________________
છે કે બેધબીજભૂત, મૂળભૂત આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હોય, તે ત્યાં આત્મસંવેદનરૂપ આત્મજ્ઞાન છે, પણ તે આત્મસંવેદનરૂપ બીજભૂત જ્ઞાન વિનાનું બીજું બધુંય ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય તે ત્યાં આત્મજ્ઞાન નથી. એટલા માટે જ સ્વ–પર ભેદવિજ્ઞાનરૂપ મૂલ બીજભૂત જ્ઞાન જેને હતું, પણ બીજું કાંઈ પણ જ્ઞાન જેને હેતું, એવા “તુષમાષ” જેવા અતિમંદ ક્ષયે પશમી પણ તરી ગયા છે અને આ બધબીજભૂત સંવેદન જ્ઞાન જેને જોતું, એવા નવપૂર્વધર જેવા અતિમહા ક્ષપશમી શાસ્ત્રપારંગતે પણ રખડ્યા છે. કારણકે શ્રી ચિદાનંદજીએ કહ્યું છે તેમ “સાર કહ્યા વિન ભાર કહ્યો શ્રુત, ખર દષ્ટાંત પ્રમાણ”. –પરને જુદા પાડનાર એવા પ્રયજનભૂત ભેદજ્ઞાન અર્થાત આત્મજ્ઞાન વિનાનું જ્ઞાન તે અજ્ઞાન છે. મિથ્યાત્વયુક્ત એવા મતિ–શ્રત-અવધિને મતિઅજ્ઞાન, કુતઅજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિભંગ જ્ઞાન) કહ્યા છે તેનું એ જ રહસ્ય છે. શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ ઉપકારી નિમિત્ત સાધનરૂપ હેઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે, પણ એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્કજ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી. પરંતુ જે તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પિતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત્ આત્મામાં ભાવકૃતપણું પ્રગટે, આત્મજ્ઞાન ઉપજે, તે જ વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય છે. નહિં તે શ્રી હરિભદ્રસૂરિજીએ ગબિન્દુમાં કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મોહમૂદ્ધ જનેને સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનેને સંસાર છે! સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જે પ આત્મા હાથમાં ન આવ્યું તે એકડા વિનાના મીંડા જેવું છે.
જબ જા નિજ રૂપકો, તબ જા સબ લેક; નહિ જા નિજ રૂપકે, સબ જા સે ફેક.”—શ્રીમદ્ રાજચંદ્રજી "शाते यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते air gોતદિન ક્ષાનમન્નિાથ શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસાર
શાનથી જેવું આત્મસ્વરૂપ જાણ્યું, તેવું આચરણમાં-વર્તનમાં મૂકવાની પ્રક્રિયા તે કિયા, જ્ઞાન અને ક્રિયા એ બન્ને એક રથના બે ચક જેવા છે, એમાંનું એક પણ ચક્ર
ન હોય તે ધમરથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી જ્ઞાનક્રિયાને સમન્વય: છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યું હોય ત્યાં “નાળ તો રા' દેખતાં છતાં પાંગળા નષ્ટ થાય ને દેડતાં છતાં આંધળો નષ્ટ
થાય, પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળે તેના સૂચન મુજબ ચાલે, અને સહકાર કરી સમન્વય સાધે તે બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બન્નેને યથાયોગ્ય સમન્વય સાધ જોઈએ. અત્રે “ઘર્ષ ના તો રા' એ શ્રી દશવૈકાલિક સૂત્રના સુપ્રસિદ્ધ સૂત્ર પ્રમાણે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂછ્યું, તે એમ સૂચવે છે કે કિયા જ્ઞાનને અનુકૂળ-અનુસરતી તાત્વિક સમજણવાળી હેવી જોઈએ. એટલા માટે જ કિયાનું અનુષ્ઠાન' એવું નામ પ્રસિદ્ધ છે. અર્થાત્ દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org