________________
મૃગતૃષ્ણાદિઅનુભવ અનુભવસ્વરૂપે અસત નથી: રાગાદિ ચિતિમાત્રનિબંધન નથી ૩રપ માત્રને ભાવ-હોવાપણું હોય માટે, એટલે કદી પણ મેક્ષ થવાને પ્રસંગ આવશે નહિં, સંસારના અનુચ્છેદની પ્રાપ્તિ થશે. કારણ કે ચિતિ થકી મેક્ષમાં પણ ભ્રાંતિ ઉપજ્યા કરશે, એટલે મેક્ષ કયાં રહ્યો? એવી સ્થિતિ થશે. આમ ભ્રતિમાત્રપણાનું નિરસન કર્યું.
હવે દલીલની ખાતર ધારે કે વાદીના માનવા પ્રમાણે ચિતિમાત્ર થકી જ ભ્રાંતિ માત્ર છે, “તથાપિ તેના (બ્રાંતિમાત્રના) અસત્વમાં અનુભવબાધા છે,–તથાપિ તવતડ
ગુમા, વાધા', તે બ્રાંતિમાત્રના અસત્ત્વમાં-નહિં હોવાપણામાં બ્રાંતિમાત્રના અનુભવબાધા છે, અર્થાત્ બ્રાંતિમાત્ર કહો તે પણ તે બ્રાંતિમાત્ર અસત્વમાં અસત્—અવિદ્યમાન છે એમ કહેવામાં અનુભવબાધા ઉપજે છે, અનુભવબાધા તેવું સ્વયં સંવેદન પ્રાપ્ત થતું નથી. ભ્રાંતિમાત્ર જે અસત–અવિ.
ઘમાન જ હોય તે તેને અનુભવ ઉપજે નહિં, સંવેદન થઈ શકે નહિં. જેમ શશશૃંગાદિ અસત્ છે—છે જ નહિં, એટલે તેને અનુભવ થઈ શકશે નહિં; તેમ બ્રાંતિમાત્ર જે અસત્ છે, તે આ બ્રાંતિમાત્ર છે એ અનુભવ કેમ થઈ શકશે વારુ ?
મૃગતૃષ્ણાદિ અનુભવના દૃષ્ટાંતથી રાગાદિ ચિતિમાત્ર નિબંધન નથી એમ દર્શાવી, ઉકત યુક્તિથી જે અસત કે ભ્રાંતિમાત્ર નથી એવા રાગાદિના જેતાપણાથકી તાત્વિક જિનાદિની સિદ્ધિ કરે છે–
न हि मृगतृष्णिकादावपि जलाद्यनुभवोऽनुभवात्मनाऽप्यसन्नेव, आविद्वदङ्गानादिसिद्धमेतत् । न चायं पुरुषमात्रनिमित्तः, सर्वत्र सदाऽभावानुपपत्ते: । नैवं चितिमात्रनिबन्धना रागादय इति भावनीयम् ।
___ एवं च तथाभव्यत्वादिसामग्रीसमुद्भतचरणपरिणामतो रागादिजेतृत्वादिना तात्त्विकजिनादिसिद्धिः ॥२७॥१६७
અર્થ –કારણકે મૃગણિકા આદિમાં પણ જલાદિ અનુભવ અનુભવાત્માથી (અનુભવ સ્વરૂપથી) પણ અસત જ નથી. આ આ-વિદુર્ભાગનાદિને સિદ્ધ છે. અને આ (મૃગતૃષ્ણિકાદિ અનુભવ) પુરુષમાત્ર નિમિત્તવાળો નથી, સર્વત્ર સદા અભાવની અનુપત્તિ હોય માટે; અને એમ રાગાદિ ચિતિમાત્ર નિબન્ધવાળા નથી, એમ ભાવન કરવા યોગ્ય છે.
અને એમ તથાભવ્યત્યાદિ સામગ્રીથી સમુદ્ભૂત ચરણપરિણામ થકી રાગાદિના જેતૃત્વઆદિ વડે તાત્વિક જિનાદિની સિદ્ધિ છે. ર૭.૬૭
વિવેચન પ્રણમું ચરણ પરમગુરુ જિનના, હંસ તે મુનિજન મનના, વાસી અનુભવ નંદન વનના, ભેગી આનંદઘનના; મેરા સ્વામી હે તેરે ધ્યાન ધરીએ, ધ્યાન ધરિજે હો સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org