SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદર્શન અંગે શંકાસમાધાન : સામાન્યપ્રધાન દશન, વિષપ્રધાન શાન ૩૫૯ સમતા ધર્મવિશિષ્ટ દર્શનથી જણાય છે, એટલા માટે દોષ નથી. આ કહેવાનું થયું–જીવના સ્વાભાવ્યથી (સ્વભાવપણાથી) સામાન્ય પ્રધાન ઉપસર્જનીકૃત (ગૌણ કરેલ) વિશેષવાળું અથગ્રહણ “દર્શન” કહેવાય છે; તથા પ્રધાનવિશેષવાળું અને ઉપસર્જનીકૃત સામાન્યવાળું (અથગ્રહણ) “જ્ઞાન” કહેવાય છે. એટલે વિસ્તરથી સ” ૧૮૭ વિવેચન સામાન્ય વિશેષને પિંડ, દ્રવ્યાર્થિક વસ્તુ પ્રચંડ.”–શ્રી દેવચંદ્રજી. અત્રે વળી બીજી શંકા કરે છે એમ આપ કહો છો તે રીતે જોતાં પણ જ્ઞાનથી વિષમતા ધર્મવિશિષ્ટ’–વિષમતા ધર્મથી વિશેષિત કરેલા પદાર્થો જ જણાય છે, “સમતા ધર્મવિશિષ્ટ” પણ નથી જણાતા તથા દર્શનથી “સમતા ધર્મ વિશિષ્ટ’–સમતાધર્મથી વિશેષિત કરેલા પદાર્થો જ જણાય છે, વિષમતા ધર્મવિશિષ્ટ પણ નથી જણાતા. તેથી કરીને જ્ઞાનથી “સમતા” નામક ધર્મોનું ગ્રહણ હેતું નથી, અને દર્શનથી “વિષમતા” નામક ધર્મોનું ગ્રહણ હોતું નથી, અને ધર્મોનું પણ અર્થ શું છે, એટલે જ્ઞાન માત્ર વિષમતા ધર્મવિશિષ્ટ પદાર્થો રહે છે, અને દર્શન માત્ર સમતા ધર્મવિશિષ્ટ પદાર્થો રહે છે, માટે જ્ઞાનનું અને દર્શનનું પ્રત્યેકનું છૂટું છૂટું એકાંગાહિપણું હેવાથી સર્વાર્થવિષય પણું અયુક્ત જ છે–અઘટમાન જ છે. આનું સમાધાન કરતાં આચાર્યવર્ય હરિભદ્રજી વદે છે–મહાનુભાવ! આપ ધારે છે તેમ નથી, કારણ કે ધર્મ–ધમીના સર્વથા ભેદને અનન્યુપગમ (અસ્વીકાર) છે માટે ધર્મધમળો: સર્વથા માનવુપમાત, ધર્મ-ધર્મના સર્વથાસામાન્ય પ્રધાન એકાંતે ભેદને અભ્યપગમ–સ્વીકાર અમે કર્યો નથી, માટે. અને દશન: તેથી કરીને “સમતા” નામના ધર્મો જેમાં “અત્યંતરીકૃત” છે– વિશેષ પ્રધાન જેના અત્યંતરમાં–અંદરમાં અંતર્ભત કરાયેલા છે, એવા વિષમતાજ્ઞાન ધર્મવિશિષ્ટ જ્ઞાનથી જણાય છે; તથા “વિષમતા” નામના ધર્મો જેમાં “અત્યંતરીકૃત” છે––જેને અત્યંતરમાં-અંદરમાં અંતર્ભત કરાયેલા છે, એવા સમતા ધર્મવિશિષ્ટ દર્શનથી જણાય છે, એટલા માટે અત્રે ઉક્તમાં દેષ નથી. કહેવાનું તાત્પર્ય કે-“જીવસ્વાભાવ્યથી”–જીવનું તેવું સ્વભાવપણું છે તેથી જ્યાં વિશેષ “ઉપસર્જનીકૃત–ઉપસર્જન કરાયેલ-ગૌણ કરાયેલ છે એવું સામાન્યપ્રધાન અર્થગ્રહણ તે “દર્શન” કહેવાય છે, તથા જ્યાં સામાન્ય “ઉપસર્જનીકૃત”—ઉપસર્જન કરાચેલ–ગૌણ કરાયેલ છે એવું પ્રધાનવિશેષવાળું–વિશેષ પ્રધાન અર્થપ્રહણ “જ્ઞાન” કહેવાય છે. એટલે વધારે વિસ્તાર કરવાથી બસ થયું! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy