SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ લલિત વિસ્તરાઃ (૨૮) “ m: Gum: પદ વ્યાખ્યાન વિવેચન “ય સકલ જાણુગ તુમે, કેવલ જ્ઞાન દિણંદ નાથ રે....નમિ.”–શ્રી દેવચંદ્રજી સાધ્યઅવિનાભાવિ–સાધ્યને સાધ્યા વિના ન રહે એવા નિશ્ચિત લિંગ થકી સાધ્યને નિશ્ચય કરાવનારું અનુમાન હોય, અને અત્રે તથા પ્રકારનું સાધ્યનિશ્ચયક લિંગ છે નહિ, એટલે કેઈ કહેશે–અર્થપ્રત્યક્ષતા એ જ લિંગ છે. તેને અર્થપ્રત્યક્ષતા નિષેધ કરતાં કહ્યું—“અર્થપ્રત્યક્ષતા લિંગ નથી. બીજા કઈ લિંગ નથી લિંગને અસંભવ છે, એટલે કહેવામાં આવતી જે અર્થપ્રત્યક્ષતાને બીજાઓ લિંગપણે કપિત કરે છે, કલપે છે, તે અર્થપ્રત્યક્ષતા લિંગ-બુદ્ધિગ્રાહક અનુમાનને હેતુ નથી; “કારણ કે પ્રત્યક્ષ પરિછેદ્ય અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે, અર્થાત્ પ્રત્યક્ષ પરિચ્છેદ્ય અર્થ જ–નહિં કે તેને પરિચછેદ પણ–તે લિંગઅભિમત અર્થપ્રત્યક્ષતા છે. એ જ સ્પષ્ટ કરે છે–પ્રત્યક્ષ કર્મરૂપતાને પામેલે અર્થ જ છે.” અર્થાત્ પ્રત્યક્ષની-ઇંદ્રિયજ્ઞાનની કર્મરૂપતાને–વિષયતાને પામેલે અર્થ જ છે, નહિ કે તેથી વ્યતિરિક્ત જૂદું કાંઈ તે અર્થપ્રત્યક્ષતા છે. જે ખરેખર ! એમ છે તે એથી શું? તો કે–“અને આ આની વિશિષ્ટ અવસ્થા વિશેષણઅપ્રતીતિ સતે પ્રતીત થતી નથી એમ પરિભાવનીય છે.” અર્થાત્ આ-પ્રત્યક્ષતા છે તે, આની–આ અર્થની વિશિષ્ટ અવસ્થા-પ્રત્યક્ષ જ્ઞાનની વિષયભાવવિશેષણ પરિણતિરૂપ અવસ્થા છે, તે વિશેષણ અપ્રતીતિ સતે અર્થાત અપ્રતીતિ સતે વિશેષણની–પ્રત્યક્ષ જ્ઞાનની અપ્રતીતિ-અસંવેદન સતે પ્રતીત થતી વિશિષ્ટ અવસ્થા નથી, નિશ્ચય કરાતી નથી. કારણ કે પ્રદીપ આદિ પ્રકાશની પ્રતીત ન થાય અપ્રતીતિ સતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપલભ્ય થતી નથી. આથી ઉલટું પ્રકાશની પ્રતીતિ સતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપજે છે, તેમ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ વિશેષણની પ્રતીતિ સતે અર્થની પ્રત્યક્ષ જ્ઞાન વિષયભાવપરિણતિરૂપ વિશિષ્ટ અવસ્થા પ્રતીત થાય છે. આમ અવય-વ્યતિરેકથી પરિભાવન કરવા યોગ્ય છે. કારણ કે અન્વય-વ્યતિરેકથી અનિશ્ચિત હેતુ થકી સાધ્યપ્રતીતિ થતી નથી. અનુમાનનું. કયા કારણથી, તે માટે કહ્યું––કારણ કે પ્રત્યક્ષrfથોડર્થ –પ્રત્યક્ષ પરિચ્છેદ્ય અર્થ જ, નહિં કે તેનો પરિચ્છેદ ૫ણ, કર્થપ્રત્યક્ષતા–અર્થ પ્રત્યક્ષતા,--લિંગાભિમતા. એ જ સ્પષ્ટ કરે છે–પ્રત્યક્ષદuતાં-ત્યક્ષસ્થ–પ્રત્યક્ષની, ઇંદ્રિયજ્ઞાનની, કાપતાં-કર્મરૂપતાને, વિષયતાને, Irgન્ન:–પામેલો પુત્ર–અર્થ જ, નહિં કે તેથી વ્યતિરિક્ત કંઈ. જે ખરેખર ! એમ છે તે તેથી શું? તે માટે કહ્યું –અને નથી આ, પ્રત્યક્ષતા, સર્વ–આની, અર્થની, વિફાદારરથા-પ્રત્યક્ષ જ્ઞાનની વિષયભાવપરિણતિરૂપા, વિષપ્રતીત—વફાળ–વિશેષણની, પ્રત્યક્ષ જ્ઞાનની, અતીત – અપ્રતીતિ, અસંવેદન સતે, પ્રતીયતે–પ્રતીત થતી, નિશ્ચય કરાતી, તિ મિશન–એમ પરિભાવનીય છે. કારણ કે પ્રદીપ આદિ પ્રકાશની અપ્રતીતિ સતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપલભ્ય થતી નથી; અને અન્વય-વ્યતિરેકથી અનિશ્ચિત હેતથી સાયપ્રતીતિ થતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy