SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શમાવનાર નીર અને સંમેહધૂલિ ઉડાડવાને સમીર તરિકે બિરદાવી શ્રી હરિભદ્રસૂરિએ, “આવ મારે ઘસતાં જના—ભવજલે પડતા જનેને આલંબન તરિકે બિરદાવી શ્રી માનતુંગસૂરિએ, “હંતાણાનનિમકનપજંતુuતાથમાન' “ચાણમંદિ'—સંસારસાગરમાં નિમજજતા સર્વ પ્રાણીને પિત (જહાજ) અને કલ્યાણ મંદિર તરીકે બિરદાવી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ, અને “કામિત પૂરણ સુરત, આનંદઘન પ્રભુ પાય” એ અમર શબ્દોમાં કલ્પવૃક્ષ તરીકે બિરદાવી શ્રી આનંદઘનજીએ આ ભક્તિને જ અપૂર્વ મહિમા ઉત્કીર્તન કર્યો છે. આમ વીતરાગ પરમાત્માની ભક્તિ એ મુક્તિને સરલ સુગમ માર્ગ છે, એટલા માટે સર્વ ભક્તશિરોમણિ મહાત્માઓએ તેની ભક્તિને મુક્તિમાર્ગ–મક્ષસાધક પેગ કહ્યો તે યથાર્થ જ છે. કારણ કે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મરૂપ આવરણ ટળ્યું હોવાથી ભગ વાનનું તે સ્વરૂપ સંપૂર્ણ વ્યક્તતા-આવિર્ભાવ પામ્યું છે, આવરણ જિનપદ જિનપદ એક્તા વર્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરભાવ પામેલું હોઈ અવ્યક્ત શક્તિપણે રહ્યું છે. આમ કર્મ આવરણરૂપ ઓપાધિક ભેદને લીધે પરમાત્મામાં અને આ આત્મામાં અંતર પડયું છે, જીવ અને શિવને ભેદ પડયો છે. શ્રી આનંદઘનજીના શબ્દોમાં કહીએ તે કર્મવિપાકે છે કારણ જોઈને કઈ કહે મતિમંત” પણ મૂળ સ્વરૂપદષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું “અનંત સુખસ્વરૂપ” તે જિનપદ છે, તેવું જ આ “મૂળ શુદ્ધ તે આત્મપદ” છે. આ જિનપદ અને નિજ પદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે, અને એ જ આ ભક્તિનું પ્રયજન છે. એટલે એવા અનંતસુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદને જે ઈચછે છે તે “ગીજને, તે પ્રગટસ્વરૂપી સગી જિનપદની અખંડ એકનિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ. કારણ કે તે જિન ભગવાને સ્વરૂપ સિદ્ધિરૂપ નિજ કાર્ય સિદ્ધ કર્યું છે. એટલે તે સ્વરૂપસિદ્ધિરૂપ કાર્ય જે કરવા ઈચ્છતા હેય, શુદ્ધ સ્વસ્વભાવરૂપ મોક્ષફળની જે કામના રાખતા હોય એવા મુમુક્ષુ જીવે, તેના અમેઘ કારણરૂપ તે કૃતકૃત્ય જિનભક્તિ સિદ્ધ સ્વરૂપનું અવલંબન લેવું ઉપકારી છે. કઈ પણ કાર્યની ઉત્તમ ગબીજ સિદ્ધિ એમ ને એમ તાબડતોબ થઈ જતી નથી, તે કાર્યસિદ્ધિના કારણરૂપ બીજ પહેલાં વાવવા પડે છે, પછી તેમાંથી અંકુરાદિ ફૂટી અનુક્રમે મોટું વૃક્ષ થઈ સિદ્ધિરૂપ ફળ મળે છે. એટલે મેક્ષકાર્યની સિદ્ધિ માટે મુમુક્ષુ જીવે તેને અવંધ્ય કારણરૂપ મેક્ષસાધક ગ–બીજને ચિત્ત-ભૂમિમાં પ્રક્ષેપ કરવા યોગ્ય છે. અને તે યોગ–બીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ યોગબીજ શ્રી જિનેશ્વરની ભક્તિ છે. કારણ કે વીતરાગ દશાને પામેલા શ્રી જિનેશ્વર ભગવાન રાગ-દ્વેષમહાદિ સમસ્ત અંતરંગ શત્રુઓને જીતી લઈ, સકલ કર્મ કટકને પરાજય કરી, શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy