SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિદિષા સતે તત્વોચર શુશ્રષાદિ આઠ પ્રાગુણ પ્રગટે ૨૪૩ “અર્થ:-અને આ (વિવિદિષા) સતે, તવગોચર એવા શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઊંહ, અપહ અને તત્વાભિનિવેશ એ પ્રજ્ઞા ગુણ હોય છે; પ્રતિગુણે અનંત પાપપરમાણુઓના અપગમ (દૂર થવા) વડે કરીને આ (ગુણે) હેાય છે, એમ સમયવૃદ્ધ કહે છે તેનાથી અન્ય એવા (શુશ્રુષાદિ) થકી તત્ત્વજ્ઞાનનો અગ છે માટે, તદાભાસતાથી એએનું ભિન્નજાતીયપણું છે માટે, બાહ્ય આકૃતિના સામે પણ ફલભેદની ઉપપત્તિ છે માટે. ૧૧૯ વિવેચન “ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણે! આતમ તત્વ કર્યું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમ તત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્તસમાધિ ના લહિયે.” શ્રી આનંદઘનજી અને આવી તત્વપિપાસા–જિજ્ઞાસાનું ફલ–પરિણામ દર્શાવતાં કહ્યું—“ચાં વાક્ય' આ (વિવિદિષા) સતે તગેચર એવા શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઊહ, અપહ, તવાભિનિવેશ એ પ્રજ્ઞાગુણ હોય છે, –તરવ77: વિવિદિષા સતે શુક્રવાદનધરળવજ્ઞાન દાદતરયામિના : ઘHTTr:તત્ત્વગોચર શુશ્રષાદિ અર્થાત્ આ વિવિદિષા–તત્વજિજ્ઞાસા જ્યારે ઉપજે છે, સત્ તત્ત્વને આઠ પ્રજ્ઞાગુણ પ્રગટે જાણવાની અંતરંગ ઈચ્છા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના જ્યારે જાગે છે, ત્યારે જ તત્વગોચર-તરસંબંધી-તત્ત્વવિષયક શુશ્રુષા આદિ આ આઠ બુદ્ધિગુણ અનુક્રમે પ્રગટે છેઃ (૧) જિજ્ઞાસા હોય, તે શુશ્રષા-તત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા ઉપજે છે. (૨) શશ્રુષા હોય, તે પછી શ્રવણુ-સતને સાંભળવાનું અને છે. (૩) શ્રવણ થાય, તે પછી ગ્રહણ-શાસ્ત્રના અર્થમાત્રનું ઉપાદાન હોય છે. (૪) પ્રહણ થાય એટલે પછી તે અર્થની ધારણુ-અવિસ્મરણરૂપ ધારણ હોય છે. (૫) ધારણ થાય એટલે પછી તેનું વિજ્ઞાન-સંશય-વિપર્યય-અનધ્યવસાયથી રહિત એવું વિશેષ જ્ઞાન-બોધ ઉપજે છે. (૬) વિજ્ઞાન થાય એટલે પછી વિસાત-જાણેલા અર્થને અન્યત્ર લાગુ પાડવારૂપ વ્યાપ્તિથી તેવા તેવા વિતર્ક કરવારૂપ ઊહ હેય છે. (૭) ઊહ થાય, એટલે પછી જ્યાં જ્યાં તે વિજ્ઞાત અર્થ ઉક્તિ અને યુક્તિથી વિરુદ્ધ હવાથી લાગુ પડતો નથી, ત્યાંથી વ્યાવર્તનરૂપ અપહ હોય છે. (૮) અને આમ અન્વયથી ઊહને વ્યતિરેકથી અહિ કરવાથી વિજ્ઞાત અર્થ સુવિનિશ્ચિત થાય છે, એટલે “આ તત્વ આમ જ છે” એવા નિશ્ચયરૂપ તત્ત્વભિનિવેશ હોય છે. આમ પ્રજ્ઞા-બુદ્ધિને વિકસિત કરવારૂપ ગુણ કરનારા આ સંકલનાબદ્ધ શુશ્રુષાદિ આઠ પ્રજ્ઞાગુણે, સાચી તત્ત્વજિજ્ઞાસા પ્રગટયે ઉત્તરોત્તર પ્રગટે છે. અને તે પણ કેવી રીતે ને કયારે પ્રગટે છે ? તે કે–ાતિનુજમનત્તirgining. –પ્રતિગુણે અનંત પાપપરમાણુઓના અપગમ (દૂર થવા) વડે કરીને આ હોય છે એમ સમયવૃદ્ધો કહે છે.” અર્થાત્ શુશ્રષાદિ પ્રત્યેક ગુણમાં જ્ઞાનાવરણાદિ કિલષ્ટ કર્ભાશરૂપ અનંત પાપપરમાણુઓના દૂર થવા વડે કરીને તે તે પ્રજ્ઞાગુણ ઉપજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy