અનુભવી, સહજ અકૃત નિરુપાધિ રે....શ્રી દેવચંદ્રજી તે સ્થાન કેવું છે? તેના પરમાર્થગંભીર વિશેષણે હવે કહે છે–તેમાં (૧)
વદિત વાત શિવ’–પ્રથમ તે તે સ્થાન “શિવ' છે, અર્થાત્ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ભય આદિ દ્રવ્યઉપદ્ર અને રાગ-દ્વેષ–મોહ આદિ ભાવઉપદ્રને સર્વદાને માટે સર્વથા અભાવ હોવાથી શિવ–પરમ કલ્યાણુસ્વરૂપ, પરમ આત્મશાંતિસ્વરૂપ તે સ્થાન–શાશ્વત પદ છે.
તથા–(૨) અચલ–“સ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાના અપહથી ન ચલ તે અચલ.” સ્વભાવજન્ય કે પ્રાગજન્ય આત્મપ્રદેશપરિસ્પંદનરૂપ ચલનકિયા ટળવાથી જે ચલ નથી, સ્વરૂપથી ચળતા નથી તે અચલ. કારણ કે તે સહજાન્મસ્વરૂપ સ્થાનમાં બિરાજમાન સિદ્ધ ભગવંતે અચલ આત્મસ્વભાવમાં સુસ્થિત હોવાથી સ્વભાવથી તેમનું ચલાયમાનપણું સંભવતું નથી; અને પરભાવ-વિભાવથી સર્વદાને માટે સર્વથા વિરામ પામ્યા હોવાથી તેના પ્રયોગથી પણ તેમનું ચલાયમાનપણું કેઈ કાળે સંભવતું નથી; એટલે તેઓનું તે સ્થાન નિશ્ચયથી અચલ છે. અને વ્યવહારથી પણ સ્વભાવજન્ય કે પ્રાગજન્ય ચલનક્રિયાના દૂર થવાથી તે સિદ્ધિક્ષેત્ર પણ કોઈ કાળે ચલાયમાન નહિ હેવાથી અચલ છે, શાશ્વત સુપ્રતિષ્ઠિત છે.
તથા––(૩) અરુબરુજા શબ્દથી વ્યાધિ-વેદનાનું અભિધાન છે,” એટલે જ્યાં રુજા–વ્યાધિ-વેદના વિદ્યમાન છે નહિ તે અજુ', કારણ કે તે રાજાના–(રોગના) કારણરૂપ શરીર-મનને ત્યાં અભાવ છે માટે. એટલે તે સ્થાન દ્રવ્ય-ભાવ રોગથી રહિત એવું અજુ, સદા આત્મઆરોગ્યસંપન્ન સ્થિર સ્થાન છે.
સહજ સ્વરૂપ પ્રકાશથી, થાએ પૂર્ણાનંદ વિલાસ રે દેવચંદ્ર જિનરાજની, કર સેવા સુખવાસ રે....કરે. સાચા રંગ જિનેશ્વરૂ. “અવિસંવાદી નિમિત્ત છો રે, જગત જતુ સુખકાજ...જિનવર પૂજો, હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ...સંભવ.” શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org