________________
દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવધર્મ ચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે છવ નવીન?.....ચંદ્રાનન જિન!”—શ્રી દેવચંદ્રજી.
અપુનબંધકથી માંડી, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિનઆણુ, મારગ ભાષે જાણ.” –શ્રી યશોવિજયજી. આમ દ્રવ્ય-ભાવ શ્રુતજ્ઞાન અને દ્રવ્ય-ભાવ કિયારૂપ સત્સાધનના સમુચિત સમન્વયથી જ મોક્ષ છે. આ ઉપરથી સારભૂત યુક્ત પક્ષ આ છે કે-જ્ઞાન ને ક્રિયા એ બને નયની “પરસ્પર તીવ્ર મિત્રી કરાવી,” શુદ્ધ આત્મજ્ઞાન તે રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને સુમેળ સાધવે, એ જ શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષની સિદ્ધિને પરમ ઉપાય છે. એટલે કે પરપરિણતિને ત્યજવી ને આત્મપરિણતિને ભજવી તે મોક્ષમાર્ગની આરાધના છે; પરપરિણતિને ભજવી ને આત્મપરિણતિને ત્યજવી તે મેક્ષ માર્ગની વિરાધના છે.
૩. ભકિતગઃ જિનભક્તિ પ્રોજન “ઇએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ. જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ
લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ”—શ્રીમદ્ રાજચંદ્રજી
જેમ જ્ઞાનેગ-કર્મયોગ તેમ ભક્તિયોગ પણ મેક્ષનું ઉત્તમ સાધન છે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ સાધ્ય ધર્મ જેણે સિદ્ધ કર્યો છે એવા પરમાત્માની ભક્તિ મુક્તિનું
અનુપમ નિમિત્ત છે. ભક્તશિરોમણિ મહામુનિ દેવચંદ્રજીએ જિનપતિ ભક્તિ ભાખ્યું છે તેમ “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ, અનુપમ શિવ
મુક્તિનો મારગ સુખકંદ રે' શ્રી યશોવિજયજીએ પણ એમજ ભાખ્યું છે કે જિનપંભાવ વિના કબૂ “તાહરૂં ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાન ને ચારિત્ર તે જ છે .” નહિં છૂટત દુખદાવ” –હે ભગવાન! હારું ધ્યાન એ જ સમ્યગદર્શન છે, એ જ જ્ઞાન
છે, એ જ ચારિત્ર છે, અર્થાત્ એ જ ક્ષમાર્ગ છે. જિન ભગવાન -વિતરાગ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ વિના દુઃખાવ-દુઃખને દાવ (પ્રકાર) અથવા દાવાનલ કદી છૂટ નથી-જિનપે ભાવ વિના કબૂ નહિં છૂટત દુઃખદાવ” એ અમૃત વચનથી પરમતત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ભક્તિને અનન્ય મહિમા સંગીત કર્યો છે. તારકાવાસાહન' ને સંમોહિને રમ–ભગવાનને સંસાર દાવાનદાહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org