________________
૩૩૦
લલિત વિસ્તરા (૨૮) “તીખ્ય: તામ્ય:' પદ વ્યાખ્યાન દર્શન–ચારિત્રની અભેદ એકતા અત્રે એકવચની પ્રગરૂપ “પિત થી—“જિ” એક અખંડ વહાણથી સૂચવી છે. અર્થાત જ્ઞાન-દર્શન–ચારિત્રની અભેદ એકતારૂપ એક અખંડ વહાણથી આ સંસારસાગર તરાય છે. આ ભગવંત પણ આવા અનુપમ વહાણથી આ સંસારસાગર તરી ગયા હોવાથી તીર્ણ છે. અને ઉપલક્ષણથી આ જિન ભગવંતોએ સ્વયં આચરેલા અને પ્રરૂપેલા એવા આ યુક્ત જિનમાર્ગને–જિનના મૂળ માર્ગને જેઓ ભક્તિથી ભજે છે તેઓને પણ આ ભગવંતે તારનારા-તારક છે દેહાદિથી ભિન્ન આતમ રે, ઉપયોગી સદા અવિનાશ.....
મૂળ મારગ સાંભળો જિનને રે; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ૦ કહ્યું ભગવંતે દર્શન તેહને ૨, જેનું બીજું નામ સમકત...મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ...મૂળ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ....મૂળ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ તેહ મારગ જિનને પામિયે રે, કિવા પામે તે નિજ સ્વરૂપ”.મૂળ
– શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ જ્ઞાન-દર્શન–ચારિત્ર પિતથી જે ભવાણુવ તરી ગયેલા-તીર્ણ છે, એવા “એએને જીવિતાવર્ણવત્ ભવાવર્ત નથી,-નિબન્ધનના અભાવને લીધે.–કૈસેvi
કવિતા વર્ણવત્ત માઘ,”—અર્થાત્ પૂર્વે અનુભવેલ જીવિતના તીર્ણને આવર્તની જેમ, પુનર્ભવન જેમ, જીવિતના ફેરાની જેમ એ વિતાવર્તાવત તને ભવને આવર્ત નથી; અષ્ટ કમીને ઉદય જેનું લક્ષણ છે ભવાવર્ત નથી એ ભવ ક્ષીણ થયે તો પછી પુનઃ ભવાવર્ત—ભવને ફરી ફેરે
હેતો નથી, કારણ કે નિબઘનને—કહેવામાં આવતા હેતુને અભાવ છે માટે. “શ્રી અરજિન ભવજલને તારૂ, મુજ મન લાગે વારૂ રે....મનમોહન સ્વામી; બાંહા ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે....મન તપ જપ મેહ મહા તોફાને, નાવ ન ચાલે માને છે.મન પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે...મન પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે....મન વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”..મન
- શ્રી યશોવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org