SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ એવું જે જ્ઞાન થયું, તેને અનુરૂપ પણે-છાજે એમ રાગાદિને ત્યાગ કરી શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું તે અનુષ્ઠાન છે. એટલે કર્મ આશ્રવને નિરોધ થઈ સંવર-નિરા થાય, એમ સર્વ આત્મસાધનનું સેવન કરવું, એ જ આવશ્યકાદિ સર્વ અનુષ્ઠાનનું અને અષ્ટાંગ યેગાદિ સર્વ ક્રિયાનું એક માત્ર પ્રયોજન છે. દ્રવ્યશ્રતજ્ઞાન અને દ્રવ્યક્રિયાને પણ અત્રે એનું યથાયોગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્યશ્રુતજ્ઞાન અને વ્યક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ થાય તે પણ પરંપરાએ મોક્ષના કારણરૂપ થઈ પડે છે. પણ જે તથારૂપ ભાવનું કારણ ન દ્રવ્યજ્ઞાન-ક્રિયાને થાય તે જ્ઞાન-ક્રિયા તે મેક્ષપ્રત્યયી ફળ પર નિષ્ફળ જ છે. યથાયોગ્ય સ્થાન શ્રી હરિભદ્રસૂરિએ પંચાશક શાસ્ત્રમાં પ્રવ્ય’ શબ્દના પ્રધાન અને અપ્રધાન એ બે અર્થ પ્રદર્શિત કર્યા છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે. તેમાં–ભાવને ઉત્પન્ન કરનારું એવું પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હેઈ અત્ર મેક્ષમાર્ગમાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્યસ્તવને-દ્રવ્યઆજ્ઞાને અધિકાર-હળુકમ, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણામી, અંતરંગ વિરાગ્યવસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તવપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસંપન અપુનબંધકાદિ* દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે,–એમ ચેખે ચોખ્ખું શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના સર્વ ગ્રંથમાં તેમજ આ લલિતવિસ્તરા ગ્રંથમાં પણ સ્થળે સ્થળે ઉદ્દઘેપ્યું છે. આ અપુનબંધકાદિ દશા પૂર્વે સકૃબંધકાદિને તે અપ્રધાનરૂપ દ્રવ્યક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્યઆજ્ઞાનું પાલન પણ અનુપગપણે-ક્રિયાજડપણે કરે છે એટલે તેઓ દ્રવ્યથી પણ અત્રે મેક્ષમાર્ગની યેગ્યતા ધરાવતા નથી. “અનુવનો ત્ર”—અનુપગ-ઉપયોગરહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સર્વ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્યક્રિયાને જ શાસ્ત્રકારે ગમાર્ગમાં સ્થાન આપ્યું છે, –નહિં કે અનુપયેગવંત કિયાજડ એવી અપ્રધાન દ્રવ્યક્રિયાને. આમ દ્રવ્યક્રિયાને પણ અત્રે યથાયોગ્ય સ્થાન છે જ, કારણકે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પણ ભાવ જ છે, દ્રવ્યના આલંબને પણ ભાવ પર જ ચઢવાનું છે, અને ભાવ પર આવ્યે જ છૂટકો છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મામાં તથારૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણનું ભવન-પરિણમન, આત્મસ્વભાવપરિણતિ. આખે માર્ગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલ છે, ભાવ જ એનું જીવન છે, તે ન હોય તે ખાલી બેખું જ રહે છે.-રજિયા પ્રતિતિ ન માન્યા.'—જેટલું આ દ્રવ્યક્રિયા માટે સત્ય છે, તેટલું જ દ્રવ્યશ્રુતજ્ઞાન માટે પણ છે. દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી ગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે સૂર્ય અને આગીઆ જેટલું અંતર છે. શુદ્ધભાવ ને શૂની કિરિયા, બેહમાં અંતર કેતેજી? ઝળહળતે સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”–શ્રી યશોવિજયજી. x“एते अहिगारिणो इहण सेसा व्वओ विजं एसा। જાપ નો ચાર સંતાન ૩ કરાર છે ”શ્રી પંચાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy