________________
સામાન્યથી સર્વ અવમેાધની સિદ્ધિ : જ્ઞાનમાં જ્ઞેયપ્રતિબિંબનો નિષેધ
૩૦૭
સત્તામાં અંતર્ભાવથી સર્વ વસ્તુનું ગ્રહણ આવી ગયું. દાખલા તરીકે—જેમ ‘ જગત્’ કહેતાં અસખ્ય દેશ—ગ્રામ-નગર આદિ યુક્ત આખું વિશ્વ આવી જાય છે તેમ; અથવા ‘નગર' કહેતાં હજારે! ઘરેથી વસેલું આખું શહેર આવી જાય તેમ. આમ સત્તારૂપ સામાન્યથી સ જ્ઞેય પદાર્થના અવઞધની-પરિચ્છેદની સિદ્ધિ થાય છે.
અત્રે કઈ કહેશે—ભલે એમ સામાન્યથી સર્વ જ્ઞેયના જાણપણાની સિદ્ધિ હા, પરંતુ આ જાણપણું તેા જ્ઞેયનું પ્રતિષ્ઠિ'ખ જ્ઞાનમાં પડવાથી જ્ઞાનના ોયાકારપણાને લીધે સિદ્ધ થાય છે; તેા તેમ કહેવું યુક્ત નથી, કારણ કે તેવા પ્રકારના પ્રતિબિંબ થકી જ્ઞાનનું જ્ઞેયાકારપણું માનવામાં અનેક દોષના પ્રસંગ આવે છે ને ઉક્ત હેતુની વ્યાપ્તિ ઘટતી નથી. જુએ, આ પ્રકારેઃ(૧) ધર્માસ્તિકાયાદિનું અમૂ પણું છે એટલે આકારના અભાવે તેનુ પ્રતિબિંબ ઘટતું નથી, કારણ કે પ્રતિબિંખ છે તે મૂત્તના ધર્મ છે, એટલે મૂર્તનુ જ પ્રતિબિંબ પડી શકે, અમૂર્ત નહિ. તેમ જ—તે મૂત્ત ધર્મ સાથે જોડાયેલી વસ્તુને સક્રમ ન હેાય, તેા પ્રતિબિંબ પણ ન હોય. દા. ત. સ્ત્રીના મુખની છાયાના અણુના અરીસામાં સંક્રમ ન હોય, તેા તેના પ્રતિબિંબના સંભવ હાય નહિ; અથવા ચંદ્રના આતપને—પ્રકાશઅણુને જલમાં સંક્રમ ન હોય, તે જલમાં ચંદ્રપ્રતિબિંબના સંભવ હોય નહિ. એમ ન હેાય એટલે કે અણુસક્રમ વિના જો પ્રતિબિંબ પડતું હોય, તે અતિપ્રસંગના દોષ આવે. આ અંગે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણુ કહ્યું છે કે...( જીએ—પંજિકામાં ટાંકેલી ગાથા) “ અલાસ્વર-અપ્રકાશમાન વસ્તુગત છાયા દિવસે શ્યામ હાય છે, તે રાત્રે કાળી આભાવાળી હોય છે; અને લાસ્વરગત (પ્રકાશમાન વસ્તુગત ) તે જ છાયા સ્વદેહવણી` જાણવી. આદર્શની ( અરીસાની ) અંદર દેહાવયવો જે સ’કાન્ત હોય છે, તેની ત્યાં ઉપલબ્ધ પ્રકાશયાગ થકી હોય છે,—— અંતરની નહિં. (૨) ચિત્ર, ચૈત્રજી વગેરે અનેક વસ્તુનું ગ્રહણ થાય ત્યારે એક સ્થળે અનેક પ્રતિષ્ઠિ મના ગ્ર ુના અસભવ હોય. (૩) અથવા સંભવ હોય તે પ્રતિષિખનુ સાંક-ભેળસેળપણું ( ખીચડા ) થઈ જશે, એટલે તે અનુસાર પરસ્પર સંકીણુ સેળભેળ વસ્તુની પ્રતિપત્તિના–ગ્રહણના પ્રસંગ આવશે. આમ જ્ઞાનમાં જ્ઞેયનુ પ્રાતબિંબ પડે છે એમ માનવામાં અનેક દોષના પ્રસંગ આવે છે.
જ્ઞાનમાં જ્ઞેય પ્રતિબિંબના નિષેધ
“ જ્ઞેય જ્ઞાન શું નવિ મિલે રે....લાલ. જ્ઞાન ન જાએ તૐ;
પ્રાપ્ત અપ્રાપ્ત અમેયને ૨ લાલ. જાણા જે જિમ જથ્થરે.” શ્રી દેવચ`દ્રજી,
એટલે સામાન્ય અવમેધે પણ એક પણ ઘદિ સરૂપ જાણવામાં આવ્યે, સ વસ્તુ તે રૂપના અતિક્રમ-ઉલ્લંઘન નહિ કરતી હાવાથી સતરૂપ હોઈ તે સર્વનું જાણુપણું હાય છે. આમ મહાસામાન્યગ્રાહક શુદ્ધ સ’ગ્રહનયના અભિપ્રાય પ્રમાણે એક સત્ જાણ્યે સત્તાનુ જાણુપણુ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org