________________
૩૬૬ લલિત વિસ્તર : (૩ર) શિવરાતિતિ થાનવંsicતેભ્યઃ પદ વ્યાખ્યાન
આત્મા સર્વગત–સર્વવ્યાપક છે એમ માનનારા સર્વગત–આત્મવાદીઓ, દ્રવ્યાદિવાદીઓ અર્થાત્ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ. સમવાય આદિ ભિન્ન ભિન્ન માનનારા વૈશેષિકે છે, તેથી તત્વથી તેઓ સદા લેકાન્ત–શિવ આદિ સ્થાને સ્થિત જ માનવામાં આવે છે. કારણ કે તેઓનું વચન છે કે “વિમુનૈિત્ર મામા'-આત્મ વિભુ નિત્ય છે, અર્થાત આત્મા વિભુ–સર્વ વ્યાપક સર્વગત છે; તેમજ નિત્ય-એકરૂપે અવસ્થાન કરી રહેલ છે. એટલે આ સર્વગત આત્મા સદા કાન્ત-શિવ આદિ સ્થાનમાં સ્થિત જ છે–સ્થાપિત થવાને નથી. એઓની આ માન્યતાના નિરસન અર્થે અત્રે “શિવ, અચલ, અરુ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાનને સંપ્રાપ્તને એ સૂત્રપદ કહ્યું.
“શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન...લલના....શ્રી સુપાર્શ્વ. અલખ નિરંજન વચ્છલ, સકલ જંતુ વિશરામલલના. અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ...લલના. શ્રી સુપાર્શ્વજિન. દિયે રે. વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ....લલના. અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમ પદ સાથલલના. શ્રી સુપાર્શ્વ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર...લલના. જેહ જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર...લલના”.શ્રી આનંદઘનજી.
જેમાં સ્થિતિ કરે તે સ્થાન એમ વ્યાખ્યા કરી, વ્યવહારથી તે સિદ્ધિક્ષેત્ર અને નિશ્ચયથી આત્મસ્વરૂપ જ છે એમ નિરૂપણ કરે છે–
इह तिष्ठन्त्यस्मिन्निति स्थानं, व्यवहारत: सिद्धिक्षेत्रं, "इह बोदिं चइत्ता णं, तत्थ गंतूण सिज्मइ” त्ति वचनात, निश्चयतस्तु तत्स्वरूपमेष, “सर्वे भावा आत्मभावे तिष्ठन्ती” ति वचनात् ।१९१
અર્થ:–અહીં, આમાં સ્થિતિ કરે તે સ્થાન; વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર,–“અહીં શરીર છેડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે” એ વચનથી; નિશ્ચયથી તો તે સ્વરૂપ જ છે – “ મા માતમમા તિત્તિ ” “સર્વ ભાવે આત્મભાવમાં સ્થિતિ કરે છે” એ
વચનથી. ૧૯૧
વિવેચન
“ધ્રુવપદરામી હે સ્વામી માહરા, નિઃકામી ગુણરાય સુગ્યાની ! નિજ ગુણકામી હે પામી તું ધણી, ધ્રુવ આરામી હે થાય...સુ.” શ્રી આનંદઘનજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org