________________
સહજ આત્મસ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આત્મા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યથી યુક્ત એવા મુક્ત સિદ્ધ પરમાત્મા છે. એવા પરમ ભેગી સાક્ષાત્ શુદ્ધ સ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી, તે મુખ્યપ્રધાન-અનુત્તમ ગબીજ થઈ પડે એમાં જરાયે આશ્ચર્ય નથી.
“નિરો; કુરારું ચિત્ત રામરારિ જા. प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।"
–શ્રી હરિભદ્રાચાર્યજીત ગદષ્ટિસમુચ્ચય ઘેટાના ટેળામાં ચિરકાળથી વસેલા સિંહશિશુનું દૃષ્ટાંત અત્ર ઘટે છે. કોઈ સિંહનું બચું જન્મથી ઘેટાના ટેળામાં વસ્યું છે, ઉછર્યું છે, અને ચિર સંવાસથી તે પિતાને ઘેટું
જ માની બેઠું છે. ત્યાં કેઈ સિંહ દેખાય છે. તેને દેખી તે અજકુલગત કેસરી’ સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે, અને પાછું પિતાનું
સ્વરૂપ નિહાળે છે, તે બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે, અને તેને ભાન થાય છે કે હું ઘેટું નથી પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિ કાળથી પરભાવના સંવાસમાં વસેલે છે, અને પિતાને પરરૂપ જ માની બેઠે છે. તેને સમાધિરસભર્યા સ્વરૂપસિદ્ધ પ્રભુના દર્શનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે.
અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુભકતે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ....અજિત જિન. દીઠો સુવિધિ જિહંદ સમાધિરસ ભર્યો લાલ ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો છે. સલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો છે, સત્તા સાધન માર્ગ ભણે એ સંચર્યો.હે”—શ્રી દેવચંદ્રજી અને આમ તે જિનસમ સ્વરૂપ સત્તા ઓળખે છે, એટલે તેના પ્રાગભાવની-પ્રગટ
આવિર્ભાવની ઈહ-ઇચ્છા તેને પ્રગટે છે, કે આવું જિન ભગવાન સ્વરૂપસચિ: જેવું પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ અને પ્રગટે તે કેવું સારું? અંતરાત્મભાવ એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ
નિષ્કામ અંતરાત્મા બની આત્મપરિણતિ ભણી વળે છે. “જન સમ જિન સમ સત્તા ઓળખીજી, તસુ પ્રાગભાવની ઈહિ અંતર અંતર આતમતા લહી હેજી, પરપરિણતિ નિરીહનમિપ્રભ.”
– શ્રી દેવચંદ્રજી. અને પછી એ તે અંતરાત્મા આદર્શ પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદર્શને (Model) નિરંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org