SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધમ પ્રસિદ્ધ; આતમગુણુ અકષાયતા રે, ધમ ન જાણે શુદ્ધ....ચંદ્રાનનજિન ! ”—શ્રી દેવચ’દ્રજી * સાચા વ્યવહાર તા શુદ્ધ આત્મારૂપ સત્ વસ્તુને જે સાધ્ય કરે, તેના સાધનમાં જે નિમિત્તભૂત થઈ ઉપકારી થાય, તે છે. દન-જ્ઞાન–ચારિત્ર એ આત્માનું સ્વરૂપ છે, એટલે સમ્યગૂદન-જ્ઞાન–ચારિત્રની જેથી વૃદ્ધિ થાય, પુષ્ટિ થાય, નિમળતા થાય, તે સર્વ સાધન સદ્વ્યવહારરૂપ છે. ‘ જેમ કાઈ અનેા અર્થા પુરુષ પ્રથમ તા રાજાને જાણે, સš ને પછી પ્રયત્નથી અનુચરે, તેમ મોક્ષના અથી-મુમુક્ષુ આત્માથી જીવ-રાજાને (આત્માને) જાણે, સš ને પ્રયત્નથી મનુચરે.' શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં, દર્શન થવામાં તે અનુચરણ થવામાં જે જે દ્રવ્ય-ભાવસાધન ઉપકારી થાય, તેનું તેનું અવલંબન આત્માથી અત્રશ્ય ગ્રહણ કરે. તેમાં પણ દ્રવ્ય સાધન ભાવની ઉત્પત્તિમાં નિમિત્તભૂત થવાના કારણે ઉપકારી થાય છે, ને તેમ થાય તેા જ તેની સફળતા છે. દાન, શીલ, તપ ને ભાવ એ ચતુર્વિધ ધર્મની આરાધના પણ સદ્વ્યવહારના અંગભૂત છે. કામાં, શુભેચ્છાથી માંડીને શલેશીકરણ પર્યંતની સમસ્ત ભૂમિકાઓ, ને સામાન્ય સદાચારથી માંડીને યમ-નિયમાદિ અષ્ટાંગ ચેાગની સાધનાએ ઇત્યાદિ સર્ચ સત્તાધન આ સદ્વ્યવહારમાં સમાય છે. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ ને ધર્મતત્ત્વની શુદ્ધિ એ સદ્વ્યવહારના મુખ્ય સાધનભૂત છે, ને તે શુદ્ધિનો આધાર પણ શુદ્ધ શ્રદ્ધાન પર છે. સદેવ, સદ્ગુરુ ને સદ્ધ"નુ યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના શ્રદ્ધાન શુદ્ધ કેમ હેાય ? ને શ્રદ્ધાન શુદ્ધ ન હૈાય તે દેવ-ગુરુધર્મની શુદ્ધિ પણ કહેા કેમ રહે? તેવા શુદ્ધ શ્રદ્ધાન વિના જે કાંઈ ક્રિયા કરવામાં આવે તે તે। શ્રી આનંદઘનજીના શબ્દોમાં ‘છાર પર લિંષણા' જેવી નિષ્ફળ થઈ પડે. “દેવ ગુરુ ધમની શુદ્ધિ કહે કિમ રહે? કિમ રહે-શુદ્ધ શ્રદ્ધા ન આÌી; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ જેહ કિરિયા કરી, છાર પર લિના તહુ જાણે..... ધાર ’ —શ્રી આનંદઘનજી સભ્યવહાર સાધન રૂપ પઉિપકારી દેવતત્ત્વ, ગુરુતત્ત્વ ને ધર્મતત્ત્વની શુદ્ધિ એ તા સાવ સાદી ને દીવા જે સ્પષ્ટ વાત છે કે જેણે સાધ્ય સ્વરૂપની સિદ્ધિ પ્રાસ કરી હાય, સાધ્ય ધર્મને સિદ્ધ કર્યો હોય, અથવા તેની સાધનાની દિશામાં ઘણા આગળ વધ્યા હાય, એ જ આમાં પરમ ઉપકારી થઈ પડે. આવા ઉપકારી કાણુ છે ? દેવ, ગુરુ અને ષ. (૧) જેણે આત્મસ્વરૂપને સિદ્ધ કર્યું છે, તે જ દેવ છે; એવા સિદ્ધિપ્રાપ્ત સિદ્ધદેવ અહદેવ એ જ સિદ્ધિવ એને પૂજાહ-પૂજનીય છે. ( ૨ ) બીજું અવલ'અનભૂત ઉપકારી સાધન સદ્ગુરુ છે. સ્વરૂપસાધનામાં જે ઘણા આગળ વધેલા છે-ધણા આત્મવિકાસ પામેલા છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રરૂપ મેાક્ષમાર્ગની ઉત્તમ આરાધનાથી જેઓ ઉચ્ચ ગુણુસ્થાનસ્થિતિએ બિરાજમાન છે, જે પ્રગટ સતસ્વરૂપ શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત છે, એવા સાક્ષાત્ જીવંતમૂર્ત્તિ આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સત પુરુષ-સાચા ′ ભાવસાધુ' નિથ ગીતા' ગુરુ તે સ્વરૂપસાધનામાં ખીજું મુખ્ય . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy